વાહનચાલકો હવે ચેતી જજો : ઇ ચલણને અવગણશો તો લાયસન્સ રદ અને વાહન જપ્ત થશે

author img

By

Published : Sep 7, 2021, 7:41 PM IST

વાહનચાલકો હવે ચેતી જજો : ઇ ચલણને અવગણશો તો લાયસન્સ રદ અને વાહન જપ્ત થશે

ભાવનગર શહેરમાં ટ્રાફિક નિયમન હવે ટેકનોલોજીથી કરાવવામાં આવી રહ્યું છે. CCTV મારફત ટ્રાફિકના નિયમભંગ કરનારને સીધું ઇ ચલણ આવે ત્યારે ખ્યાલ આવશે કે નિયમભંગ કર્યો છે. ઇ ચલણ દિવસ 30માં ભરવાનો રહેશે અને જો અવગણશો તો પોલીસ કડક કાર્યવાહી કરશે જેમાં વાહનો જપ્ત તેમજ લાયસન્સ રદ થઈ શકે છે.

  • ભાવનગર પોલીસ ટ્રાફિક નિયમો CCTV મારફત કડક કરાવશે અમલ
  • શહેરમાં 32250 લોકોને આપવામાં આવ્યા ઇ ચલણ ભંગ
  • 64,66,100 રૂપિયાનો દંડ વસૂલી લેવાયો છે
  • ઇ ચલણ 30 દિવસમાં નહીં ભરાય તો લાયસન્સ રદ અથવા વાહન જપ્ત

ભાવનગરઃ શહેરમાં પોલીસે ટ્રાફિક નિયમન માટે હવે ત્રીજું નેત્ર વિશ્વાસ પ્રોજેકટ હેઠળ પગલાં લેવાની શરૂઆત કરી છે. ભાવનગરમાં 278 રસ્તા પરના CCTV કેમેરાનો ઉપયોગ કરીને ટ્રાફિક નિયમનો ભંગ કરનાર લોકોને ઇ ચલણ આપવામાં આવ્યા છે. ઇ ચલણને હળવાશથી લેતા લોકોએ ચેતી જવાની જરૂર છે કારણ કે પોલીસ બે મુદ્દે હવે કડક કાર્યવાહી કરશે.

ભાવનગર શહેરમાં ઇ ચલણ કેટલા લોકોને હાલ સુધીનો દંડ કેટલો

ભાવનગર ટ્રાફિક પોલીસ વિશ્વાસ પ્રોજેકટ તળે રસ્તા પરની દરેક ગતિવિધિઓ પર બાજ નજર રાખી રહી છે. એવામાં વાહન પર નીકળતા લોકો ટ્રાફિકના નિયમનો ભંગ કરે જેમકે ત્રણ સવારી નીકળવું, ચાલુ વાહને ફોનમાં વાત કરવી આ બધી બાબતોને એક ફોટોગ્રાફ એટલે કે પુરાવા સાથે ઘરે ઇ ચલણ મોકલવામાં આવે છે. વાહનના માલિકના ઘરે ઇ ચલણ પહોંચી જાય છે. આથી કોઈને વાહન આપવું પણ ભારે પડી શકે છે. પોલીસે હાલ સુધીમાં 32250 ઇ ચલણ આપવામાં આવ્યાં છે અને 64,66,100 નો દંડ લઈ લેવામાં આવ્યો છે.

ભાવનગર શહેરમાં ટ્રાફિક નિયમન હવે ટેકનોલોજીથી કરાવવામાં આવી રહ્યું છે
ઇ ચલણને હળવાશમાં લેશો તો થશે બે પ્રકારનાં નુકશાન ભાવનગર શહેરમાં 278 જેટલા પ્રોજેકટ વિશ્વાસ હેઠળ રસ્તા પર CCTV રાખવામાં આવેલ છે. આ CCTV કેમેરામાં ટ્રાફિકના નિયમભંગ કરનારને ઇ ચલણ આપવામાં આવે છે જેમાં 30 થી 40 ટકા લોકો ભરતા હોઇ જ્યારે અન્ય લોકો નહીં ભરતા હોવાથી ડીએસપીએ અપીલ સાથે ટ્રાફિક વિભાગને કડક વલણ અપનાવવા જણાવ્યું છે. ડીએસપીએ સ્પષ્ટ કર્યું હતું કે જો ઇ ચલણ દિવસ 30માં ભરવામાં નહીં આવે તો વાહન જપ્ત થશે તેમજ એકને એક ભૂલ વારંવાર કરવામાં આવશે તો લાયસન્સ રદ કરવામાં આવશે જેના માટે RTO ને જાણ કરી લાયસન્સ રદ કરાવાશે.

આ પણ વાંચોઃ ભાવનગરમાં કોરોનામાં મૃત્યુ પામ્યાં હોવાની નોંધ હોસ્પિટલ કે મરણના દાખલામાં નહીં : મરણના દાખલા સરળતાથી એનાયત

આ પણ વાંચોઃ ભાવનગરમાં 207 બિલ્ડિંગ ભયજનક : મહાનગરપાલિકા બિલ્ડિંગ સહિત અન્ય ઇમારતો જર્જરિત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.