રોગચાળા મામલે AMCનું અપના કામ બનતા ભાડ મેં જાય જનતાવાળું વલણ, વિપક્ષે કર્યો આક્ષેપ

author img

By

Published : Sep 23, 2022, 12:11 PM IST

રોગચાળા મામલે AMCનું અપના કામ બનતા ભાડ મેં જાય જનતાવાળું વલણ, વિપક્ષે કર્યો આક્ષેપ

અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી મચ્છરજન્ય કેસમાં વધારો (mosquito borne diseases) થઈ રહ્યો છે. ત્યારે કૉંગ્રેસે આ મામલે કોર્પોરેશનમાં હોબાળો મચાવ્યો હતો. સાથે જ તેમણે તંત્ર કંંઈ કામ ન કરતું હોવાના આક્ષેપ (Congress Protest against amc ) સાથે મેયર કિરીટ પરમારને આવેદનપત્ર આપ્યું હતું.

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી મચ્છરજન્ય રોગચાળા (mosquito borne diseases) અને સ્વાઈન ફ્લૂના કેસમાં (swine flu cases in ahmedabad) સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોર્પોરેશન (Amdavad Municipal Corporation) શહેરમાં વધતા જતા રોગચાળાને અંકુશમાં લાવવા નિષ્ફળ રહ્યું હોય તેવા કૉંગ્રેસે આક્ષેપ કર્યા હતા. જ્યારે અમદાવાદના મેયર કિરીટ પરમાર (swine flu cases in ahmedabad) પોતાના પક્ષનો લૂલો બચાવ કરતા પણ નજરે પડી રહ્યા છે તેવો પણ આક્ષેપ કૉંગ્રેસે કર્યો હતો. તો આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ (AMC Opposition Leader Shehzad Khan Pathan) સહિત કૉંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો (Congress Protest against amc) હતો.

સરકારી હોસ્પિટલમાં દર્દીની સંખ્યામાં વધારો

સરકારી હોસ્પિટલમાં દર્દીની સંખ્યામાં વધારો વિપક્ષ નેતા શહેઝાદ ખાને (AMC Opposition Leader Shehzad Khan Pathan) જણાવ્યું હતું કે ભાજપના રાજમાં અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી (ahmedabad smart city) બનાવવાની વાત થતી હતી, પરંતુ ચોમાસાની ઋતુ પછી અમદાવાદ શહેર ખાડાનગરી બની ગયું છે. ચોમાસું પૂર્ણ થતા જ અમદાવાદ શહેરમાં 1,000થી વધુ સ્વાઈન ફ્લૂના કેસ (swine flu cases in ahmedabad) છે, જેમાં 10 લોકોના મૃત્યુ થયા છે.

હોસ્પિટલોમાં દર્દીઓનો વધારો તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચિકનગુનિયા, ડેન્ગ્યૂ, મેલેરિયાના (mosquito borne diseases) પણ કેસ વધી રહ્યા છે. સરકારી હોસ્પિટલ અને પ્રાઈવેટ હોસ્પિટલમાં દર્દીઓની લાઈન જોવા મળી રહે છે. તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના નેતા પોતાના કામો કાર્યક્રમમાં જ વ્યસ્ત છે. ફોગિંગના નામે 15 કરોડ રૂપિયાનું બિલ રાખવામાં આવે છે. અમદાવાદમાં દરેક દુકાનમાં દરેક ઘરમાં ફોગીગ કરવાની વાત ચાલે છે, પરંતુ તે થતું નથી માત્ર આ ફોગીગનું કામ કાગળ ઉપર જ બતાવવામાં આવી રહ્યું છે.

વિપક્ષે કર્યો હોબાળો
વિપક્ષે કર્યો હોબાળો

એક સમાજને ખુશ કરવાનું કામ જ્યારે જ્યારે ગુજરાતમાં ચૂંટણી (Gujarat Elections) આવે છે. ત્યારે ભાજપ નામકરણને લાગુ કરવામાં આવે છે. દેશમાં ગમે ત્યાં યુપી, બિહાર યોજના લાગુ કરવામાં આવે છે. આવું જ એક ઉદાહરણ ગુજરાતમાં અમદાવાદમાં જોવા મળી રહ્યું છે. છેલ્લા 70 વર્ષથી વટવા વિસ્તારમાં બીબી તળાજા ચાર રસ્તા નામ હતું. તેનું નામ બદલીને સદભાવના ચોક રાખવામાં આવી રહ્યું છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી વિકાસની વાત કેર છે. ત્યારે કોઈ એક સમાજને ખૂશ કરીને બીજા સમાજને દુઃખી કરવાનું કામ પાર્ટી કરી રહી છે.

કોરોના સમયે ના દેખાયા તે આજે દેખાઈ રહ્યા છે કૉંગી નેતાએ આક્ષેપ (AMC Opposition Leader Shehzad Khan Pathan) કર્યા હતા કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Amdavad Municipal Corporation) તમામ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને રાજ્ય સરકાર હોસ્પિટલ તમામ અર્બન સેન્ટરમાં દરેક લોકોને સુવિધા મળી રહે તે તૈયારી અને પ્રયત્ન કરી રહ્યા છે. ઘરે ફરીને તમામ મચ્છરજન રોગ ના ફેલાય (mosquito borne diseases) તે માટે ફોગીંગ કરવામાં આવી રહ્યું છે. પણ ચૂંટણીનો માહોલ હોવાથી જેના કારણે અન્ય પાર્ટીએ કોરોના સમયે ક્યાંય ન દેખાયા ના હતા. તે માણસો અત્યારે દેખાઈને પોતાનો પ્રભુત્વ બતાવવા માટે આવા ખોટા વિરોધ (Congress Protest against amc) કરી રહ્યા છે.

શું મેયર શહેરના વધતા રોગચાળાથી અજાણ વિપક્ષે વિરોધ કરતા (Congress Protest against amc) મેયરે (swine flu cases in ahmedabad) એવો દાવો કર્યો હતો કે, કોર્પોરેશન દ્વારા દરેક દુકાન અને દરેક ઘરે જઈને ફોગિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ માત્ર ચૂંટણી (Gujarat Elections) નજીક છે. એટલે આવા તાયફા કરી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા અલગ જ છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં સ્વાઈન ફ્લૂ (swine flu cases in ahmedabad), મેલરીયા, ઝેરી મેલરીયા, ટાઈફોડ, ડેન્ગ્યુ જેવા વિવિધ રોગોનું પ્રમાણ માં ખૂબ જ મોટા પ્રમાણમાં કેસો સામે જોવા મળી રહ્યા છે. આ કેસોનું પ્રમાણ અમદાવાદ કોર્પોરેશન આરોગ્ય વિભાગ જ આંકડા આપી રહ્યું છે. આથી સાબિત થાય છે કે, અમદાવાદ શહેરના મેયર વધતા જતા રોગચારાથી અજાણ છે અથવા તો તે પોતાના આરોગ્ય તંત્રનો બચાવ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.