મોજ ડેમના દરવાજા ખોલતા ગઢાળા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ, 6 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ

author img

By

Published : Sep 14, 2022, 10:44 PM IST

મોજ ડેમના દરવાજા ખોલતા ગઢાળા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ, 6 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ

રાજકોટ જિલ્લાના ઉપલેટાના (Heavy rain in Upleta) મોજ ડેમમાં પાણીની આવકમાં વધારો (Moj Dam Water Income Increased) થતા તેમના 13 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા હતા. જેને કારણે ગઢાળા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ (Gadhala village Causeway submerged) થયો છે. જૂઓ આ અહેવાલમાં.

રાજકોટ ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસેના મોજ ડેમના (Moj Dam near Mojira village Upleta) ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને (Heavy rain in Upleta) લઈને ડેમમાં પાણીની આવકમાં વધારો (Moj Dam Water Income Increased) થયો હતો. પાણીની આવકમાં વધારો થતા મોજ ડેમના 13 દરવાજા 2 ફૂટ ખોલવામાં (Moj Dam opening the gates) આવ્યા હતા. તેને લઈને ગઢાળા ગામનો કોઝવે સંપૂર્ણ પાણીમાં ગરકાવ (Gadhala village Causeway submerged) થયો હતો. કોઝવે પરથી ઘોડાપુર પસાર થઈ રહ્યું હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા હતા.

પાણીની આવકમાં વધારો થતા મોજ ડેમના 13 દરવાજા 2 ફૂટ ખોલવામાં

કોઝવે પર નદીનું પાણી ફરી વળ્યું મોજ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને ડેમના પાટિયા ખોલવામાં આવતા ગઢાળા ગામના કોઝવે પર નદીનું પાણી ફરી વળતા આવન જાવન માટેનો રસ્તો બંધ થયો છે. જેને લઈને માજી સરપંચ દ્વારા લોકોને આ કોઝવે પરથી પસાર ન થવા માટેની પણ અપીલ કરવામાં આવી છે.

ગઢાળા ગામના કોઝવે પર નદીનું પાણી ફરી વળતા આવન જાવન માટેનો રસ્તો બંધ થયો છે.
ગઢાળા ગામના કોઝવે પર નદીનું પાણી ફરી વળતા આવન જાવન માટેનો રસ્તો બંધ થયો છે.

તંત્ર દ્વારા સૂચના ઉપલેટાના મોજીરા પાસેના મોજ ડેમના દરવાજા ખોલવામાં આવતા નદી કાંઠા તેમજ હેઠવાસમાં આવતા મોજીરા, ગઢાળા, કેરાળા, ખાખીજાળીયા, વાડલા તેમજ ઉપલેટા સહિતના 6 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવાયા બતા. લોકોને નદીના પટમાં ન જવા માટેની તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે સ્થળાંતર થઈ જવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

મોજ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને ડેમના પાટિયા ખોલવામાં આવતા ગઢાળા ગામના કોઝવે પર નદીનું પાણી ફરી વળતા આવન જાવન માટેનો રસ્તો બંધ થયો છે
મોજ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને ડેમના પાટિયા ખોલવામાં આવતા ગઢાળા ગામના કોઝવે પર નદીનું પાણી ફરી વળતા આવન જાવન માટેનો રસ્તો બંધ થયો છે

21 દરવાજા 3 ફૂટ ખોલયા ડેમના 13 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. જેમાં હાલ પાણીની આવક અને જાવક 8424 ક્યુસેક છે. જેમાં પાણીની આવકમાં વધારો થશે. હજુ પણ વધુ પાટિયા ખોલવામાં આવશે. તેવું પણ જણાવવામાં આવ્યું હતું. આજે સાંજે 08:00 વાગ્યે 21 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.