Firoz Irani Junagadh Visit: હું વિલનનો રોલ કરતો ત્યારે બધા મારાથી દૂર ભાગતાઃ ફિરોઝ ઈરાની

author img

By

Published : Mar 30, 2022, 2:11 PM IST

Firoz Irani Junagadh Visit: હું વિલનનો રોલ કરતો ત્યારે બધા મારાથી દૂર ભાગતાઃ ફિરોઝ ઈરાની

ગુજરાતી ફિલ્મોના ખ્યાતનામ ખલનાયક ફિરોઝ ઈરાની (Gujarati film villain Firoz Irani) જૂનાગઢની મુલાકાતે (Firoz Irani Junagadh Visit) આવ્યા હતા. તે દરમિયાન તેમણે ETV Bharat સાથે વિશેષ વાતચીત કરી હતી. સાથે જ તેમણે પોતાની 50 વર્ષની કારકિર્દી દરમિયાનના અનેક યાદગાર કિસ્સાઓનો પણ (Firoz Irani shared his experience) ઉલ્લેખ કર્યો હતો.

જૂનાગઢઃ ગુજરાતી ચલચિત્રોના ખ્યાતનામ ખલનાયક ફિરોઝ ઈરાની મંગળવારે જૂનાગઢની એક દિવસીય મુલાકાતે હતા. 40 વર્ષ સુધી ગુજરાતી ચલચિત્રોમાં હીરોને બરાબરની ટક્કર આપનારા ફિરોઝ ઈરાનીએ ETV Bharat સાથે વિશેષ સંવાદ કર્યો હતો. તે સમયે તેમણે પોતાની કારકિર્દીના અનેક અનુભવો શેર (Firoz Irani shared his experience) કર્યા હતા.

આજે પણ ગુજરાતી ચલચિત્રો માં ફિરોઝ ઈરાનીનો દબદબો યથાવત્

આજે પણ ગુજરાતી ચલચિત્રો માં ફિરોઝ ઈરાનીનો દબદબો યથાવત્ - કલાકાર ફિરોઝ ઈરાનીએ ETV Bharatને તેમના અનુભવ અને તેમના પાત્ર અંગે ખૂલ્લા મને જણાવ્યું હતું. ચલચિત્રોના પડદા પર જોવા મળતા ખલનાયકના રૂપમાં ફિરોઝ ઈરાની ગુજરાતી ચલચિત્રની (Firoz Irani on Gujarati Movies) તેમને 50 વર્ષની સફર પૂર્ણ કરી ચૂક્યા છે. ગુજરાતી ચલચિત્ર પર તેમનો દબદબો આજે પણ કાયમ જોવા મળે છે. 70 વર્ષ કરતા વધુની આયુએ પહોંચેલા ફિરોઝ ઈરાની આજે પણ અદાકારીને લઈને ખૂબ ગંભીર જોવા મળ્યા હતા.

પ્રશ્ન- વર્તમાન સમયમાં ગુજરાતી ચલચિત્રોનું ભાવિ તમે એવું માનો છો? જવાબ - આધુનિક સમયમાં પણ ગુજરાતી ચલચિત્રનું ભવિષ્ય ખૂબ સુંદર જોઈ રહ્યો છું, પરંતુ કેટલાક ખરાબ તત્વો આજે ગુજરાતી ચલચિત્ર જોવા મળે છે. ચલચિત્રમાં (Firoz Irani on Gujarati Movies) અભિનય માટે હરિફાઈ થાય. તે સદાને માટે આવકાર્ય હોય છે, પરંતુ વર્તમાન સમયમાં ગુજરાતી ચલચિત્રમાં કામ કરવા અભિનયની હરિફાઈ કરતા વધારે વ્યક્તિને પસંદ કરવાની જે પદ્ધતિ નવા આધુનિક સમયમાં કેટલાક કિસ્સાઓમાં ગુજરાતી ચલચિત્રમાં પણ જોવા મળી હતી. આ બાબત તેમને નાપસંદ લાગે છે. કોઈ પણ ચલચિત્રની દુનિયામાં હરિફાઈનું એક માત્ર માધ્યમ અદાકારી હોવું જોઈએ, પરંતુ કેટલાક કિસ્સામાં હરિફાઈનું માધ્યમ અદાકારીથી બદલાઈને એક બીજાની ઈર્ષ્યા સુધી પહોંચી ગયું છે. આ બાબત ગુજરાતી ચલચિત્રમાં તેમને પસંદ નથી.

