કાશ્મીરી પંડિતો માટે શિક્ષણવિદ્ આવ્યા સામે, રાષ્ટ્રપતિને કરી રજૂઆત અને પછી...

author img

By

Published : Jun 1, 2022, 9:38 AM IST

Updated : Jun 1, 2022, 10:26 AM IST

કાશ્મીરી પંડિતો માટે શિક્ષણવિદ્ આવ્યા સામે, રાષ્ટ્રપતિને કરી રજૂઆત અને પછી...

ભાવનગર શહેરના શિક્ષણવિદે કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ પુરાવાના આધારે રાષ્ટ્રપતિને અરજી કરી છે. જેને રાષ્ટ્રપતિએ પિટિશનમાં ફેરવી કાશ્મીરના ચીફ સેક્રેટરીને મોકલી હતી. સાથે જ તાત્કાલિક (Kashmir Files film Application) ન્યાયિક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તો હવે આ શિક્ષણવિદની શું માગ છે. આવો જાણીએ.

ભાવનગર : કાશ્મીર ફાઇલ ફિલ્મને લઈને ન માત્ર ગુજરાત રાજ્ય પરંતુ સમગ્ર (Kashmir Files Film Controversy) દેશમાં ચર્ચાઓ તર્ક વિતર્કની ચાલી રહી છે. ત્યારે કાશ્મીર ફાઇલ ફિલ્મના પર ભાવનગરના ડોક્ટર ઓમ ત્રિવેદીએ (Kashmir Files Film Application) રાષ્ટ્રપતિને અરજી કરી છે. રાષ્ટ્રપતિએ અરજીને પીટીશન રૂપે સ્વીકારીને કાશ્મીરના ચીફ સેક્રેટરીને મોકલી આપી છે. શા માટે કરાઇ (Complainant Kashmir Files Film) અરજી અને શું છે પુરાવા ઓમ ત્રિવેદીના મતે સંપૂર્ણ વિગત જાણો.

ભાવનગર શહેરના શિક્ષણવિદ ઓમ ત્રિવેદીએ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ પુરાવાના આધારે રાષ્ટ્રપતિને અરજી

આ પણ વાંચો : Pravin Togadia In Bharuch: પ્રવીણ તોગડિયાએ કાશ્મીરી પંડિતોની ઘરવાપસીને લઇને ભાજપ સરકારને ઘેરી

કાશ્મીરી પંડિતોના ન્યાય માટે ભાવનગરથી ન્યાયિક કાર્યવાહીની પહેલ - કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ આવ્યા બાદ વર્ષો પહેલા કાશ્મીરમાં બનેલા બનાવો અને પંડિતો સાથેની ઘટનાઓ છતી થઈ હોવાનું ભાવનગરના ડોકટર (Kashmir Files Film Application President) ઓમ ત્રિવેદીએ જણાવ્યું છે. ઓમ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કાશ્મીર ફાઇલ્સ એક ગિલ્મ નથી, તે સત્યતા ઉપર બનેલી એક ડોક્યુમેન્ટરી છે. જેના પુરાવા ડાયરેક્ટર અગ્નિહોત્રી દ્વારા સરકારી દફ્તરો મારફત મેળવેલા છે. આથી મેં રાષ્ટ્રપતિને 21 એપ્રિલના રોજ અરજી કરી હતી. આ અરજીનો સ્વીકાર પીટીશન સ્વરૂપે રાષ્ટ્રપતિએ કરીને કાશ્મીર ચીફ સેક્રેટરીને મોકલી આપ્યો છે એટલે ટુક સમયમાં ન્યાયિક કાર્યવાહી હાથ ધરાશે.

આ પણ વાંચો : જમ્મુ અને કાશ્મીર સરકારે માંગી કાશ્મીરમાં તૈનાત જમ્મુના રહેવાસીઓની યાદી

ઓમ ત્રિવેદીની માંગ - કાશ્મીરમાં બનેલી ઘટના કાશ્મીર ફાઇલ્સ ફિલ્મમાં માત્ર 10 ટકા મળેલા પુરાવા પ્રમાણે દર્શાવામાં આવી છે. ત્યારે ઓમ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કાશ્મીરની સરકાર કે કેન્દ્રની સરકારોએ ઘટના બન્યા બાદ એક પણ ફરિયાદ કરીને કોઈ (Bhavnagar Kashmir Files Film) તપાસ કરેલી નથી. કાશ્મીરમાં IPC એક્ટ નહિ પણ RPC એટલે રણબીર પીનલ કોડ હેઠળ કાર્યવાહીની માંગ કરી છે. ફરિયાદી બનવા હું તૈયાર છું. કારણ કે, હજારો કાશ્મીરીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા અને તેમને પોતાનું વતન છોડવા મજબૂર કરવામાં આવ્યા છે. તેથી કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના દસ્તાવેજોના આધારે દોષીઓ સામે ન્યાયિક કાર્યવાહી થાય અને કાશ્મીરી પંડિતોને પુનઃ વિસ્થાપિત કરવામાં આવે તેવી મારી માંગ છે.

રાષ્ટ્રપતિને અરજી
રાષ્ટ્રપતિને અરજી
Last Updated :Jun 1, 2022, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.