પોલીસ ચોકી બનાવવાને લઇ જૂનાગઢના પૂર્વ મેયર ધરણાં પર

author img

By

Published : Nov 28, 2021, 7:36 PM IST

પોલીસ ચોકી બનાવવાને લઇ જૂનાગઢના પૂર્વ મેયર ધરણાં પર

જુનાગઢ મનપા વિસ્તારમાં આવતા 15 નંબરના વોર્ડ આંબેડકર નગર વિસ્તારમાં કાયમી ધોરણે પોલીસ ચોકી શરૂ કરવાને લઈને જૂનાગઢના પૂર્વ મેયર લાખાભાઇ પરમારે ધારણા (Former Mayor on Protest in Junagadh) શરૂ કર્યા છે. પાછલા કેટલાય દિવસથી આ વિસ્તારમાં પોલીસ ચોકી શરૂ કરવાને લઈને તેઓ પોલીસ વિભાગને પત્ર દ્વારા જાણ કરી રહ્યા હતા, પરંતુ પોલીસ ચોકી શરૂ નહીં થતાં અંતે પૂર્વ મેયરે આજથી સત્યાગ્રહ (Satyagrah Dharna in Junagadh)ની શરૂઆત કરી છે.

  • પોલીસ ચોકી શરૂ કરવાને લઈ જૂનાગઢના પૂર્વ મેયરના સત્યાગ્રહ ધરણાં
  • આંબેડકર નગર વિસ્તારમાં પોલીસ ચોકી શરૂ કરવાનીમાંગ
  • પત્ર વ્યવહાર દ્વારા માંગ પૂર્ણ નહીં તથા અંતે પુર્વ મેયરે શરૂ કર્યા ધરણાં

જૂનાગઢ: પૂર્વ મેયર લાખાભાઇ પરમાર આજથી સત્યાગ્રહ ધરણાં (Former Mayor on Protest in Junagadh) પર ઉતરી ગયા છે. તેમણે ETV BHARAT સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, પાછલા કેટલાય સમયથી જૂનાગઢ મનપા વિસ્તારમાં આવતા આંબેડકર નગરમાં પોલીસ ચોકી શરૂ કરવાને લઇને પોલીસ વિભાગને પત્રવ્યવહાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ પોલીસ વિભાગ દ્વારા કોઈ હકારાત્મક પ્રતિભાવો નહીં મળતાં અંતે તેઓ સત્યાગ્રહ ધરણાં (Satyagrah Dharna in Junagadh) પર ઉતરી ગયા છે. આ વિસ્તારમાં અસામાજિક તત્વો વારંવાર ભયનું વાતાવરણ ફેલાવે છે તેવો ઉલ્લેખ પૂર્વ મેયર લાખાભાઇ પરમાર દ્વારા પત્ર મારફતે કર્યો છે. આવી પરિસ્થિતીમાં અસામાજીક તત્વો પર કાયદાનો અંકુશ રહે તેને લઈને પોલીસ ચોકી તાકિદે શરૂ કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી ત્યારે પૂર્વ મેયર લાખાભાઇ પરમારની માંગ પોલીસ વિભાગ દ્વારા મંજુર કરવામાં નહીં આવતા અંતે તેઓ આજથી સત્યાગ્રહ ધરણાં (protest for police chauki ) પર ઉતરી ગયા છે.

પોલીસ ચોકી બનાવવાને લઇ જૂનાગઢના પૂર્વ મેયર ધરણાં પર

પૂર્વ મેયર આજથી અનિશ્ચિત સમય માટે સત્યાગ્રહ ધરણા પર

જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં આવતો આંબેડકર નગર વિસ્તાર અતિસંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. વારંવાર આ વિસ્તારમાં અસામાજિક તત્વો ભયનું વાતાવરણ ઊભું કરીને રહીશોને કનડગત કરી રહ્યા છે. ચૂંટણીના સમયમાં પણ આ વિસ્તારમાં ભારે ઉહાપોહ જોવા મળે છે. અસામાજિક તત્વો આવા સમયે પણ અહીં ભયનું વાતાવરણ ફેલાવતા જોવા મળે છે, ત્યારે આ વિસ્તારના લોકોને પાછલા કેટલાય વર્ષોથી પડી રહેલી મુશ્કેલીનો અંત આવે તે માટે પૂર્વ મેયર લાખાભાઇ પરમાર દ્વારા અહીં પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવે તેવી રજુઆતો અનેક વખત પોલીસ વિભાગને કરવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી પોલીસ ચોકી કાર્યરત નહીં કરવાને લઈને પૂર્વ મેયર આજથી અનિશ્ચિત સમય માટે સત્યાગ્રહ ધરણા પર ઉતરી ગયા છે.

આ પણ વાંચો: જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા LRD અને PSIના ઉમેદવારો માટે કરાયું મોક ટેસ્ટનું આયોજન

આ પણ વાંચો: Junagadh Politics: આપ નેતા નિખીલ સવાણીએ ભાજપ-કોંગ્રેસને આડે હાથે લીધી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.