Indian Students Stranded In Ukraine: યુક્રેનથી પરત ફરેલા ગુજરાતી વિદ્યાર્થીએ કહ્યું - યુક્રેની સેના દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને બંદૂકથી મારવામાં આવે છે

author img

By

Published : Mar 5, 2022, 4:39 PM IST

Indian Students Stranded In Ukraine: યુક્રેનથી પરત ફરેલા ગુજરાતી વિદ્યાર્થીએ કહ્યું - યુક્રેની સેના દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને બંદૂકથી મારવામાં આવે છે

યુક્રેનથી સ્વદેશ પરત ફરિવારે વિદ્યાર્થીએ કહ્યું હતું કે યુક્રેની સેના દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને બંદૂકથી મારવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે યુક્રેની સેના દ્વારા ભારતીય વિદ્યાર્થીઓ (Indian Students Stranded In Ukraine) સાથે ખરાબ વ્યવાહર કરવામાં આવ્યો છે.

ગાંધીનગર: રશિયા અને યુક્રેન (Russia Ukraine War 2022) વચ્ચે અત્યારે યુદ્ધ થઈ રહ્યું છે. રશિયા દ્વારા યુક્રેનમાં હવે જાહેર સ્થળો ઉપર પણ મિસાઈલ અને બોમ્બમારો (Russia Ukraine Crisis) કરવામાં આવી રહ્યો છે. ત્યારે યુક્રેનમાં ફસાયેલા વધુ 137 વિદ્યાર્થીઓ આજે દિલ્હીથી ગુજરાત (operation ganga ukraine) પરત ફર્યા હતા, જેમાં ગાંધીનગર સર્કિટ હાઉસ (gandhinagar circuit house) ખાતે રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. Etv Bharat સાથે Ukraineથી પરત ફરેલા વિદ્યાર્થી શુભમે વાતચીત કરતા જણાવ્યું હતું કે, યુક્રેનની સેના અત્યારે ભારતીય વિદ્યાર્થીઓ પર બંદૂક (indian student shot in ukraine)થી પ્રહાર કરી રહી છે.

યુક્રેનમાં ફસાયેલા વધુ 137 વિદ્યાર્થીઓ આજે દિલ્હીથી ગુજરાત પરત ફર્યા.

યુક્રેનના સૈનિકોએ ભારતીય વિદ્યાર્થીઓ સાથે ખરાબ વ્યવહાર કર્યો

યુક્રેનથી પરત ફરી રહેલા રાજકોટના વિદ્યાર્થી શુભમે Etv Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યારે યુક્રેનનો જે વેસ્ટર્ન ભાગ છે તે સંપૂર્ણ સુરક્ષિત છે. પરંતુ ત્યાં યુદ્ધ (russia invade ukraine)ના લીધે તમામ લોકોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે અને એલર્ટ મોડ ઉપર છે. પરંતુ ઇસ્ટર્ન ભાગમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે અને ત્યાં ભારતના 700 લોકો હજુ પણ ફસાયેલા છે. જ્યારે અમે બોર્ડર ક્રોસ કરી રહ્યા હતા ત્યારે યુક્રેનના સૈનિકોએ ભારતીય વિદ્યાર્થીઓ સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો અને અનેક વિદ્યાર્થીઓને બંદૂકથી માર્યા પણ છે, જેમાં મને પણ બંદૂકથી માર મારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Operation Ganga Ukraine: યુક્રેનથી સુરત આવેલા વિદ્યાર્થીઓએ વર્ણવી આપવીતી, યુક્રેનિયન આર્મીએ કર્યો હતો ખરાબ વ્યવહાર

કીવ સિટી બાજુ જે ફસાયા છે તેમની હાલત ગંભીર

શુભમે વધુમાં જણાવ્યું હતું કે, યુક્રેનની કીવ સિટી (ukraine kiev city)ની આસપાસ જે લોકો ફસાયા (Indian Students Stranded In Ukraine) છે તેમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેઓ બંકરમાં જ અત્યારે રહી રહ્યા છે અને ખાવાપીવાની કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી. આમ દિવસેને દિવસે તેમની પરિસ્થિતિ વધુ વિકટ બનતી જઈ રહી છે.

આ પણ વાંચો: Special flight from Government of India: યુક્રેનથી આવેલા વિદ્યાર્થીઓને એરપોર્ટ અને પોતાના નિવાસસ્થાને ભાજપ પ્રદેશ પ્રમુખ મળ્યા

ઓપરેશન ગંગા હેઠળ આવ્યા ગુજરાત

કેન્દ્ર સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સ્વદેશ લાવવા માટે ઓપરેશન ગંગા જાહેર કરવામાં આવ્યું છે, જેમાં એરફોર્સની મદદથી તમામ વિદ્યાર્થીઓને અત્યારે રેસ્ક્યુ (indian students rescued from ukraine) કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે ગુજરાતના 137 વિદ્યાર્થીઓ દિલ્હી આવ્યા હતા અને આજે વહેલી સવારે તેઓ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે, જ્યારે હજુ પણ 700 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. આજે પરત આવેલા વિદ્યાર્થીઓ મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના હતા, જ્યારે ગણતરીના વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર ઝોન બાજુના હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.