Rathyatra in Bhavnagar : આ રથયાત્રા ભાવેણાવાસીઓને કરાવશે નિઃશુલ્ક નાસ્તો, કઇ રીતે જાણો

author img

By

Published : Jul 1, 2022, 7:02 PM IST

Rathyatra in Bhavnagar : આ રથયાત્રા ભાવેણાવાસીઓને કરાવશે નિઃશુલ્ક નાસ્તો, કઇ રીતે જાણો

ભાવનગરમાં પણ જગતના નાથ જગન્નાથ (Rathyatra in Bhavnagar) નગરચર્યાએ નીકળ્યાં છે ત્યારે હર્ષમાં આવેલા વેપારીએ દિલ ખોલીને ભાવેણાવાસીઓ માટે નિઃશુલ્ક ઓફર જાહેર કરી છે. આ ઓફર જાહેર કરનાર દુકાનદારે ભગવાનની ભક્તિનો અનોખો રંગ હોવાનું જણાવીને ઓફર જાહેર કરી છે. શું છે ઓફર (Rathyatra Offer) અને ક્યાં સુધી જાણો.

ભાવનગર- રથયાત્રા (Rathyatra in Bhavnagar) જગતના નાથની 1 જુલાઈએ નીકળી છે ત્યારે ભાવનગરમાં એક વ્યવસાયકારીએ પ્રજા માટે અદભુત ઓફર (Rathyatra Offer) મૂકી છે.આ ઓફર રથયાત્રામાં બે દિવસ સુધી ભાવેણાવાસીઓને ઈડલી સાંભરનો (Rathyatra free Idli ) સ્વાદ મફતમાં અપાવી શકે છે. તમે વિચારતા હશો આ કેવી રીતે તો જાણો.

હર્ષમાં આવેલા વેપારીએ દિલ ખોલીને ભાવેણાવાસીઓ માટે નિઃશુલ્ક ઓફર જાહેર કરી

આ પણ વાંચોઃ Jagannath Rath yatra 2022: ભાવનગરમાં જગન્નાથની પહિંદ વિધિ સોનાની સાવરણીથી થઈ

રથયાત્રામાં બે દિવસ મફત ઈડલી સંભારનો મળશે સ્વાદ - જગતનો નાથ ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ (Rathyatra in Bhavnagar)નીકળે છે. જગતના નાથના દર્શન કરવા માટે લોકો તલપાપડ હોય છે. ભાવનગરવાસીઓને આ વર્ષે રથયાત્રા ઈડલી (Rathyatra free Idli ) સંભાર અને મેન્દુવડાંનો મફતમાં સ્વાદ અપાવી શકે તેમ છે. લીલા સર્કલથી સીદસર રોડ પર હોન્ડાના શો રુમ સામે આવેલા ખોડીયાર નાસ્તા ગૃહના માલિક કેતનભાઈ સીસોદીયાએ એક ઓફર (Rathyatra Offer)ભાવેણાવાસીઓ માટે જાહેર કરી છે. પોતાની દુકાને તેમને એક પોસ્ટર લગાવ્યું છે, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થવા લાગ્યું છે.

આ રહી ઓફર
આ રહી ઓફર

આ પણ વાંચોઃ Rathyatra 2022 : ભાવનગરમાં જગન્નાથજીને નગરચર્યાએ લઈ જવામાં મોંઘવારી નડશે, સમિતિને શું તકલીફો પડી જાણો

શું આપશે ગ્રાહકો તો મફત મળશે ઈડલી સંભાર અને ક્યાં સુધી- ઈડલી સંભારની દુકાન ધરાવનાર કેતનભાઈ અને તેમના નાનાભાઈ ચેતનભાઈ છેલ્લા 20 વર્ષથી ઈડલી સંભાર અને મેન્દુવડાની દુકાન ચલાવે છે. કેતનભાઈએ ભગવાન જગન્નાથજીની અદભુત ભક્તિ કરવા અને પ્રજાના આજદિન સુધી મળેલા સહકારના બદલે તેમને પ્રજા માટે આ ઓફર જાહેર કરી છે. ઓફર એવી છે કે જે કોઈ જગન્નાથજીની રથયાત્રામાં (Jagannath Rathyatra 2022 ) સેલ્ફી લઈ આવશે તેને અનલિમિટેડ ઈડલી સંભાર (Rathyatra free Idli ) આપવામાં આવશે. પછી રથયાત્રા ભલે જિલ્લાની પણ હોય. આ ઓફર (Rathyatra Offer)તારીખ 1 અને 2 જુલાઈ સુધી જાહેર કરાઈ છે. પાર્સલ લઈ જનારને 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.