Rahul Gandhi visit to Gujarat : રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યોને લેશન આપશે

author img

By

Published : May 7, 2022, 5:02 PM IST

Rahul Gandhi visit to Gujarat : રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યોને લેશન આપશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીની (Gujarat Assembly Election 2022)સમયસારણી ડીસેમ્બર મહિનો ચિહ્નિત કરે છે. જોકે રાજકીય સરગર્મીઓ એવી છે કે થોડી વહેલી ચૂંટણી યોજાઇ શકે. પીએમ મોદીએ તાજેતરમાં દાહોદમાં આદિવાસી મહાસંમેલનમાં (Dahod Adivasi Mahasammelan)ભાગ લીધો હતો. ત્યાં હવે 10 મેએ કોંગ્રેસના સર્વેસર્વા રાહુલ ગાંધી (Rahul Gandhi visit to Gujarat ) પણ આવી રહ્યાં છે. વધુ જાણો અહેવાલમાં.

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓની વાર છે. ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)યોજાશે ત્યારે હવે દર મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi visit to Gujarat ) પણ 10 તારીખે ગુજરાતના દાહોદ જિલ્લા ખાતે મહાસભા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. 10મીએ સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી જાહેર સભા યોજ્યા બાદ રાહુલ ગાંધી 2:00 વાગ્યે કોંગ્રેસના તમામ ધારાસભ્યો (Rahul Gandhi's meeting in Dahod ) સાથે હાઈ પાવર કમિટીની બેઠક યોજીને ગુજરાતના તમામ કોંગ્રેસ ધારાસભ્યોના ક્લાસ (Rahul Gandhi's meeting with Congress MLAs in Dahod ) લેશે.

તમામ ધારાસભ્યોને ટેલિફોનિક કરાઈ જાણ - રાહુલ ગાંધીના (Rahul Gandhi visit to Gujarat ) દાહોદ જાહેર સભાના કાર્યક્રમ બાદ બપોરે 2:00 કોંગ્રેસના તમામ ધારાસભ્યોની એક બેઠક રાખવામાં આવી છે. જેમાં રાહુલ ગાંધી હશે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022)કોંગ્રેસ કઈ રીતે કાર્ય કરશે તે બાબતની પ્રશિક્ષણ પણ કરવામાં આવશે. આ બાબતે તમામ ધારાસભ્યોને ટેલિફોનિક જાણ (Rahul Gandhi's meeting with Congress MLAs in Dahod )કરવામાં આવી છે અને 9 તારીખે મોડી રાત સુધીમાં દાહોદ પહોંચવાની સૂચના આપવામાં આવી છે. અને જો 9 તારીખ સુધીમાં તેઓ ન પહોંચે તો મોડામાં મોડા 10 તરીકે સવારે 11 વાગ્યા સુધીમાં દાહોદમાં ફરજિયાત આવવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ હાર્દિક પટેલને પત્ર લખીને કહી મહત્વની વાત

આદિવાસી પ્રભાવિત 27 બેઠકો પણ અસર 40 બેઠકોમાં - ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકો માટે 27 બેઠકો આદિવાસી સમાજની છે. પરંતુ 40થી વધુ બેઠકો ઉપર આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ છે. ત્યારે આ બેઠકો જીતવા માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદ ખાતે મહાસભાનું આયોજન કર્યું હતું. ત્યારે હવે 10 તારીખે રાહુલ ગાંધીનું (Rahul Gandhi visit to Gujarat ) પણ દાહોદ ખાતે આદિવાસી સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મહાસભાનું આયોજન (Dahod Adivasi Mahasammelan) કરવામાં આવ્યું છે. આમ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં જીત મેળવવા માટે આ વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022)આદિવાસી બેઠકોને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે.

આદિવાસી પટ્ટામાં 2017માં કોંગ્રેસ પક્ષેે 16 જેટલી બેઠકો પર જીત મેળવી હતી
આદિવાસી પટ્ટામાં 2017માં કોંગ્રેસ પક્ષેે 16 જેટલી બેઠકો પર જીત મેળવી હતી

આ પણ વાંચોઃ GPCC Chintan Shibir in Dwarka : દ્વારકામાં કોંગ્રેસ નક્કી કરશે ચૂંટણીની રણનીતિ, નેતાઓ શું કહ્યું જૂઓ..!

વર્ષ 2017 ની ચૂંટણીમાં 11 બેઠક ભાજપ પાસે -વર્ષ 2017 ની વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો આદિવાસી પટ્ટામાં ઉમરગામથી અંબાજી સુધીમાં કુલ 27 જેટલી વિધાનસભાની બેઠકો છે. જેમાં 11 બેઠકો પર જ ભાજપ જીત નિશ્ચિત કરી શકી હતી. ત્યારે કોંગ્રેસ પક્ષેે 16 જેટલી બેઠકો પર જીત (Result of tribal seats in 2017 elections)મેળવી હતી. હવે કોંગ્રેસ પક્ષમાંથી અશ્વિન કોટવાલે રાજીનામું આપીને ભાજપમાં સત્તાવાર પ્રવેશ કર્યો છે, ત્યારે 2022 ની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022)ક્યાં પક્ષ પર આદિવાસી સમાજ કળશ ઢોળશે તે જોવું રહ્યું ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.