વિધાનસભા ચૂંટણી પહેલા મંદિરો, મસ્જિદો અને તમામ ધર્મને લાગુ પડતો મહત્વનો નિર્ણય

author img

By

Published : Jun 22, 2022, 8:08 PM IST

વિધાનસભા ચૂંટણી પહેલા મંદિરો, મસ્જિદો અને તમામ ધર્મને લાગુ પડે તેઓ એક મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર કરશે જાહેર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022(Gujarat Assembly Election 2022) પેહલા, રાજ્યમાં આચાર સંહિતા લાગુ પડે તે પહેલાં રાજ્ય સરકાર મંદિરો, મસ્જિદો આ તમામ ધર્મને લાગુ પડે તેઓ એક મહત્વનો નિર્ણય(Gujarat Government Important Decision) રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે. આ ધાર્મિક સ્થળની અંદર હોય તો આવા નિવાસસ્થાનોના ટેક્સ રાજ્ય સરકાર માફ કરશે.

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીને(Gujarat Assembly Election 2022) ત્રણ મહિનાની વાર છે અને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રાજ્ય ચૂંટણી(Gujarat Assembly Elections) પંચ દ્વારા સત્તાવાર ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે અને રાજ્યમાં આચાર સંહિતા લાગુ પડે તે પહેલાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મંદિરો, મસ્જિદો, આ તમામ ધર્મને લાગુ પડે તેઓ એક મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે. જેમાં મંદિર અથવા તો ધાર્મિક સ્થળની અંદર જે વ્યક્તિ પૂજા, દુઆ અને બંદગી કરતા હોય અને તે વ્યક્તિનું નિવાસ્થાન આ ધાર્મિક સ્થળની અંદર હોય તો આવા નિવાસસ્થાનોના ટેક્સ રાજ્ય સરકાર માફ(Tax exemption for residences within Religious Place) કરશે.

રાજ્યમાં આચાર સંહિતા લાગુ પડે તે પહેલાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ધાર્મિક મંદિરો મસ્જિદો આ તમામ ધર્મને લાગુ પડે તેઓ એક મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે
રાજ્યમાં આચાર સંહિતા લાગુ પડે તે પહેલાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ધાર્મિક મંદિરો મસ્જિદો આ તમામ ધર્મને લાગુ પડે તેઓ એક મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે

આ પણ વાંચો: Development work to change the history of Pavagadh : 137 કરોડના ખર્ચે શી સુવિધાઓ વિકસાવાઇ જૂઓ

રાજ્ય સરકારે 20 કરોડની જોગવાઇ કરી - રાજ્ય સરકાર નાણા વિભાગ(Gujarat Government Department of Finance) દ્વારા ધાર્મિક સ્થળોની સેવા પૂજા કરનાર વ્યક્તિના ધાર્મિક પરિસરમાં આવેલા રહેઠાણના મકાન અને મિલકત વેરામાથી(Building and property taxes) મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે નાણાં વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં આ યોજના લાગુ થાય તેને ધ્યાનમાં લઈને 20 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને નાણાપ્રધાન(Gujarat Finance Minister) કનુ દેસાઇ દ્વારા આ યોજના અને જોગવાઈને સત્તાવાર રીતે મંજૂરી પણ આપી દેવાય છે પરંતુ હવે રાજ્ય સરકાર આ યોજના ક્યારેય જાહેર કરશે તે જોવું રહ્યું.

સરકાર પાસે હજુ લાભાર્થીઓના આંકડા જ નથી - રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા 20 કરોડની યોજના તો શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ વાત કરવામાં આવે તો સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર પાસે હજી સુધી આવા લાભાર્થીઓના સાચા આંકડા જ પ્રાપ્ત નથી. તેમ છતાં પણ આ યોજના રાજ્ય સરકાર લાગુ કરશે. મળતી માહિતી પ્રમાણે યોજના લાગુ કરતાં પહેલાં રાજ્યના 8 મહાનગરપાલિકા અને જિલ્લા તાલુકામાં આ બાબતનો એક ખાસ સર્વે શરૂ કરવામાં આવશે. સર્વેમાં જે લોકોનો ઉલ્લેખ અને સમાવેશ કરાયો હશે. તેવા જ વ્યક્તિઓ કે જીઓ ધાર્મિક સ્થળોની સેવા પૂજા કરનાર વ્યક્તિના ધાર્મિક પરિસરમાં આવેલા રહેઠાણના મકાનને મિલકતવેરા માંથી મુક્તિ આપવામાં આવશે.

આ પણ વાંચો: Tax Free Hindi Film In Gujarat : રાજ્યમાં હવે ભારતના વીર સમ્રાટની શૌર્યગાથાની આ ફિલ્મને મળી શકશે વધુ દર્શકો

તહેવારોના સમયમાં થશે જાહેરાત - જુલાઈ બાદ ઓગસ્ટ મહિનાથી રાજ્યમાં અનેક તહેવારોની શરૂઆત થઈ રહી છે તે જન્માષ્ટમી હોય કે નવરાત્રી કે દિવાળી હોય આ તમામ તહેવારોની શરૂઆત ઓગસ્ટ મહિનાના થઈ રહી છે ત્યારે રાજ્ય સરકાર તહેવારોને ધ્યાનમાં લઈને વિધાનસભાની ચૂંટણી નજીક આવે ત્યારે સત્તાવાર રીતે નાણાં વિભાગ દ્વારા આ જાહેરાત કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.