કોંગ્રેસ નેતાનો એએમસીની લાલીયાવાડી સામે રોષ, ભુવા પૂરવાને લઇને આકરા પ્રહાર કર્યા

author img

By

Published : Sep 22, 2022, 6:47 PM IST

કોંગ્રેસ નેતાનો એએમસીની લાલીયાવાડી સામે રોષ, ભુવા પૂરવાને લઇને આકરા પ્રહાર કર્યા

અમદાવાદમાં ચોમાસાની સીઝનમાં ઠેરઠેર રસ્તાઓમાં ખાડા પડવા, ભુવા પડવાની બાબત વ્યાપક સમસ્યા ( Ahmedabad city Pothole issue ) બની જાય છે. જેને લઇને કોર્પોરેશન દ્વારા ઢીલી નીતિ અપનાવી સમારકામ કરાતું જોવા મળી રહ્યું છે. આ બાબતે વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે (Shehzad Khan Pathan lashed out AMC ) આકરા પ્રહાર કર્યાં હતાં.

અમદાવાદ અમદાવાદ કોર્પોરેશન બિલ્ડીંગ કમિટીના ચેરમેન (Ahmedabad Corporation Building Committee Chairman )દ્વારા 20 સપ્ટેમ્બર સુધીમાં ચોમાસામાં પડેલ ભુવા અને રસ્તાઓનો રીપેરીંગ કામ સંપૂર્ણ રીતે પૂર્ણ કરી દેવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ તે દાવો પોકળ સાબિત થયો છે. કારણ કે હાલમાં પણ અમદાવાદના અનેક વિસ્તારમાં રોડ રસ્તાની હાલત બિસ્માર ( Ahmedabad city Pothole issue ) જોવા મળી રહી છે. જેને લઇને કોર્પોરેશન વિપક્ષ નેતાએ કોર્પોરેશન પર આકરા પ્રહાર (Shehzad Khan Pathan lashed out AMC ) કર્યા છે.

અમદાવાદ કોર્પોરેશન બિલ્ડીંગ કમિટીના ચેરમેનના પોકળ દાવાની ધૂળ કાઢતાં વિપક્ષ નેતા

અમદાવાદમાં ભુવા પડવાની બાબત વ્યાપક સમસ્યા અમદાવાદ શહેરને એક બાજુ સ્માર્ટ સિટી શહેર તરીકે ઓળખવામાં આવે છે પરંતુ ચોમાસા અને ઋતુ આવતા જ સ્માર્ટ સિટી એ ખાડા નગરી બની જાય છે. રસ્તાઓમાં ઠેર ઠેર પાણી ભરાવા રોડ તૂટવા અને ભુવા પડવાની સમસ્યાઓ જોવા મળતી હોય છે. ચોમાસાની ઋતુ પૂર્ણ થવા આવી હોવા છતાં અમદાવાદ શહેરના અનેક રસ્તાની હાલત ખરાબ ( Ahmedabad city Pothole issue ) જોવા મળે છે. ત્યારે હજુ પણ રસ્તા ઉપર ભુવા પડવાના સિલસિલો યથાવત છે. જેને લઈને જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

શહેઝાદ ખાન પઠાણના એએમસી સામે આકરા પ્રહાર કોર્પોરેશન વિપક્ષ નેતા શહેજાદખાને (Shehzad Khan Pathan lashed out AMC ) જણાવ્યું હતું કે ચાલુ વર્ષમાં પડેલ વરસાદમાં અમદાવાદના મોટાભાગના રોડ તૂટી ગયા હતા. ખાડા પડવાને કારણે લોકોની કમર અને મણકાના કેસમાં પણ વધારો જોવા મળ્યો હતો. ચોમાસામાં અમદાવાદના તમામ ઝોનમાં કુલ 25,238 જેટલા પેચવર્ક કામ પૂર્ણ કરવામાં આવ્યા છે.અમદાવાદ કોર્પોરેશન દ્વારા 20 સપ્ટેમ્બર સુધી તમામ ખાડાઓ કામ પૂર્ણ કરવાના દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ તે દવાઓ આજે પોકળ સાબિત થયા છે. આજ અનેક વિસ્તારો પણ હાલ રસ્તાઓની હાલત ખરાબ ( Ahmedabad city Pothole issue ) જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં હજુ પણ ભુવાઓ પડી રહ્યા છે.

ક્યાં ક્યાં ભુવા પડ્યાં છે અમદાવાદ શહેરમાં હાલમાં પણ ભુવાઓની ( Ahmedabad city Pothole issue ) વાત કરવામાં આવે તો અશોક વાટિકા ચાર રસ્તા આંબલી,અંબર ટાવર સરખેજ, જોધપુર ડી માર્ટ ખડીયા, મસ્કતી માર્કેટ શાહીબાગ, મહાકાલી સર્કલ શહીબાગ, સાંઈબાબા મંદિર સરદાર નગર, જોગણીમાતા મંદિર નવરંગપુરા, હેલ્મેટ સર્કલ થલતેજ જેવી જગ્યા પર હજુ પણ ભુવા પૂરવાનું કામ ચાલુ છે. શહેરમાં રોડની કામગીરી પણ ગોકુળગાયની ગતિએ થઈ રહી છે.

પ્રજાને સારી સુવિધાઓ આપવામાં નિષ્ફળ વધુમાં આક્ષેપ કરતા (Shehzad Khan Pathan lashed out AMC ) જણાવ્યું હતું કે આગામી સમયમાં નવરાત્રી, ઈદ મિલાદ,દિવાળી જેવા વિવિધ તહેવારો આવે છે. જેમાં નગરજનો ઉત્સાહથી આ તહેવાર ઉજવી શકે તે માટે શહેરમાં વિવિધ રોડ અને ખાડાઓ કામ તાકીદે પૂર્ણ કરવું જોઈએ. પરંતુ ભાજપ સરકાર દ્વારા ખાડા પૂરવાની જે ડેડલાઈન આપવામાં આવી હતી તે પણ પૂર્ણ થઈ ચૂકી છે. તેમ છતાં શહેરની પ્રજાને સારા રસ્તાઓ ( Ahmedabad city Pothole issue ) ની સુવિધાઓ આપવામાં ચોક્કસપણે સત્તાધીશો નિષ્ફળ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.