ભાજપમાં કોઈ જૂથવાદ નથી: સી.આર પાટીલની વજુબાપા સાથે બેઠક

author img

By

Published : Nov 20, 2021, 3:28 PM IST

Updated : Nov 20, 2021, 5:49 PM IST

રાજકોટમાં સાફ દેખાયુ બીજેપી જૂઠવાદ: સી.આર પાટીલ અને વજુભાઇ વાળાની મુલાકાતમાં રૂપાણી ગેરહાજર

રાજકોટ શહેર ભાજપમાં આંતરિક જૂથવાદ (BJP Groupism ) હોવાની વાત છેલ્લા ઘણા સમયથી સામે આવી રહી છે, ત્યારે આજે આ મામલે કર્ણાટકના પૂર્વ ગવર્નર અને રાજ્યના એક સમયના નાણા પ્રધાન રહી ચૂકેલા વજુભાઈ વાળાએ મીડિયાને જણાવ્યું હતું કે, ભાજપમાં કોઈ પણ પ્રકારનો આંતરિક જૂથવાદ નથી (No Groupism in bjp ) અને હોવાનો પણ નથી. જ્યારે આ મામલે કેટલીક સમજ ફેર થઈ હોવાનું જણાવ્યું હતું. જોકે પાટીલ અંગે વધુમાં તેમણે જણાવ્યું હતું કે હું પણ પાર્ટીનો જે તે સમયે અધ્યક્ષ રહી ચૂક્યો હતો અને તે સમયે પાટીલ સાથે કામ કરેલું હતું એટલે તેઓ શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતા.

  • સી.આર પાટીલનો ઉદ્યોગકારો સાથે સ્નેહમિલનનો કાર્યક્રમ
  • સી આર પાટીલની વજુબાપા સાથે બેઠક
  • ભાજપમાં કોઈ જૂથવાદ નથી: બાપા

રાજકોટઃ સ્નેહમિલનમાં મેયર પ્રદીપ ડવ ઉભા થઈને રાજકોટના કાર્ય અંગે સીઆરના કાન ભર્યા હતા, ત્યારે એ પણ ચર્ચા હતી કે સી.આર પાટીલ અને વજુભાઇ વાળાની મુલાકાતમાં રૂપાણી ગેરહાજર હોય (Rupani is absent in the meeting) રાજકોટમાં સાફ બીજેપી જૂથવાદ (clearly BJP Groupism in Rajkot) દેખાયો હતો.

વજુભાઇ વાળા સાથે બંધબારણે બેઠક

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે (Bjp president CR Patil) વજુભાઈ વાળાના નિવાસ સ્થાને જઈને તેમની સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને તેમને પગે લાગીને નવા વર્ષના આશીર્વાદ લીધા હતા . ત્યારબાદ 15 મિનિટ જેવી બંધારણે તેમની સાથે બેઠક (CR Patil's meeting with Vajubapa ) યોજી હતી. જેમાં વિવિધ મુદ્દે ચર્ચાઓ પણ કરી હતી. જોકે બેઠક બાદ બહાર આવ્યા પછી મીડિયાને પાટીલે આ માત્ર ઔપચારિક મુલાકાત હોવાનું જણાવ્યું હતું. જયારે વજૂ બાપા એ પણ આ અંગે પાર્ટીના સિનિયર નેતા શહેરમાં ઉપસ્થિત હોય અને કોઈ પાર્ટીના મુખ્ય નેતા આવે તો તેઓ ઔપચારિક મુલાકાત પાર્ટીના સિનિયર નેતાઓની કરતા હોય છે તેવી ભાજપની વર્ષો જૂની પ્રણાલી તેમને મીડિયા સાથેની વાતચીતમાં તેમને જણાવ્યું હતું.

ભાજપમાં કોઈ જૂથવાદ નથી: સી.આર પાટીલની વજુબાપા સાથે બેઠક

ભાજપમાં કોઈ જૂથવાદ નથી: વજુભાઇ

રાજકોટ શહેર ભાજપમાં આંતરિક જૂથવાદ હોવાની વાત છેલ્લા ઘણા સમયથી સામે આવી રહી છે, ત્યારે આજે આ મામલે કર્ણાટકના પૂર્વ ગવર્નર અને રાજ્યના એક સમયના નાણા પ્રધાન રહી ચૂકેલા વજુભાઈ વાળાએ મીડિયાને જણાવ્યું હતું કે, ભાજપમાં કોઈ પણ પ્રકારનો આંતરિક જૂથવાદ નથી (No Groupism in bjp) અને હોવાનો પણ નથી. જ્યારે આ મામલે કેટલીક સમજ ફેર થઈ હોવાનું જણાવ્યું હતું. જોકે પાટીલ અંગે વધુમાં તેમણે જણાવ્યું હતું કે હું પણ પાર્ટીનો જે તે સમયે અધ્યક્ષ રહી ચૂક્યો હતો અને તે સમયે પાટીલ સાથે કામ કરેલું હતું એટલે તેઓ શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતા.

પાટીલ સાહેબ ચા પીને ગયા, બીજી કોઈ રાજકીય ચર્ચા થઈ નથી: નરેશ પટેલ

પાટીલ સાહેબ ચા પીને ગયા, બીજી કોઈ રાજકીય ચર્ચા થઈ નથી: નરેશ પટેલ

સી.આર પાટીલે ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ સાથે બેઠક યોજી હતી, જેમાં નરેશ પટેલ સાથે બેઠક યોજતા રાજકારણ ગરમાયુ હતુ. પાટીદારો પરથી કેસ પરત ખેચવાની વાતને લઈને નરેશ પટેલનું નિવેદન હતુ કે સરકાર અમારી વાતને ધ્યાને લઇ રહી છે, તે સારી વાત. અમારી મુલાકાત માત્ર શુભેચ્છા મુલાકાત હતી. પાટીલ સાહેબ ચા પીને ગયા. બીજી કોઈ રાજકીય ચર્ચા થઈ નથી.

આ પણ વાંચો: રાજકોટ ભાજપ સંગઠનમાં કોઈ પ્રશ્ન નથીઃ સી આર પાટીલ

આ પણ વાંચો: પોતાનાથી પાર્ટીને જીત મળતી હોવાના ખોટા સપનામાં ન રાચવાનુ: સી.આર પાટીલ

Last Updated :Nov 20, 2021, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.