Corona cases in Gujarat: 24 કલાકમાં રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, સામે કેટલા આવ્યા પોઝિટિવ કેસો

author img

By

Published : Jun 24, 2022, 10:50 PM IST

Corona cases in Gujarat: 24 કલાકમાં રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, સામે કેટલા આવ્યા પોઝિટિવ કેસો

ગુજરાતમાં કોરોનના કેસો(Corona cases in Gujarat) સતત વધતા નજરે ચડે છે. જ્યારે લોકો વધુ આરામદાયક અને કેરલેસ(Careless People for Corona) થઇ ચુક્યા છે. તદુપરાંત લોકો કોરોના કાળ દરમિયાન જે સમયમાંથી પસાર થયા હતા એ સમય હવે તેમને યાદ રહ્યો નથી. ચાલો જાણીયે ક્યાં અને કેટલા કેસીસ ગુજરાતના જિલ્લાઓમાં(Corona Cases Surge in Gujarat) છે. આ સાથે આ તમામ પરિસ્થિતિ પાછળ ક્યાં ક્યાં કારણો જાવાબદાર હોઈ શકે.

ગાંધીનગર: રાજ્યમાં કોરોના કેસમાં હવે ધીમે ધીમે રોજ 20 થી 30 કેસનો વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 380 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આમ ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 2,098 થયા છે, પરંતુ વેન્ટિલેટર ઉપર 03 દર્દીને રાખવામાં આવ્યા છે. જ્યારે 2095 દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. જ્યારે અત્યારસુધીમાં 10,946 મૃત્યુ નોંધાયા છે. આજે 209 દર્દીઓએ રજા આપવામાં આવી હતી. ઉપરાંત આજે એક પણ દર્દીનું કોરોનાને કારણે મૃત્યુ નોંધાયું નથી.

ક્યાં કોર્પોરેશનમાં કેટલા કેસ નોંધાયા
ક્યાં કોર્પોરેશનમાં કેટલા કેસ નોંધાયા

આ પણ વાંચો: Ahmedabad Corona Case : સાવધાન..! AMCએ ત્રીજો બુસ્ટર ડોઝ લેવા કરી અપીલ

આજે 59,584 રસીકરણ થયું - કોરોના સામે રસીકરણ પણ બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે ત્યારે આજે 24 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં કુલ 59,584 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રિકોશન ડોઝમાં(Corona Precaution Doses) 30,303. 12 થી 14 વર્ષના પ્રથમ ડોઝમાં 5212 બીજા ડોઝમાં 8148 સહિત સમગ્ર રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 11,11,63,270 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 380 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 380 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

આ પણ વાંચો: Corona Cases Rises in Surat : આરોગ્યતંત્રમાં ધમધમાટ, અધિકારીઓ અને તબીબોએ કરી આ તૈયારીઓ

માસ્ક કલ્ચર પણ અદૃશ્ય - અત્યારે વિશ્વભરમાં કોરોના કેસની શક્યતા ઓછી છે. ગુજરાતમાં કોરોના દર્દીઓની સાથે સાથે કોરોનાના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે, જે વૈશ્વિક સ્તરે વધી રહ્યો છે. કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે, છતાં આ સમયે નિયંત્રણની શક્યતા ઓછી છે. વધુમાં, બૂસ્ટર ડોઝ(Booster Dose Vaccination) માટે રસીકરણ બિનઅસરકારક છે, અગાઉની જેમ. તે જ સમયગાળામાં માસ્ક પણ અદૃશ્ય થઈ રહી હોવાનું જણાય છે. પ્રવાસીઓ માટે(Currently Tourist Guideline), જોકે, તે નિયમ હતો. હવે આવા સલામતી પગલાં ફરજિયાત નથી. તે એક વાહિયાત પરિસ્થિતિમાં પરિણમે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.