ગોતામાં નવી મહેસુલી કચેરીનું ખાતમુહૂર્ત, કેસનો ઝડપથી નિકાલ આવે તેવું કામ કરવું જોઈએઃ મહેસુલ પ્રધાન

author img

By

Published : Nov 23, 2021, 10:14 AM IST

ગોતામાં નવી મહેસુલી કચેરીનું ખાતમુહૂર્ત, કેસનો ઝડપથી નિકાલ આવે તેવું કામ કરવું જોઈએઃ મહેસુલ પ્રધાન

અમદાવાદના ગોતા વિસ્તારમાં (Gota Area) 26.11 કરોડ રૂપિયાના ખર્ચે નવી મહેસુલ કચેરી (Revenue office) બનશે. મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ (Revenue Minister Rajendra Trivedi) આ કચેરીનું સોમવારે ખાતમુહૂર્ત કર્યું હતું. તો આ પ્રસંગે મહેસુલ વિભાગના કર્મચારીઓ (Revenue Department employees) પણ ઉપસ્થિત રહ્યા હતા.

  • અમદાવાદના ગોતા ખાતે બનશે નવી મહેસુલ કચેરી (Revenue office)
  • મહેસૂલ પ્રધાને મહેસુલ કચેરીનું (Revenue office) કર્યું ખાતમુહૂર્ત
  • 26.11 કરોડ રૂપિયાના ખર્ચે બનશે નવી મહેસૂલ કચેરી (Revenue office)

અમદાવાદઃ શહેરના ગોતા વિસ્તારમાં (Gota Area) 26.11 કરોડ રૂપિયાના ખર્ચે નવી મહેસુલ કચેરી (Revenue office) બનશે. આ કચેરીનું ખાતમુહૂર્ત સોમવારે મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ (Revenue Minister Rajendra Trivedi) કર્યું હતું. તો આ પ્રસંગે મહેસુલ વિભાગના અન્ય કર્મચારીઓ (Revenue Department employees) પણ ઉપસ્થિત રહ્યા હતા.

મહેસૂલ પ્રધાને મહેસુલ કચેરીનું (Revenue office) કર્યું ખાતમુહૂર્ત

આ પણ વાંચો- Samples of revenue records request સરળતાથી મળશે, દેવદિવાળીથી મહેસૂલી રેકોર્ડના નમૂના ઓન-લાઇન ઉપલબ્ધ થશે

મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન

મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ (Revenue Minister Rajendra Trivedi) આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજનો પ્રસંગ નાનો છે, પરંતુ ઈમારત બુલંદ છે. જમીન તકરારમાં ન્યાયપૂર્ણ કાર્યવાહી થાય તે પણ ખૂબ જરૂરી છે.

26.11 કરોડ રૂપિયાના ખર્ચે બનશે નવી મહેસૂલ કચેરી (Revenue office)
26.11 કરોડ રૂપિયાના ખર્ચે બનશે નવી મહેસૂલ કચેરી (Revenue office)

કેસનો ઝડપથી નિકાલ આવે તેવું કામ કરવું જોઈએઃ મહેસુલ પ્રધાન

સાથે જ મહેસુલ પ્રધાને વકીલોને કહ્યું હતું કે, તેઓ પણ વકીલ છે માટે કેસનો ઝડપથી નિકાલ (Dispose of the case quickly) આવે અને કોર્ટમાં મુદત લેવી ન પડે તેવું કામ કરવું જોઈએ. મુખ્યપ્રધાને સૂચન કર્યું છે કે, તમામ કાર્ય હકારાત્મક રીતે કરવા જોઈએ. આ ભાવનાના નિર્માણથી લાલદરવાજા મહેસુલ ભવન (Laldarwaja Revenue Bhavan) ખાતે ટ્રાફિકનું ભારણ હળવું થશે.

અમદાવાદના ગોતા ખાતે બનશે નવી મહેસુલ કચેરી (Revenue office)
અમદાવાદના ગોતા ખાતે બનશે નવી મહેસુલ કચેરી (Revenue office)

આ પણ વાંચો- ગુજરાતના બિલ્ડરોએ મુખ્યપ્રધાન અને મહેસૂલ પ્રધાન સમક્ષ પોતાની તકલીફો રજૂ કરી

મહેસુલ પ્રધાને વકીલોએ સૂચન કર્યા

મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની (Revenue Minister Rajendra Trivedi) ઉપસ્થિતિમાં વકીલોએ કેટલીક પ્રક્રિયા સરળ બનાવવા કેટલાક સૂચનો કર્યા હતા, જેની પર રાજેન્દ્ર ત્રિવેદીએ ઘટતું કરવા જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.