પ્રશ્ન- ગુજરાતી ચલચિત્રમાં ખલનાયકનું પાત્ર કેટલું મહત્વનું અને કેટલું મુશ્કેલ માનો છો? જવાબ- ગુજરાતી ચલચિત્રમાં હીરો-હીરોઇન અને વિલનના પાત્રોની વચ્ચે ચલચિત્રની પટકથા શરૂ (Firoz Irani on Gujarati Movies) થતી હોય છે અને તેની આસપાસ જ પૂર્ણ થતી હોય છેય ખલનાયકનું પાત્ર આગવું છે એટલા માટે કે હીરો અને હિરોઈનનું પાત્ર ગુજરાતી ચલચિત્રમાં ખૂબ (Firoz Irani on Gujarati Movies) મર્યાદિત હોય છે, પરંતુ સમગ્ર ચિત્રની પટકથા અને ચલચિત્રને દર્શકોના હૈયા સુધી પહોંચાડવા માટે ખલનાયકનું પાત્ર ખૂબ દમદાર હોવું જોઈએ. આપણા ચલચિત્રના ઈતિહાસ છે કે, ખલનાયકના પાત્રો થકી અનેક ચલચિત્રો દર્શકોના હૈયા સુધી પહોંચી છે અને વર્ષો બાદ પણ આવા અનેક ચલચિત્રો છે, જે આજે પણ દર્શકો પસંદ કરી રહ્યા છે.

પ્રશ્ન- સફળ ખલનાયક તરીકે અદાકારી કર્યા બાદ ક્યારેય હીરોનું પાત્ર ભજવવાની ઈચ્છા થઈ ખરી? જવાબ- મેં ગુજરાતી ચલચિત્રમાં કામ કરવાની શરૂઆત વર્ષ 1967માં ગુજરાતણ ફિલ્મથી (Firoz Irani First Movie Gujaratan) કરી હતી. મારા જમાનામાં હીરોનો રોલ સહાયક રોલ માનવામાં આવતો હતોય અમારા જમાનાની ફિલ્મોની વાત કરીએ તો, હીરોનું પાત્ર એક ઢબમાં ધાળેલા પાત્રથી વધારે અદાકારી કરવાની વિશેષ તક પ્રાપ્ત થતી ન હતી. હું કાયમ માટે ગુજરાતી ચલચિત્રમાં નવા વિચારો અને નવા પાત્રોને લઈને કામ કરવાની ઇચ્છા ધરાવતો હતો અને એટલા માટે ખલનાયકનું પાત્ર પસંદ કર્યું તેની પાછળના કારણ છે કે, ખલનાયકના પાત્રમાં વિવિધતા અને વિશેષતા વધુ હોય છે. તેના કારણે કોઈ પણ અદાકારને પોતાની કલાના ઓજસ પાથરવા માટે ખૂબ વિશાળ ફલક મળતું હોય છે. એટલે મેં ચલચિત્રોમાં ખલનાયકનું પાત્ર ભજવવાનું વધારે પસંદ કર્યું. મેં મારા ફિલ્મી કરિયરમાં મુરુ માણેકના ગુજરાતી ચલચિત્રમાં એન્ટી હિરોનો રોલ પણ કરેલો છે. મૂળ રોલ ખલનાયકના પાત્રથી શરૂ થાય છે અને ચલચિત્ર પૂર્ણ થતા તે રોલ હીરોના પાત્રમાં પૂર્ણ થાય છે.

પ્રશ્ન- 50 વર્ષની ગુજરાતી ચલચિત્રની લાંબી સફર માં સારા કે નરસા પ્રસંગો નો અનુભવ થયો? જવાબ - હું મોટા ભાગના ચલચિત્રોમાં નકારાત્મક કહી શકાય તેવા વિલનના પાત્રમાં જોવા મળતો (Gujarati film villain Firoz Irani) હતો અને એટલે ખરાબ અસર લોકોના માનસ પર થઈ અને લોકો એટલી હદે માનતા થયા કે, હું વ્યક્તિ તરીકે ખરાબ છું. લોકો મને અપશબ્દો કહેતા. મહિલાઓ તો મારો વિરોધ કરતી અને કેટલાક કિસ્સામાં તો મહિલાઓના હાથે માર ખાવાથી પણ હું બચ્યો હતો, પરંતુ જ્યારે મારા દર્શકોને અને ખાસ કરીને લોકોને તેમના અભિનય જીવનને વાસ્તવિકતા સાથે જોવા લાગ્યા ત્યારે આ જ લોકો કે જે તેમણે પહેલા ગાળો આપતા હતા તે પ્રેમપૂર્વક આદર આપતા થયા.

