Cataract Blindness Free Gujarat : રાજ્યના લોકોની દ્રષ્ટિ કેવી છે? કોરોનાકાળમાં થયાં અધધ ઓપરેશન્સ

author img

By

Published : May 6, 2022, 7:03 PM IST

Cataract Blindness Free Gujarat : રાજ્યના લોકોની દ્રષ્ટિ કેવી છે? કોરોનાકાળમાં થયાં અધધ ઓપરેશન્સ

સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડીયા કોલોની ખાતે સેન્ટ્ર્લ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરની 14મી બેઠક અંતર્ગત ત્રિદિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિરનો (Swasthya Chintan Shibir at Kevadia 2022) બીજો દિવસ છે. જ્યાં ગુજરાતના મોતીયા અંધત્વમુક્ત (Cataract Blindness Free Gujarat)ગુજરાતને અનુલક્ષી મોટા સમાચાર મળ્યાં હતાં.

નર્મદા : સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડીયા કોલોની ખાતે સેન્ટ્ર્લ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરની 14મી બેઠક (14th meeting of the Central Council of Health and Family Welfare)અંતર્ગત ત્રિદિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિર (Swasthya Chintan Shibir at Kevadia 2022)યોજાઇ છે. જેના બીજા દિવસે આરોગ્ય બેસ્ટ પ્રેક્ટીસ સેશનમાં 'મોતીયા અંધત્વમુક્ત ગુજરાત' ઝૂંબેશની કામગીરીને (Cataract Blindness Free Gujarat)આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે (Health Minister Hrishikesh Patel) રજૂ કરી હતી. ગુજરાત સહિત 5 રાજ્યોએ આરોગ્ય બેસ્ટ પ્રેક્ટિસીસ સેશનમાં રાજ્યની આરોગ્ય કામગીરીનો ચિતાર રજૂ કર્યો છે.

મોતીયા અંધત્વ મુક્ત ગુજરાત - ગુજરાતમાં 10 વર્ષમાં 73 લાખ જેમાં કોરોનાની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે 10 લાખ જેટલા મોતીયાના સફળ ઓપરેશન (10 lakh cataract operations in Gujarat during Corona period)કરવામાં આવ્યાં છે. ભારતમાં મોતીયાનું ભારણ 50 થી 60 ટકા છે એવામાં ગુજરાતમાં 36 ટકાનું પ્રમાણ છે. ઋષિકેશ પટેલે જણાવ્યું કે મોતીયા અંધત્વમુક્ત ગુજરાત ઝૂંબેશના (Cataract Blindness Free Gujarat)પરિણામે દ્રષ્ટિ ખામીને મહદ્અંશે દૂર કરવાનો સેવાયજ્ઞ આદરવામાં આવ્યો છે. તેમણે આ સેશનમાં રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ હેઠળની મોતીયા અંધત્વ મુક્ત ગુજરાત ઝુંબેશની કામગીરીનો સમગ્ર ચિતાર કોન્ફરન્સમાં રજૂ કર્યો હતો.

ગુજરાત સહિત 5 રાજ્યોએ આરોગ્ય બેસ્ટ પ્રેક્ટિસીસ સેશનમાં રાજ્યની આરોગ્ય કામગીરીનો ચિતાર રજૂ કર્યો
ગુજરાત સહિત 5 રાજ્યોએ આરોગ્ય બેસ્ટ પ્રેક્ટિસીસ સેશનમાં રાજ્યની આરોગ્ય કામગીરીનો ચિતાર રજૂ કર્યો

આ પણ વાંચોઃ Swasthya Chintan Shibir at Kevadia : ટેન્ટ સિટી 2માં કેન્દ્રીય આરોગ્યપ્રધાને શરુ કરાવી એ શિબિરમાં શેની ચર્ચા છે જાણો

અભિયાન સંદર્ભની ફિલ્મ દર્શાવાઇ -આ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા 'મોતીયા અંધત્વમુક્ત ગુજરાત' (Cataract Blindness Free Gujarat)અભિયાન સંદર્ભે બનાવવામાં આવેલી ફિલ્મ કોન્ફરન્સ હૉલમાં રજૂ કરવામાં આવી હતી જે લોકો માટે માહિતીનું કેન્દ્ર બની રહી હતી. ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ કાર્યક્રમ હેઠળ તમામ પ્રવૃતિઓમાં લક્ષ્યાંક સિદ્ધ કરીને ગુજરાત રાજ્યે દેશના સર્વોચ્ય ત્રણ રાજ્યોમાં પોતાનું સ્થાન છેલ્લા દાયકામાં નિયત કર્યું છે.

અત્યાધુનિક તકનિકી ઉપકરણો સાથેના ઓપરેશન થિયેટર -રાજ્ય દ્વારા દ્રષ્ટિ સારવાર માટે અત્યાધુનિક તકનિકી ઉપકરણો સાથેના ઓપરેશન થિયેટર, ઓ.પી.ડી. વિભાગ જેવા ખાસ માળખાકીય સુવિધાઓ તેમજ નિષ્ણાત તબીબોનું માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. ઋષિકેશ પટેલેવિશેષમાં ઉમેર્યું કે વર્ષ 2014થી અત્યંત આધુનિક એવા હાઇડ્રોફોબિક ઇન્ટ્રા ઓક્યુલર લેન્સ દ્વારા દર્દીઓને વિનામૂલ્યે મોતીયાના ઓપરેશનમાં (Cataract Blindness Free Gujarat)મૂકવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ખાનગી સંસ્થાઓમાં આ પ્રકારના ઓપરેશનનો અંદાજીત ખર્ચ 50,000થી 70,000 જેવો થતો હોય છે.

આ પણ વાંચોઃ Swashtya Chintan Shibir in Kevadia : દેશની મહત્ત્વની કઇ બાબત વિશે તમામ રાજ્યના આરોગ્યપ્રધાનો રોડમેપ બનાવશે?

પીએચસી ઓપરેટીંગ સેન્ટર સાથે જોડાયા- મોતીયા અંધત્વમુક્ત ગુજરાત (Cataract Blindness Free Gujarat)કાર્યક્રમ અંતર્ગત રાજ્યના તમામ ગ્રામ્ય સ્તરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ઓપરેટીંગ સેન્ટર સાથે જોડીને દર્દીઓને ઘરઆંગણે જ માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ સેશનમાં આરોગ્યપ્રધાને ગુજરાત રાજ્યમાં મોતીયા ક્ષેત્રે સેવાભાવી કામગીરી કરનારા ડૉ. રમણીક દોશી અને ડૉ. ભાનુશંકર અધ્વર્યુની કામગીરીને બિરદાવીને લોકો સમક્ષ મૂકી હતી.

અન્ય રાજ્યોએ શું કર્યું પ્રેઝન્ટેશન -ઉલ્લેખનીય છે કે (Swasthya Chintan Shibir at Kevadia 2022) બેસ્ટ પ્રેક્ટિસીસ સેશનમાં મેઘાલય દ્વારા મધર સેવીંગ લાઇવ્સ ,મહારાષ્ટ્ર દ્વારા સ્વસ્થ પાલક, સ્વસ્થ બાલક, અરૂણાચલ પ્રદેશ દ્વારા અંધત્વમુક્ત અભિયાન સંદર્ભે, દિલ્હી દ્વારા હોમ આઇસોલેશન સર્વિસ ફોર કોવિડ-૧૯ પેશન્ટ, ઉત્તર પ્રદેશ દ્વારા સંચારી રોગ અભિયાન સંદર્ભે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતુ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.