રાજ્યમાં 24 કલાકમાં 13 પોઝિટિવ કેસ નોંધાયા, અમદાવાદમાં એક પણ  પોઝિટિવ કેસ નહીં

author img

By

Published : Sep 18, 2021, 9:19 PM IST

રાજ્યમાં 24 કલાકમાં 13 પોઝિટિવ કેસ નોંધાયા,

ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા, ત્યારે હવે જૂન-જુલાઈ અને ઓગસ્ટમાં કેસ નીચે તરફ આવી રહ્યા હતા અને કોરોના સંક્રમણને કાબૂમાં લાવવામાં રાજ્ય સરકાર સફળ નીવડી છે.

  • છેલ્લા 24 કલાકમાં 13 પોઝીટીવ કેસ નોંધાયા
  • 24 દર્દીઓ કોરોનાને આપી માત
  • સમગ્ર રાજ્યમાં ફક્ત 3 જ કોર્પોરેશન અને 5 જિલ્લામાં કેસ એક્ટિવ

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યાં હતાં ત્યારે બાદ હવે જૂન જુલાઈ અને ઓગસ્ટમાં કેસે નીચે તરફ આવી રહ્યા હતા અને કોરોના સંક્રમણ કાબુ કરવા રાજ્ય સરકાર સફળ નીવડી છે ત્યારે સપ્ટેમ્બર માસની 18 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 3 કોર્પોરેશન જેવા કે સુરત ભાવનગર અને વડોદરામાં જ સિંગલ ડિઝીટમાં કેસ નોંધાયા છે જ્યારે 33 જિલ્લામાંથી ફક્ત 5 જિલ્લાઓમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 13 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને અમદાવાદ કોર્પોરેશન અને જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયા નથી.

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિઝીટમાં પોઝિટિવ કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતું રાજ્યના 3 કોર્પોરેશન જેવા કે, સુરત બરોડા અને ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિઝીટકેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયા નથી અને 6 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોના ને માત આપી છે.


આજે 4,81,733 નાગરીકોને અપાઈ વેક્સિન
18 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં કુલ 4,81,733 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે જ્યારે 18 વર્ષ થી વધુ વયના 1,41,125 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો જ્યારે 2,00,681 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો કજે જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 5,64,35,133 નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 160 નીચે
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 143 જેટલા એક્ટિવ કેસ છે જેમાં 03 વેન્ટિલેટર પર અને 140 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,082 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે.જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,15,480 દર્દીઓએ કોરોના ને માત આપી છે. જ્યારે ગુજરાત માં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.