Jagannath Rathyatra 2022 : CM પટેલે પ્રથમ વાર પહિંદ વિધિ કરી કચ્છી માડુંને વધાવ્યા

author img

By

Published : Jul 1, 2022, 8:27 AM IST

Updated : Jul 1, 2022, 8:39 AM IST

Jagannath Rathyatra 2022 : CM પટેલે પ્રથમ વાર પાહિંદ વિધિ કરી કચ્છી માડુંને વધાવ્યા

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પાહિંદ વિધિ કરીને રથયાત્રાનો શુભારંભ (Jagannath Rathyatra 2022) કરાવ્યો હતો. આ તક્કે ગુજરાતના લોકોને રથયાત્રા (Pahind Vidhi Rathyatra) નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ કચ્છીઓના નવા વર્ષ લઈને ભૂપેન્દ્ર પટેલે સ્નેહ સાથે શુભેચ્છાઓ (New Year of Kutchis) પાઠવી હતી.

ગાંધીનગર : અમદાવાદની 145મી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં (Jagannath Rathyatra 2022) સવારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. મંદિરમાંથી ભગવાન જગન્નાથનો રથ બહાર આવ્યા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની તમામ જનતાને અને અમદાવાદની જનતાને 145મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે શુભેચ્છાઓ આ ઉપરાંત કચ્છીઓના નવા વર્ષની (New Year of Kutchis) શુભેચ્છા પણ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પાઠવી હતી.

CM પટેલે પ્રથમ વાર પાહિંદ વિધિ કરી કચ્છી માડુંને વધાવ્યા

આ પણ વાંચો : Jagannath Rathyatra 2022: જગન્નાથ મંદિરમાં વહેલી સવારથી ભક્તોનો જમાવડો

કચ્છીઓને આપી શુભેચ્છાઓ - રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અષાઢી બીજ એટલે કચ્છીઓનું નવું વર્ષ ત્યારે કચ્છી સમાજને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષની શુભેચ્છા આપી હતી. તેમજ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશ અને દુનિયામાં જ્યાં જ્યાં (Happy New Year Kutch) કચ્છીઓ વસ્યા છે, ત્યાં તેમણે પોતાની ખુમારી તથા કર્તવ્ય પરાયણતા અને વ્યવહાર કુશળતાથી કચ્છીપણું જળકાવ્યું છે. કચ્છ એવો એક પ્રદેશ છે જે એક સમયે અછતગ્રસ્ત ગળાતો પ્રદેશ હવે નર્મદાના ઝડપી સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યો છે. એટલું જ નહીં હાઇબ્રીડ અને એનર્જી પારકર સાથે અનેક ઉદ્યોગો સાથે કચ્છ (CM Bhupendra Patel greeted Kutchis) વિકાસની જે હરણફાળ પડી રહ્યું છે. તે સૌના સાથ સૌના વિકાસ અને સૌના વિશ્વાસથી આ કાર્ય થયું છે.

આ પણ વાંચો : ભગવાન જગન્નાથના સાથે જોડાયેલા આ રહસ્યો વિશે શું તમે જાણો છો?

CM કોરોના રિપોર્ટ નેગેટિવ - મંગળવારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના સામાન્ય લક્ષણો જણાતાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, ત્યારે ગઈકાલે ફરીથી રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં CM ભુપેન્દ્ર પટેલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાથી ગત મોડી રાત્રે પાહિંદ વિધિની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈને આજે પ્રથમ વખત CM તરીકે રથયાત્રાની પાહિંદ વિધિ (Pahind Vidhi Bhupendra Patel) ભુપેન્દ્ર પટેલે કરી હતી.

Last Updated :Jul 1, 2022, 8:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.