અતિવૃષ્ટિથી પાકને નુકસાન, રાજ્ય સરકાર આ 3 જિલ્લા માટે હેક્ટર દીઠ 20 હજારની સહાયની જાહેરાત કરશે

author img

By

Published : Sep 24, 2021, 7:33 PM IST

રાજ્ય સરકાર આ 3 જિલ્લા માટે હેક્ટર દીઠ 20 હજારની સહાયની જાહેરાત કરશે

આ વર્ષે ભારે વરસાદના કારણે રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં પાકને ભારે નુકસાન થયું હતું. સાથે સાથે ખેતરોનું પણ ધોવાણ થયું હતું. આ કારણે રાજ્ય સરકાર પાક અને ખેતરોને થયેલા નુકસાનને માટે સહાયમાં વધારો કરી શકે છે. રાજ્ય સરકાર હેક્ટરદીઠ 20 હજાર રૂપિયા આપવા પર વિચારણા કરી રહી છે. આ વિશે મહેસૂલ પ્રધાન, કૃષિ પ્રધાન અને નાણા પ્રધાને બેઠક કરી હતી અને તેનો રિપોર્ટ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યો છે.

  • રાજ્ય સરકારે અતિવૃષ્ટિ બાબતે બેઠકો પૂર્ણ કરી
  • હેક્ટર દીઠ સહાયમાં વધારો કરવામાં આવશે
  • મહેસૂલપ્રધાન, કૃષિપ્રધાન અને નાણા પ્રધાન વચ્ચે યોજાઈ બેઠક
  • બેઠકનો રિપોર્ટ સીએમ ભુપેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યો

ગાંધીનગર: રાજ્યના 3 જિલ્લાઓ કે જેમાં ભારેથી અતિભારે વરસાદ પડવાથી ઊભા થયેલા પાકને નુકસાન થયું છે અને ખેતરોમાં પણ ધોવાણ થયું છે. અતિવૃષ્ટિના કારણે ખેતરોમાં થયેલા નુકસાનને લઇને રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લા માટે કેબિનેટ બેઠકમાં સહાયમાં વધારો કરવામાં આવ્યો હતો. હજુ જમીન સર્વે બાકી હોવાની વિગતો પણ રાજ્યના કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીએ કેબિનેટ બેઠક બાદની પત્રકાર પરિષદમાં જણાવી હતી. ગુરુવારે મહેસૂલ પ્રધાન, કૃષિ પ્રધાન અને નાણા પ્રધાનની સર્વેની કામગીરી અને સર્વે બાદ સહાય ચુકવણીની બેઠક યોજાઇ હતી. આ બેઠકનો રિપોર્ટ આજે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યો છે.

સહાયમાં વધારો કરવામાં આવશે

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં જે રીતે ખેતરમાં ઉભેલા પાકને ભારે નુકસાન થયું છે તથા જમીન ધોવાણ થયું છે તે મામલે રાજ્ય સરકાર ખેડૂતોને વીઘાદીઠ 20 હજારની સહાય ચૂકવણી કરશે તેવી વિચારણા કરવામાં આવી રહી છે. અગાઉ પાક નુકસાની માટે 6800 રૂપિયા ચૂકવવામાં આવતા હતા, જે એસડીઆરએફના ધારાધોરણ પ્રમાણે ચૂકવાય છે. તો હવે રાજ્યમાં નવનિયુક્ત ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા 3 જિલ્લામાં સહાયમાં વધારો કરાય તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.

વિધાનસભા સત્ર બાદ થશે નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા નિર્ણયની જાહેરાત સત્તાવાર રીતે વિધાનસભા સત્ર બાદ અથવા તો વિધાનસભા ગૃહની અંદર થઈ શકે તેવી શક્યતાઓ છે. આમ ટૂંક જ સમયમાં ગુજરાત રાજ્યના 3 જિલ્લા અને જ્યાં અતિવૃષ્ટિથી ભારે નુકસાન પામ્યુ છે તેવા જિલ્લાઓની સહાયમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

અંતિમ નિર્ણય સીએમ ભુપેન્દ્ર પટેલના શિરે

સરકારના નિર્ણયની વાત કરવામાં આવે તો 3 પ્રધાનોએ બેઠક યોજીને તમામ પ્રકારની ચર્ચાઓ અને વિગતો સાથેનો રિપોર્ટ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ને સોંપ્યો છે, ત્યારે સહાય વધારો કેટલો આપવો, કેવી રીતે આપવો અને સહાયની ચૂકવણી ક્યારે થશે તે તમામ અંતિમ નિર્ણય રાજ્યના મુખ્યપ્રધાન પટેલના દ્વારા લેવામાં આવશે.

કઈ સહાયમાં વધારો કરવામાં આવ્યો

22 સપ્ટેમ્બરના રોજ ઘરવખરી સહાયમાં 3200નો વધારો કરીને હવે પરિવાર દીઠ 7000 રૂપિયાની સહાય આપવામાં આવશે. વરસાદથી નાશ પામેલા ઝુંપડાના કિસ્સામાં 5900 વધારો કરીને હવે ઝુંપડા દીઠ 10,000ની સહાય ચૂકવવામાં આવશે. અંશત નુકસાન પામેલા પાકા મકાનોની સહાય પેટે હવે 15,000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે. અંશત નુકસાન પામેલા કાચા મકાનોની સહાયમાં 6800નો વધારો કરવામાં આવ્યો છે. દૂધાળા મોટા પશુઓની મૃત્યુ સહાયમાં હવે 5 પશુ દીઠ રૂપિયા 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, પહેલા 3 પશુ દીઠ 30,000ની સહાય આપવામાં આવતી હતી. ઘેટા-બકરાં જેવાં દૂધાળા નાના પશુઓના મૃત્યુના કિસ્સામાં પશુ દીઠ રૂપિયા 50,000ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

વધુ વાંચો: જામનગરના જોડિયા તાલુકામાં 7.5 ઈંચ વરસાદ, શહેરમાં પણ ભારે મેઘસાવરી

વધુ વાંચો: બનાસકાંઠા જિલ્લામાં પાછોતરા વરસાદથી ખેડૂતોને પાકમાં નુકસાન, ડીસામાં મગફળીના પાકમાં સૌથી વધુ નુકસાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.