વંદે ભારત ટ્રેન ગુજરાતના ગાંધીનગર અને મુંબઈ વચ્ચે દોડશે

author img

By

Published : Sep 18, 2022, 6:18 PM IST

વંદે ભારત ટ્રેન ગુજરાતના ગાંધીનગર અને મુંબઈ વચ્ચે દોડશે

ગાંધીનગર અને મુંબઈ (Vande Bharat train will run between Gandhinagar and Mumbai) વચ્ચે 30 સપ્ટેમ્બરથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની પ્રથમ સ્વદેશી હાઈસ્પીડ 'વંદે ભારત' ટ્રેન (Vande Bharat Express train) પ્રસ્થાન કરાવશે. આ ટ્રેન શરૂઆત થતાં જ અમદાવાદ અને મુંબઈ વચ્ચે માત્ર સાડા પાંચ કલાકમાં જ 500 કિલોમીટર અંતર કાપી શકાશે.

અમદાવાદ : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને દેશની પ્રથમ બુલેટ ટ્રેન બાદ વધુ એક નવરાત્રીમાં ભેટ આપવા જઈ રહ્યા છે. દેશમાં જ બનેલી અત્યંત આધુનિક અને હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને (Vande Bharat Express train) ગાંધીનગરથી મુંબઈ (Vande Bharat train will run between Gandhinagar and Mumbai) શરૂ કરવામાં આવશે. આ સ્પીડ 180 પ્રતિ કલાકની ઝડપે દોડવાની ક્ષમતા ધરાવે છે.

વંદે ભારત ટ્રેન ગુજરાતના ગાંધીનગર અને મુંબઈ વચ્ચે દોડશે

ગુજરાતને મળશે પ્રથમ ટ્રેન : દેશની ત્રીજી અને ગુજરાતને પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Express train) 30 સપ્ટેમ્બરથી ગાંધીનગર અને મુંબઈ (Vande Bharat train will run between Gandhinagar and Mumbai) વચ્ચે શરૂ કરવામાં આવશે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લીલીઝંડી પ્રસ્થાન કરાવશે. સપ્તાહમાં 6 દિવસ દોડનાર આ વંદે ભારત ટ્રેનનું ભાડું રૂપિયા 1200 તેમજ એક્ઝિક્યુટિવ ચેરકારનું ભાડું રૂપિયા 2500 નો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ પહેલા દિલ્હી - કટરા અને દિલ્હી- વારાણસી વચ્ચે દોડાવવામાં આવી છે. ગુજરાતમાં પણ દેશની ત્રીજી વંદે ભારત ટ્રેન ગાંધીનગર અને મુંબઈ વચ્ચે દોડશે.

વંદે ભારત ટ્રેનની ખાસિયત : વંદે ભારત ભારતની સૌથી હાઈ સ્પીડ અને સ્વદેશી ટ્રેન છે. તેની ખાસિયતની વાત કરવામાં આવે તો આ ટ્રેનની મહત્તમ સ્પીડ 180 કિલોમીટર પ્રતિ કલાક જ છે. ટ્રેનની સીટ 180 ડિગ્રી સુધી ફરી શકશે. સેમી ઓટોમેટીક ફુલ એસીથી સજજ છે. આ ટ્રેનમાં કુલ 16 હશે જેમાં 78 સીટ સામાન્ય કોચમાં હશે. આ ટ્રેનની અંદર એકસાથે અંદાજિત 1200 જેટલા પેસેન્જર પ્રવાસી કરી શકે છે. વાઇફાઇ, AC, ચાર્જિંગ સોકેટ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત GPS, ઓટોમેટીક દરવાજા અને સીસીટીવી કેમેરાથી સજ્જ ટ્રેન છે.

2023 માં 75 રૂટ ઉપર દોડતી થશે : હાલમાં દેશના બે રૂટ ઉપર જ વંદે ભારત ટ્રેનનું સંચાલન કરવામાં આવી રહ્યો છે. આગામી 2023 સુધી અમદાવાદ મુંબઈ સહિત અન્ય શહેર એટલે કે, 75 જેટલા શહેર ઉપર આ વંદે ભારત ટ્રેન ચલાવવાનું લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે. ગાંધીનગર અને મુંબઈ વચ્ચે આ ટ્રેન શરૂ થતા જ 500 કિલોમીટરનું અંતર માત્ર 5 કલાકની અંદર જ કાપી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.