Gujarat Cabinet Meeting : માછીમારો માટે રાહત રકમ વધારી, રસ્તાઓ માટે રૂા.1494.21 કરોડના કામો મંજૂર

author img

By

Published : Dec 7, 2021, 8:57 PM IST

Gujarat Cabinet Meeting : માછીમારો માટે રાહત રકમ વધારી, રસ્તાઓ માટે રૂા.1494.21 કરોડના કામો મંજૂર

મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં રાજ્યના પ્રધાનો સાથે કેબિનેટ બેઠક (Gujarat Cabinet Meeting) ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે યોજવામાં આવી હતી. રાજ્યમાં માર્ગ વિકાસ માર્ગ નિર્માણની (Road Development and Repairs in Gujarat) સુવિધાઓ માટે રૂ. 1449.21 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વાયબ્રન્ટ સમિટ, મુખ્યપ્રધાનનો દુબઈ પ્રવાસ, અત્યાર સુધી થયેલા એમઓયુમાં થયેલા પ્રોજેક્ટ, માછીમારોને થયેલા નુકશાન પેટે વળતર (Increased relief for fishermen) વગેરે બાબતોએ ચર્ચા કરવામાં આવી હતી અને કેટલાક નિર્ણય લેવામાં આવ્યા હતાં. આ સાથે પ્રવક્તાપ્રધાને ગ્રામ પંચાયત ચૂંટણીઓમાં સમરસ પંચાયતો વિશે વિગતો આપી હતી.

  • કેબિનેટ બેઠકમાં મહત્ત્વના મુદ્દાઓ પર થઈ ચર્ચા
  • માછીમારોને રાહત પેકેજનો લાભ અપાશે
  • આવતી કાલે વાયબ્રન્ટને લઈને મુખ્યપ્રધાન દુબઈ જશે
  • પંચાયત હસ્તકના રૂા.426.63 કરોડના કામોને મજૂરી અપાઈ

ગાંધીનગર : Gujarat Cabinet Meeting માં લેવાયેલા મહત્ત્વના નિર્ણય પૈકી મુખ્યપ્રધાન રાહત ફંડમાંથી સહાય (CM Relief Fund) મંજૂર કરવા આવક મર્યાદા રૂ. 1 લાખથી વધારી રૂ. 4 લાખ કરવાનો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત તાજેતરમાં અરબી સમુદ્રમાં 1 ડિસેમ્બરના મધ્યરાત્રિએ દરિયા કિનારાના ભાગોમાં થયેલા નુકશાન પેટે પણ વળતર 25 કરોડનું નુકશાન થયેલું છે જેમાં અલગ અલગ નુકશાન સહાય પેકેજ (Increased relief for fishermen) આજે જાહેર કર્યું હતું. આ સાથે પ્રવક્તાપ્રધાને ગ્રામ પંચાયત ચૂંટણીઓમાં સમરસ પંચાયતો વિશે વિગતો આપી હતી.

1494.21 કરોડના કામોને મંજૂરી અપાઇ

ગુજરાત સરકારના પ્રવક્તા રાજેન્દ્ર ત્રિવેદીએ ઉમેર્યુ કે, રાજ્યના માર્ગ વિકાસ ક્ષેત્રે (Road Development and Repairs in Gujarat) વધુને વધુ વિકાસ કામો હાથ ધરીને જનસુખાકારી પુરી પાડવા માટે આજે રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં (Gujarat Cabinet Meeting) રૂા. 1494.21 કરોડના કામોને મંજૂરી આપી છે જેમાં પંચાયત હસ્તકના રૂા.426.63 કરોડના જોબ નંબર, કોઝ વે માટે રૂા..460.60 કરોડ, પરા જોડાણ માટે રૂા.434.24 કરોડના કામો તથા રાજ્ય રસ્તા, વાઇડનીંગ, રોડ રીસરફેસીંગ માટે રૂા.472.74 કરોડના કામોની મંજુરી આપવામાં આવી છે.

દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાના કારણે 25 કરોડનું નુકશાન થયું

તાજેતરમાં અરબી સમુદ્રમાં 1 ડિસેમ્બરના મધ્યરાત્રિએ દ. ગુજરાત રાજ્યના અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાના કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે નુકશાન થયું છે. હાલમાં ગુજરાત રાજયમાં માછીમારી વ્યવસાયમાં 17557 નાની બોટો તથા 12159 મોટી બોટ મળી કુલ 29716 બોટો સંકળાયેલ છે. આ બોટો પૈકી 4 નાની બોટોને તથા 46 મોટી બોટોને આંશિક નુકશાન થયું . આમ કુલ 50 બોટોને તેમજ માછીમારી જાળ, અન્ય સાધન સામગ્રીને અંદાજે રૂ .25 કરોડનું નુકશાન થયું છે. જેમને આ રાહત પેકેજનો (Increased relief for fishermen) લાભ આપવા સરકાર દ્વારા સંવેદનશીલ નિર્ણય (Gujarat Cabinet Meeting) લેવામાં આવેલો છે.

