Ahmedabad Corona Case : સાવધાન..! AMCએ ત્રીજો બુસ્ટર ડોઝ લેવા કરી અપીલ

author img

By

Published : Jun 24, 2022, 3:49 PM IST

Ahmedabad Corona Case : સાવધાન..! AMCએ ત્રીજો બુસ્ટર ડોઝ લેવા કરી અપીલ

અમદાવાદમાં વધતા કોરોના કેસના આંકડાને લઈને તાત્કાલીક AMCમાં સ્ટેન્ડિંગ કમિટીમાં બેઠક મળી હતી. જેમાં શહેરમાં વધતા જતા કોરોના કેસ મામલે મહત્વના (Ahmedabad Corona Case) નિર્ણયો લેવામાં આવ્યા છે. સાથે સાથે બ્રિજને રહેતા લોકોને રેનબસેરા ખસેડવામાં (AMC Meeting in Ahmedabad) પોલીસ મદદ લેવામાં આવશે.

અમદાવાદ : રાજ્યમાં ફરી કોરોના પગ પેસારો કરી (Corona Case in Gujarat) રહ્યો છે. જેને લઈને રાજ્યના વિવિધ શહેરોના તંત્ર દ્વારા કોરોનાને લઈને મહદંશે કમાન હાથમાં સંભાળી લીધી હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં શહેરમાં (Ahmedabad Corona Case) વધતા કોરોના કેસને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. શહેરમાં કોરોના ધીમે ધીમે પગ પેસારો કરતો જોવા મળી રહ્યો છે. ત્યારે કોર્પોરેશન દ્વારા શહેરની જનતા ભીડભાડ વિસ્તારમાં જતા પહેલા માસ્ક પહેરવા અને બુસ્ટર ડોઝ પણ જલ્દી લઈ લેવાની અપીલ કરવામાં આવી છે.

AMCએ ત્રીજો બુસ્ટર ડોઝ લેવા કરી અપીલ

આ પણ વાંચો : Jagannath Rathyatra 2022 : કોર્પોરેશન પદાધિકારીઓ સ્થળ પર જઇ કર્યું આ કામ

બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા - શહેરમાં દિવસેને દિવસે કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા જેને વેક્સિન ડોઝ લીધા છે. તે વ્યક્તિને ત્રીજો બુસ્ટર ડોઝ લેવા માટેની અપીલ કરવામાં આવી હતી. જે સરકારની ગાઈડલાઈન મુજબ બુસ્ટર ડોઝ આપવામાં આવશે. લોકોને બુસ્ટર ડોઝની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. કોર્પોરેશન દ્વારા ભીડભાડવાળા વિસ્તારમાં માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જરૂર જણાશે તો અન્ય સ્થળો (AMC Meeting with Corona) પર પણ માસ્કનું વિતરણ કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.

આ પણ વાંચો : Vadodara Corona Case : શહેરમાં ચોથી લહેરને લઈ કોરોનાના આંકડો ચિંતાજનક

ઇ ચાર્જિંગ જોઈએ તે પ્રમાણમાં ઉપયોગ થતો નથી - શહેરમાં કોર્પોરેશન દ્વારા ઇ ચાર્જિંગ સ્ટેશન (E charging station in Ahmedabad) બનાવવામાં આવ્યા છે. પરંતુ કોર્પોરેશન દ્વારા તેનો ઉપયોગ થતો ન હોવાને કારણે હાલના સમયમાં ધૂળ ખાતા જોવા મળી આવે છે. ત્યારે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, વિહિકલની નોઝલ જુદી જુદી હોય છે. કાંકરિયામાં જે નોઝલ મુકવામાં આવી છે. હાલ આપણા વાહનોમાં જ નોઝલ કામ આવે છે. તેમજ વાહનની નોઝલ અલગ હોવાથી તે પ્રમાણ ઉપયોગ કરી શકતો નથી. કોર્પોરેશન દ્વારા બ્રિજ નીચે વસવાટ કરતા લોકોને રેનબસેરા ખસેડવામાં આવ્યા આવી રહ્યા છે. જેમાં હાલ 100થી વધુ લોકોને રેનબસેરામાં ખસેડાયા છે. પરંતુ, અમુક જગ્યાએ લોકો રેનબસેરામાં આવવા ન ઇચ્છતા હોય તેવા લોકો પથ્થર મારો કરતા હોવાથી આગામી સમયમાં પોલીસની મદદથી રેનબસેરામાં ખસેડવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.