કેબિનેટ બેઠકમાં જીતુ વાધાણીએ શું જણાવ્યું જાણો...

author img

By

Published : Nov 10, 2021, 4:20 PM IST

Updated : Nov 10, 2021, 8:42 PM IST

કેબિનેટ બેઠકમાં જીતુ વાધાણીએ શું જણાવ્યું તે બાબતે જાણો...

શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી (education minister jitu vaghani )એ આજે કેબિનેટ બેઠકમાં જણાવ્યું હતું કે, શ્રમ અને રોજગાર વિભાગનું નામ અલગ શ્રમ કૌશલ્યમ અને રોજગાર વિભાગ રહેશે. જેમાં 30 વર્ષથી ઉપરના રાજ્યના 3 કરોડથી વધુ લોકો છે જેમનું સ્ક્રીનિંગ શરૂ કરાશે. કેટલાક રોગો સામે અવરનેસના ભાગરૂપે થઈ રહેલા મૃત્યુને રોકવા આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.

  • શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગ તરીકે નવું નામ અપાયું
  • હેલ્થ અવેરનેસ માટે નિરામઇ યોજના થશે શરૂ
  • આ વખતે 3225 ક્વિન્ટલ જેટલી મગફળીની ખરીદી કરાઈ

ગાંધીનગર : આજની કેબિનેટમાં શ્રમ અને રોજગાર વિભાગને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે, આ ઉપરાંત કચ્છની જમીન માપણી, રોજગાર ગ્રામ યાત્રા વગેરેને લઈને પણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી (education minister jitu vaghani)એ લેવાયેલા આ નિર્ણયો અંગે સ્પષ્ટતા કરી હતી.

કેબિનેટ બેઠકમાં જીતુ વાધાણીએ શું જણાવ્યું જાણો...

શ્રમ અને રોજગાર વિભાગનું નામ શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગ કરાયું

જીતુ વાઘાણીએ કહ્યું કે, શ્રમ અને રોજગાર વિભાગ અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે. આજની કેબિનેટમાં રાજ્ય સરકારે શ્રમ અને રોજગાર વિભાગ હવેથી શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગ નક્કી કરવામાં આવ્યું છે. જેનું નોટિફિકેશન બહાર પડાશે.

12 નવેમ્બરથી પાલનપુરથી મુખ્યપ્રધાન તેની શરૂઆત કરાવશે

આરોગ્ય વિભાગ તરફથી નિરામઇ યોજના શરૂ કરાશે. 30 વર્ષથી ઉપરના લોકોનું સ્ક્રીનીંગ દર શુક્રવારે થશે, મમતા દિવસની ઉજવણી થાય એક જગ્યાએ સ્ક્રીનીંગ થશે. ચેપી રોગમાં વધુ મૃત્યુ થાય છે. આ ઉપરાંત કિડની, પાંડુરોગ, ડાયાબિટીસ, હાર્ટ એટેક વગેરે જેવા રોગો સામે સ્ક્રીનીંગ થશે અને ચેકઅપ કરીને કાર્ડ આપવામાં આવશે. તારીખ 12 નવેમ્બરથી પાલનપુરથી મુખ્યપ્રધાન તેની શરૂઆત કરાવશે. આરોગ્ય પ્રધાન મહેસાણા હાજર રહેશે. 41 જગ્યા પર આ કાર્યક્રમ યોજાશે. આ બધા રોગમાં રોજ દવા લેવાથી 12થી 15 હજાર ખર્ચ થાય છે. જે ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. તેવું શિક્ષણ પ્રધાને કહ્યું હતું.

ફૂડ સેફ્ટી ઓન વિલ 5 જેટલી શરૂ થશે, દૂધની ભેળસેળ માટે લેવાશે સેમ્પલ

તેમને વધુમાં કહ્યું કે, આરોગ્ય વિભાગ તરફથી ફૂડ સેફ્ટી ઓન વિલ 5 જેટલી શરૂ થશે. 45 લાખ આ વેનનો ખર્ચ થાય છે. ફૂડ સેમ્પલ વાનમાં જ ચેક થશે. વેપારીઓ ગેરરીતિ કરતા અટકશે. આ વેનમાં ઇન્ફો સ્કેન મીટર મૂકાયુ છે. દૂધની અંદર મિલાવટ કરશે તેના માટે સ્પેશિય ડ્રાઇવ ચલાવશે. અન્ય નવી વેન પણ આગામી સમયમાં મૂકવામાં આવશે.

આત્મનિર્ભર ગ્રામ યાત્રા 18,19 અને 20 નવેમ્બરથી શરુ થશે

આગામી સમયમાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા 18,19 અને 20 નવેમ્બરથી શરુ થશે. આત્મનિર્ભર ગ્રામ યાત્રા શરૂઆત જિલ્લા પંચાયતમાં થશે. 835 જેટલા ખાત મુહૂર્ત કરાશે. મહિલા બાળ વિકાસ, સિંચાઇ સહિતનાં 9 વિભાગો તેમાં જોડાશે. 5503 કામોનું લોકાર્પણ થશે. આત્મ નિર્ભર ગ્રામ યાત્રા આગામી સમયમાં નવી તકો લાવશે. 500 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામો સંકલન થઈને કરવામાં આવશે. જ્યાં પ્રધાનો પણ આ દીવસે હાજર રહેશે. તેવું તેમને જણાવ્યું હતું.

ગત વર્ષ કરતાં મગફળીમાં ઓછું રજીસ્ટ્રેશન થયું

જીતુ વાઘાણીએ વધુમાં કહ્યું કે, મગફળીની ખરીદી 90 દિવસ ચાલશે. ગયા વખત કરતા ઓછું રજીસ્ટ્રેશન થયું છે. MSP પ્રાઈઝ નક્કી કરતા, ખુલ્લા બજારમાં ખેડૂતો વેચી શકે છે તે પ્રકારની સવલતો મળતા ઓછું રજિસ્ટ્રેશન થયુ છે. પોતાની રીતે ખેડૂતો માલ વેચી શકે તેવી વ્યવસ્થા પણ કરાઈ છે. 3225 ક્વિન્ટલ જેટલી મહફળી ખરીદી કરી છે જેમાં 180 કરોડ રૂપિયા રકમ ખેડૂતો માટે ચૂકવી છે. કચ્છની સૌથી મોટી વિધાન સભા છે. 283 જેટલી જમીન માપણી કરાયા બાદ આવતી કાલે હુકમપત્રો આપવામાં આવશે.

આ પણ વાંચો: રાષ્ટ્રપતિ આવશે ગુજરાત : એકતા દિવસની ઉજવણીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ રહેશે હાજર

આ પણ વાંચો: નવા શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના ચાર્જ દરમિયાન પૂર્વ શિક્ષણપ્રધાન ભુપેન્દ્ર ચુડાસમા રહ્યા હાજર

Last Updated :Nov 10, 2021, 8:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.