મનસુખ માંડવિયાના નિવેદનથી પાટીદાર સમાજને ઉશ્કેરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે: કોંગ્રેસ

author img

By

Published : Aug 19, 2021, 7:07 PM IST

મનસુખ માંડવિયાના નિવેદનથી પાટીદાર સમાજને ઉશ્કેરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે: કોંગ્રેસ

રાજકોટ ખાતે કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવિયા પાટીદારને લઈને કરેલા નિવેદન પછી રાજકારણ ગરમાયું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી મહામંત્રી હિમાંશુ પટેલે આ નિવેદનનો વિરોધ કરતા કહ્યું, આ પ્રકારના નિવેદનથી પાટીદાર સમાજને ઉશ્કેરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. તેમણે કહ્યું, મનસુખભાઈ મદારીના ખેલની જેમ જ્યાં જાય ત્યાં બોલ્યા કરે છે.

  • મનસુખ માંડવીયાના નિવેદન સામે વિરોધ
  • કોંગ્રેસ પ્રવકતા હિમાંશુ પટેલનું નિવેદન
  • પાટીદાર સમાજને ઉશ્કેરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે

ગાંધીનગર : રાજકોટમાં કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવિયાની આગેવાનીમાં ભાજપની જનયાત્રા શરુ થઈ છે. ત્યારે તેમનું રાજકોટમાં ભવ્ય સ્વાગત કરાયું હતું જ્યાં તેમને પોતાની સ્પીચ આપતા કહ્યું હતું કે, પાટીદાર એટલે ભાજપ, મોદીએ સમાજને મહત્વ આપ્યું છે. આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે.
સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી કેમ કરાયું
મનસુખ માંડવિયાના નિવેદન સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી મહામંત્રી હિમાંશુ પટેલે મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું કે, હું પાટીદાર છું મે ક્યારેય નથી કહ્યું હું પાટીદાર છું. અમે પાટીદાર છીએ અને તમે પાટીદાર હોવ અને વોટ બેન્કના ઠેકેદાર હોવ તો ગાંધીનગર સરદાર પટેલ સંકુલનું નામ સ્વર્ણિમ સંકુલ કેમ કરવામાં આવ્યું, સરદાર પટેલ એરપોર્ટનું નામ અદાણી કેમ કરાયું, સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી કેમ કરાયું, આમ તેમણે પાટીદારના કહેવાયેલા નિવેદન સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.

પાટીદાર એટલે ભાજપ, મોદીએ સમાજને મહત્વ આપ્યું છે. આ નિવેદનથી રાજકારણ ગરમાયું
મનસુખ માંડવિયાને જાહેરમાં ચર્ચા કરવા માટે પડકાર ફેંક્યોવધુમાં તેમણે કહ્યું, પાટીદાર અનામત આંદોલન વખતે તમે 14 પાટીદારને ગોળીએ કેમ દીધા, જીએમડીસીમાં લાઠીચાર્જ કેમ કરાયો આ બધા સવાલો પણ તેમણે મીડિયામાં મનસુખભાઇના આ નિવેદન સામે ઉઠાવ્યાં હતા. આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે, બીજેપીની જ વાત કરવામાં આવે તો જીતુભાઈની જગ્યાએ પ્રદેશ પ્રમુખ તરીકે કેમ સી.આર.ને બનાવ્યા, કેમ નીતિન પટેલના ઘરે પેંડા વહેંચાઈ ગયા હતા અને પાટીદાર સમાજમાં પણ હરખ ફેલાઇ ગયો હતો ત્યારે તમે વિજયભાઇ રૂપાણીનું નામ જાહેર કર્યું. તમામ સમાજ આજે જાગૃત થયા છે, તમે તમામને મૂર્ખ બનાવ્યાં છે. આ તમામ સવાલો સાથે તેમણે મનસુખ માંડવિયાને જાહેરમાં ચર્ચા કરવા માટે પણ પડકાર ફેંક્યો હતો. આ પણ વાંચોઃ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ પ્રમુખ કારોબારી બેઠકમાં સંકલનનો અભાવ, કોઈએ માસ્ક પણ પહેર્યા નહોતાં

આ પણ વાંચોઃ મનસુખ માંડવિયાની જન આશીર્વાદ યાત્રા, પાટીદારો સાથે યોજી બેઠક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.