આ રીતે સહાય અપાશે

બોટ જાળ, સાધન સામગ્રીને થયેલ નુકશાન સામે સહાય પેટે થયેલા નુકશાનના 50 ટકા અથવા રૂ . 35,000- સુધી સહાય બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે. અશંત નુકશાન પામેલ ટ્રોલર, ડોલનેટર, ગીલનેટર બોટના કિસ્સામાં તેની નુકશાની અંદાજના 50 ટકા અથવા રૂ. 2.00 લાખ બેમાંથી જે ઓછુ હોય તે ઉચ્ચક સહાય (Increased relief for fishermen) મળવાપાત્ર થશે, નાની બોટના કિસ્સામાં તેની નુકશાની અંદાજના 50 ટકા અથવા રૂ . 35000 બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે. પૂર્ણ નુકશાન પામેલ નાની બોટમાં 50 ટકા અથવા રૂ . 75 હજાર, પૂર્ણ નુકશાન પામેલ ટ્રોલર, ડોલનેટર ગીલનેટર બોટના કિસ્સામાં તેની નુકશાની અંદાજના 50 ટકા અથવા રૂ . 5 લાખ બેમાંથી જે ઓછુ હોય તે ઉચ્ચક સહાય મળવાપાત્ર થશે. તેમ અલગ અલગ નુકશાની પેટે ચૂકવાશે.

મુખ્યપ્રધાન રાહત ફંડમાંથી સહાય મંજૂર રૂ. 1 લાખ હતી તે વધારીને રૂ. 4 લાખ કરાઈ

તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યની માન્ય હોસ્પિટલ અને માન્ય રોગ માટે મુખ્યપ્રધાન રાહત ફંડમાંથી (CM Relief Fund) સહાય મંજૂર કરવા આવક મર્યાદા જે વર્ષ 2001માં રૂ. 1 લાખ હતી તે વધારીને રૂ. 4 લાખ કરવાનો સંવેદનશીલ નિર્ણય મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના મહતમ લોકો મુખ્યપ્રધાન રાહત ફંડમાંથી સહાયનો લાભ (Gujarat Cabinet Meeting) લઈ શકશે.

જમીન ફાળવવાનો મહત્વનો નિર્ણય કરાયો

પ્રવક્તાપ્રધાને કહ્યું હતું કે, ગુજરાતમાં જાહેર હેતુસરના કામો અન્વયે કુલ 12,37,421.19 ચો.મી. જમીન ફાળવવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. જેમાં BSF, DFCCI, GETCO, GIDC, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, આરોગ્ય, શિક્ષણ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, જિલ્લા કચેરી બાંધકામ તથા અન્ય જાહેર હેતુસરના પ્રોજેક્ટ માટે જમીન ફાળવવામાં આવશે (Gujarat Cabinet Meeting) તેમ તેમણે ઉમેર્યુ હતું.

3 કિલો ચોખા અને બે કિલો ઘઉં આપવાનો નિર્ણય કરાયો

દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓમાં ધાન્ય માટે વર્ષોથી ખાસ કરીને ચોખાનું ચલણ વધારે છે. ભારત સરકારના ધારાધોરણ મુજબ અગ્રતા ધરાવતા કુટુંબોને પ્રતિમાસ વ્યક્તિદીઠ 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખાનું વિતરણ કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ચોખા વધુ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે હવે 3.5 કિલો ઘઉંની જગ્યાએ 1.5 કિલો ચોખાનો વધારો કરીને કુલ 3 કિલો ચોખા અને બે કિલો ઘઉં આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરાયો છે. આ નિર્ણય થકી દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના લોકોને તેની જરૂરિયાત મુજબ ધાન્ય પ્રાપ્ત થશે અને પારદર્શિતા વધશે તેમ (Gujarat Cabinet Meeting) વધુ વિગતો આપતા ઉમેર્યું હતું.

મુખ્યપ્રધાન આવતીકાલે દુબઈ જશે

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં નામાંકિત ઉદ્યોગપતિઓનું એક ઉચ્ચકક્ષાનું ડેલિગેશન VGGS 2022 ને લઇને આવતીકાલે તા. 8 અને 9 ડિસેમ્બરના રોજ દુબઇ (CM Bhupendra Patel in Dubai) જશે. આ ડેલિગેશન ઊર્જા, એન્જીનિયરિંગ, હોસ્પિટાલિટી, આરોગ્ય, લોજીસ્ટિક્સ , ફાઇનાન્સિયલ ટેકનોલોજીનું તથા સેવાક્ષેત્રમાં પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ-કંપનીઓ સાથે વન ટુ વન વિચાર વિમર્શ કરશે. 2003થી અત્યાર સુધીમાં યોજાયેલ 9 સમિટમાં કુલ એમ.ઓ.યુ. પૈકી 64.35 ટકા પ્રોજેક્ટ કાર્યાન્વિત થયા છે. જ્યારે 6.26 ટકા પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે. એટલે કે કુલ 70.61 ટકા પ્રોજેક્ટ સફળ થયા છે.

આ પણ વાંચોઃ Har Ghar Jal Scheme Gujarat: 12 હજારથી વધુ ગામોમાં નળ જોડાણની 100 ટકા કામગીરી પૂર્ણ

આ પણ વાંચોઃ Gujarat Police Physical Test : LRD અને PSIની મોકૂફ રહેલી ફિઝિકલ ટેસ્ટ 12મીએ થશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.