આ પણ વાંચો- કાશ્મીર અને આસામ સહિત દેશના કારીગરોને ગ્લોબલ માર્કેટ સુધી પહોંચાડી રહી છે કેન્દ્ર સરકાર: દર્શના જરદોશ

પ્રશ્ન- તમારી ચલચિત્રની 50 વર્ષની સફરમાં પસંદગીના હીરો-હીરોઇન ડાયરેક્ટર કોણ છે? જવાબ- મેં જેમની સાથે કામ કર્યું છેય તેમાં તમામ હીરો-હીરોઇન પ્રોડ્યુસર, ડિરેક્ટર તમામ સાથે મને કામ કરવાની ખૂબ મજા આવી. તે લોકો પણ મારી સાથે કામ કરીને ખુબ ખુશ હતા, પરંતુ નરેશ કનોડિયા સાથે ગુજરાતી ચલચિત્રની મારી સફર ખૂબ લાંબી હતી. નરેશભાઈ સાથે ફિલ્મો કરવાની સાથે પારિવારિક સંબંધો (Gujarati film villain Firoz Irani) પણ હતા. એટલા માટે નરેશભાઈ સાથે હું સૌથી વધારે જોડાયેલો હતો. નરેશભાઈ ફિલ્મના નિર્માણ અને નિર્દેશન કરવા સુધીના પણ કામ કરતા હતા તેથી કહી શકાય કે, નરેશભાઈ સાથે મારે સૌથી વધારે નિકટના સંબંધો હતા. આ સિવાય કિરણ કુમાર અને અસરાની સાહેબ સાથે પણ મારે ખૂબજ સારા સંબંધો હતા અને આજે પણ જે લોકો હયાત છે. તેમની સાથે ખૂબ સુમેળભર્યા સંબંધો જોવા મળે છે.

પ્રશ્ન- ગુજરાતી ચલચિત્રોમાં ખલનાયક નું પાત્ર અભિનય કરતા ફિરોઝ ઈરાની તેના અંગત અને જાહેર જીવનમાં કેવા છે? જવાબ- ખલનાયકનું પાત્ર ભજવતા મેં ક્યારેય પરિવારથી દૂર થવાનો વિચાર કર્યો નથી. આજે પણ હું પરિવાર સાથે ખૂબ નિકટતા ભર્યો સંબંધ જાળવી રાખું છું. જ્યારે પણ સમય મળે (Firoz Irani shared his experience) ત્યારે પરિવાર સાથે સમય વિતાવવાનું ચૂકતો નથી. પરિવારના સભ્યોને મળવા માટે આજે પણ હું સમય કાઢીને અમેરિકા અને વિદેશ જાઉં છું. મારા માટે ગુજરાતી ચલચિત્રની અદાકારી જેટલી મહત્વની છે એટલું જ મહત્વનું પારિવારિક જીવન પણ છે. અદાકારીને જે મહત્ત્વ આપું છું. તેટલું જ મહત્ત્વ આજે પણ પારિવારિક જીવનને આપી રહ્યો છું.

આ પણ વાંચોઃ Face To Face Interview : સરકારે આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ માટેની વય મર્યાદા દૂર કરી : પ્રદીપ પરમાર

પ્રશ્ન- એવી કઈ ચલચિત્ર આજે તમને પસંદ છે કે, જેમાં તમે અદાકારી નથી કરી છતાં પણ તમારી પસંદગીનું ચલચિત્ર છે? જવાબ -હેલ્લારો આ ગુજરાતી ચલચિત્ર મેં બે વાર જોઈ છે. હું તમને ચોક્કસપણે કહી (Firoz Irani shared his experience) શકું કે, મેં પાછલા ઘણા વર્ષોથી કોઈ એક ચલચિત્ર બે વાર જોઈ નથી. પરંતુ હેલ્લારો ચલચિત્ર મને એટલી પસંદ આવી કે, તેને મે બે વાર જોઈ છે. આ ચલચિત્રમાં મેં અભિનય નથી કર્યો, પરંતુ અભિનયની દૃષ્ટિએ આ ચલચિત્ર ઉત્કૃષ્ટ માનું છું. એટલા માટે મેં આ ચલચિત્રને બે વાર જોઈ છે. આવા ચલચિત્રો ગુજરાતી ફિલ્મ જગતને જીવંત બનાવી રહ્યા છે.

પ્રશ્ન- 50 વર્ષની ચલચિત્રની સફરમાં કયો સંવાદ જે તમને આજે પણ પસંદ છે? જવાબ- મેરુ માલણ ચલચિત્રનો સંવાદ આજે પણ મને ખૂબ પસંદ છે. આ સંવાદ મને જ નહીં પણ ગુજરાતી ચલચિત્ર જોનારા પ્રત્યેક દર્શકને આજે પણ હૈયે અને હોઠે જોવા મળે છે. મેરુ માલણ ચલચિત્રથી ગુજરાતી ખલનાયકના સ્વરૂપે મને નવી ઓળખ મળી. આજે પણ લોકો મને ફિરોઝ ઈરાનીથી જેટલો મને ઓળખે છે તેના કરતાં પણ વધારે માણકાનો ઘા પાણકા જેવો આ સંવાદથી વધુ ઓળખે છે અને એટલે જ આ સંવાદ મને આજે પણ ખૂબ પસંદ છે અને જ્યારે મને તક મળે ત્યારે હું માણકાનો ઘા પાણકા જેવો આ સંવાદ બોલવાનું ચૂકતો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.