સતત ચાલી રહેલા આંદોલનનો અંત લાવવા સરકારે જાહેર કર્યા પરીપત્રો

author img

By

Published : Sep 24, 2022, 8:39 PM IST

સતત ચાલી રહેલા આંદોલનનો અંત લાવવા સરકારે જાહેર કર્યા પરીપત્રો

ગાંધીનગરમાં છેલ્લા ધણાં દિવસોથી આંદોલનનો ચાલી રહ્યા છે.રાજ્ય સરકાર અને કર્મચારી મહામંડળના આગેવાનો 14 જેટલી માંગને લઈને રાજ્ય સરકાર સાથે બેઠક (state government circular)કરી હતી.બેઠકમાં જે નક્કી કરવામાં આવ્યું હતું તે મુજબ પરીપત્રો જાહેર (Financial Announcement ) કરવામાં આવ્યા છે.વિધાનસભાની ચુંટણી પહેલા ગુજરાતમાં ચાલી રહેલા આંદોલનનો થાળે પાડવા સરકાર મથામણા ચાલી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.

ગાંધીનગર ગુજરાત રાજ્યના પાટનગરમાં છેલ્લા કેટલાય દિવસથી આંદોલનનો સતત ચાલી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર માંગણીને લઈને 72 જેટલા અલગ અલગ સંગઠનો એક થયા હતા અને રાજ્ય સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો હતો. ત્યારે રાજ્ય સરકાર અને કર્મચારી મહામંડળના આગેવાનો 14 જેટલી માંગને લઈને રાજ્ય સરકાર સાથે બેઠક કરી હતી. જેમાં સમાધાન કરવામાં આવ્યું હતું.ગુજરાતમાં ચાલી રહેલા આંદોલનને ધ્યાનમાં લઇને મામલો થાળે પાડવા તાત્કાલિક ધોરણે કર્મચારીઓને આર્થિક ફાયદો મળે તેને ધ્યાનમાં લઈને પરિપત્રોમાં (government against agitation) જાહેરાત કરી છે

કુટુંબ પેન્શન યોજના પરિપત્ર રાજ્યના નાણા વિભાગ દ્વારા રાજ્યના વિવિધ કર્મચારીઓ સંગઠન તથા પેન્શનલ મંડળો દ્વારા પેન્શનના મૂડીકૃત રૂપાંતર કરાયેલા ભાગનું પુનઃસ્થાપન કરવાની સમય મર્યાદા ઘટાડવા રજૂઆતો કરાઇ હતી.જેને લઇને આજેેેેેેેેે નાણા વિભાગ દ્વારા ઠરાવ બહાર(state government circular ) પાડાયો છે.હાલ જે પેન્શન હોય એ પેન્શનનું મૂડી રૂપાંતર કરાવેલ છે તેઓને પણ આ જોગવાઈનો લાભ આપવાનો રહેશે. પરંતુ જે પેન્શનના મૂડીકૃત રૂપાંતરણને 13 વર્ષ કે તેથી વધુ સમય થયેલ છે તેવા કિસ્સામાં ઠરાવ (Resolution Pass )પ્રસિદ્ધ થયાની તારીખના પછીના માસથી પેન્શનનું પુનઃસ્થાપન કરવાનો રહેશે

મેટરનીટી લિવમાં પરિપત્ર મહિલા કર્મચારીઓ માટેની મેટરની લિવમાં (maternity leave employees ) પણ સરકાર દ્રારા સુધારો કરવામાં આવ્યો છે.તે બાબાતે પણ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.જેમાં હંગામી નોકરી પરના મહિના કર્મચારીઓને નોકરીમાં જોડાયા બાદ થી જ તેણે જે તારીખથી માતૃત્વ રજા પર જાય તે તારીખથી 180 દિવસના સમયગાળાની માતૃત્વ રજા મળવા પાત્ર રહેશે અને રજાના હિસાબમાં ઉતારવામાં આવશે નહી અને રજાથી પરત ફરતા તેને પહેલા જે પગાર મળતો હોય તે સમાન રહેશે

વિમાની રકમમાં વધારો રાજ્ય સરકારના નાણાં વિભાગો દ્વારા હાલ વિમાની રકમ 50,000 થી ₹4,00,000 રૂપિયાની છે જે હવેથી 2.50 લાખ રૂપિયા થી ૨૦ લાખ રૂપિયા સુધીની કરવામાં આવી છે. જ્યારે તબીબી બધાની રકમમાં પણ પ્રતિમા છે 1000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે

ઉચ્ચક નાણાકીય સહાય રાજ્ય સરકારના વર્ગ 3 અને 4 ના કર્મચારીઓ પણ રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા પણ ખાસ ઉચ્ચક નાણાકીય સહાયની(government issued circulars to end agitation ) જાહેરાત કરાઇ છે આમ નિયત પરથી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા વર્ગ ત્રણ અને ચારના તેમજ કે ચાર્જમાં એકમ ઉપરના વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓને નોકરી દરમિયાન અવસાનના કિસ્સામાં સ્વર્ગસ્થ કર્મચારીના આશરે કુટુંબોને 14 લાખ રૂપિયાની ઉચ્ચક નાણાકીય સહાય આપવામાં આવશે

પરીક્ષા સુધારો કર્મચારી મહામંડળ દ્વારા અમુક ઉંમરથી વધુના કર્મચારીઓને પરીક્ષામાં મુક્તિ આપવા બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા પણ આ બાબતનો ખાસ ઠરાવ કરાયો છે.જેમાં 1 ડિસેમ્બર 2024 બાદ જે સરકારી કર્મચારીઓ અધિકારીઓ છે તેઓ જે તારીખથી કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરશે તે તારીખ થી અન્ય શરતો પૂર્ણ કરવાની તેઓને ઉચ્ચતર પગાર ધોરણ મળવા પાત્ર રહેશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.