માત્ર 24 કલાકમાં કોમી એકતાના સંદેશ માટે ચાંદીનો રથ તૈયાર કરી જગન્નાથ મંદિરને અર્પણ કરવામાં આવ્યો

author img

By

Published : Jun 22, 2020, 4:02 PM IST

માત્ર 24 કલાકમાં કોમી એકતાના સંદેશ માટે ચાંદીનો રથ તૈયાર કરી જગન્નાથ મંદિરને અર્પણ કરવામાં આવ્યો

ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાને ગણતરીના કલાકો બાકી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પણ મુસ્લિમસમાજ દ્વારા જગન્નાથ મંદિરને ચાંદીનો રથ આપી હિન્દૂ મુસ્લિમ કોમી એકતાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો.

અમદાવાદઃ દર વર્ષે રથયાત્રા અગાઉ જમાલપુર વિસ્તારના સ્થાનિક મુસ્લિમ આગેવાનો દ્વારા જગન્નાથ મંદિરે ભગવાનને ચાંદીનો રથ અર્પણ કરવામાં આવે છે.આ રથ અર્પણ કરવાનો ઉદેશ સમગ્ર દેશમાં હિન્દુ અને મુસ્લિમ બિરાદરી વચ્ચે કોમી એકતા જળવાઈ રહે તે માટેનો છે.

માત્ર 24 કલાકમાં કોમી એકતાના સંદેશ માટે ચાંદીનો રથ તૈયાર કરી જગન્નાથ મંદિરને અર્પણ કરવામાં આવ્યો
મુસ્લિમ સમુદાયના આગેવાન રાઉફ બંગાલીએ જણાવ્યું હતું કે તેઓ દર વર્ષે ભગવાનને ચાંદીનો રથ અર્પણ કરે છે પરંતુ આ વર્ષે કોરોના વાયરસની મહામારીને કારણે કારીગરો પણ હાજર નથી. છતાં 24 કલાકમાં ભગવાન માટે ચાંદીનો રથ તૈયાર કરવામાં આવ્યો અને મંદિરના મહંતને રથ અર્પણ કરવામાં આવ્યો હતો.જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ ભગવાનનો રથ સ્વીકાર્યો અને મુસ્લિમ અગ્રણીઓ સાથે વાતચીત કરી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.