જૂના રાજુલા સિટીમાં આવેલી રેલવેની જમીનનો ઉપયોગ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સમાં કરાશે

author img

By

Published : Jun 25, 2021, 2:31 PM IST

જૂના રાજુલા સિટીમાં આવેલી રેલવેની જમીનનો ઉપયોગ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સમાં કરાશે

રેલવેના વિકાસ અને વધુ સગવડ માટે પશ્ચિમ રેલવે વિવિધ પગલા લઈ રહ્યું છે ત્યારે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રાજુલા સિટીના જૂના સ્ટેશન પર કુલ 41926 ચો.મી. વિસ્તારનો પ્લોટ છે. સુરેન્દ્રનગર-રાજુલ-રાજુલા સિટી-પીપાવાવ સેક્શનને વર્ષ 2003માં મીટર ગેજથી બ્રોડગેજમાં રૂપાંતરિત કરાયો હતો. રાજુલા સિટીથી ઓલ્ડ રાજુલા સ્ટેશન (જે હવે બંધ છે)ની વચ્ચે એક જૂનો મીટર ગેજ એલાઈન્મેન્ટ છે. આ પ્લોટ રાજુલા શહેરના જૂના મીટર ગેજ રેલવે સ્ટેશનની પાસે આવેલો છે.

  • રાજુલાના પ્લોટનો ઉપયોગ રેલવે વિકાસ માટે કરવામાં આવશે
  • ગ્રીન પેચ વિકસાવવા રાજુલા કોર્પોરેશનને અપાઈ હતી જમીન
  • કોવિડ-19ના કારણે તેનો અમલ થઈ શક્યો નહીં

અમદાવાદઃ પશ્ચિમ રેલ્વેના જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ જાહેર કરેલી એક પ્રેસ રિલીઝ મુજબ, રાજુલા સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન (Rajula City Municipal Corporation) દ્વારા પ્લોટને સુંદર બનાવવા અને તેના પર ગ્રીન પેચ વિકસાવવા પશ્ચિમ રેલવે (Western Railway)નો સંપર્ક કરવામાં આવ્યો હતો. દરખાસ્ત મુજબ, આ પ્લોટના સુંદરતા અને અહીં ગ્રીન પેચના વિકાસ માટેનો ખર્ચ રાજુલા સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન (Rajula City Municipal Corporation) દ્વારા ઉઠાવવાનો હતો, જ્યારે આ પ્લોટની માલિકી રેલવે પાસે રહેશે. નવેમ્બર, 2020 માં હેડક્વાટર દ્વારા દરખાસ્તને આ શરતે મંજૂરી આપવામાં આવી હતી. વળી જો ભવિષ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે ઉપરોક્ત જમીનની જરૂર પડશે તો તે મહાનગરપાલિકા (Municipality Corporation) પાસેથી પાછી ખેંચી લેવામાં આવશે. તદનુસાર, એક સમજૂતીપત્ર તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં મહાનગરપાલિકા (Municipality Corporation) અને પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા સહી થવાની હતી અને તે કાયદેસરની ચકાસણી કે પુનરાવર્તન મેળવવા માટે પ્રક્રિયા કરવામાં આવી હતી, પરંતુ, ફેબ્રુઆરી, માર્ચમાં ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ અને ત્યારબાદના કોરોના મહામારીને કારણે તેનો અમલ થઈ શક્યો નહીં.

ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ઉપયોગમાં લેવાનો હતો પ્લોટ

ઉપરોક્ત બાકી સમયગાળા દરમિયાન ઉપરના પ્લોટને વધુ સારી વૈકલ્પિક યોજનાઓના ઉપયોગ માટે પણ ઓળખવામાં આવ્યા હતા. આમાં ભારત સરકારની ગ્રીન એનર્જી પહેલના ભાગરૂપે અનાજ સંગ્રહ કરવા માટે એફસીઆઈ સિલો, ગોડાઉન સ્થાપવા અને સોલાર પ્લાન્ટ્સ, પેનલ્સ લગાવવી સામેલ છે. આ બંને દરખાસ્તોથી તમામ લોકો અને સમગ્ર ક્ષેત્રને મોટો ફાયદો થશે.

આ પણ વાંચો-
રેલવે હેડક્વાર્ટર દ્વારા ગ્રીન પેચની મંજૂરી પાછી લેવાઈ
આ સમયગાળા દરમિયાન ઉપરોક્ત વિકાસને ધ્યાનમાં રાખીને, સમગ્ર મામલાની નવી સમીક્ષા કરવામાં આવી હતી અને નવેમ્બર 2020 પહેલા આપવામાં આવેલા રાજુલા સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન (Rajula City Municipal Corporation) દ્વારા આ જમીનને સુંદર બનાવવા અને ગ્રીન પેચના વિકાસની મંજૂરી રેલવે (હેડક્વાર્ટર) દ્વારા વ્યાપક જાહેરહિતમાં પાછી લેવામાં આવી હતી.

આ પણ વાંચો-
રેલવેનો ખર્ચ બચાવ્યાનો દાવો

અહીં ઉલ્લેખનીય છે કે, અહીં ગ્રીન પેચના બ્યુટિફિકેશન અને વિકાસ બાદ ઉપરોક્ત હેતુ માટે રાજુલા મહાનગરપાલિકા (Rajula City Municipal Corporation) પાસેથી ઉક્ત જમીન પરત લેવાનું નક્કી કરવામાં આવ્યું છે, તો તેના પર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ કોઈપણ ખર્ચ વ્યર્થ અને નિરર્થક થાય છે. આમ, જમીન રાજુલા મહાનગરપાલિકા (Rajula City Municipal Corporation)ને સોંપવાની પરવાનગી પાછી ખેંચવાનો નિર્ણય સમયસર લેવામાં આવ્યો છે અને પરિણામે સરકારી તિજોરીમાંથી થયેલ ખર્ચનો બચાવ થયો છે, જે અન્યથા આ જમીન પર મહાનગરપાલિકાએ ઉઠાવ્યો હોત.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.