પિતાને રાહે ચાલી રાજનીતિ શીખનારા અહેમદ બન્યા કોંગ્રેસના 'ચાણક્ય'

author img

By

Published : Nov 25, 2021, 6:58 AM IST

Updated : Nov 25, 2021, 9:54 AM IST

Ahmed Patel Death Anniversary

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પક્ષના ચાણક્ય અહેમદ પટેલની (AHMED PATEL) આજે પ્રથમ પુણ્યતિથિ (Ahmed Patel Death Anniversary) છે, ત્યારે આ દિવસે ચાલો જાણીએ કે તેને શાં માટે રાજકિય આલમમાં ચાણક્ય કહેવામાં આવે છે. ભરૂચ જિલ્લાના અકંલેશ્વરમાં 21 ઓગસ્ટ 1949 રોજ જન્મેલા અહેમદ પટેલ ત્રણ વાર લોકસભાના સાંસદ અને પાંચ વાર રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા (Gujarat Congress) છે. અહેમદ પટેલના પિતા મોહમ્મદ ઈશકજી પટેલ ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય હતા અને કોંગ્રેસ નેતા પણ હતાં. અહેમદ પટેલે તેમના પિતાની રાહ પર રહી રાજનીતિ શીખી અને કોંગ્રેસના પંચાયત તાલુકાના અધ્યક્ષ બન્યા હતાં.

  • રાજનીતિમાં કોંગ્રેસ પાર્ટીના ચાણક્યા હતા અહેમદ પટેલ
  • 26 વર્ષની ઉંમરે પ્રથમ વખત બન્યા હતા સાંસદ
  • અહમદ પટેલે ગાંધી પરિવારની ત્રણ પેઢી સાથે કર્યું કામ

ન્યૂઝ ડેસ્ક : ભરૂચ જિલ્લાના અકંલેશ્વરમાં 21 ઓગસ્ટ 1949ના રોજ જન્મેલા અહેમદ પટેલની (AHMED PATEL) આજે ગુરૂવારે પ્રથમ પુણ્યતિથિ (Ahmed Patel Death Anniversary) છે, કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું 25 નવેમ્બર 2020 ના રોજ કોરોનાને કારણે નિધન થયું હતું. ત્યારે ચાલો જાણીએ કે માત્ર 25 વર્ષની ઉંમરે સાંસદ બનનારા અહેમદ પટેલને શા માટે ચાણક્ય કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, પટેલ ત્રણ વાર લોકસભાના સાંસદ અને પાંચ વાર રાજ્યસભાના સાંસદ (Gujarat Congress) રહી ચુક્યા છે. અહેમદ પટેલના પિતા મોહમ્મદ ઈશકજી પટેલ ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય હતા અને કોંગ્રેસ નેતા પણ હતાં. અહેમદ પટેલે તેમના પિતાની રાહ પર રહી રાજનીતિ શીખી અને કોંગ્રેસના પંચાયત તાલુકાના અધ્યક્ષ બન્યા હતાં.

રાજનીતિમાં કોંગ્રેસના 'ચાણક્ય'

અહેમદ પટેલને રાજકારણમાં કોંગ્રસેના ચાણક્યના રુપમાં માનવામાં આવતા હતાં. કોંગ્રેસ તાલુકા પંચાયતના અધ્યક્ષ પદથી રાજનીતિમાં પ્રવેશ કરનારા અહેમદ પટેલ આઠ વાર સાંસદ રહી ચુક્યા છે. 1977માં ઈમરજન્સીનો સામનો કરી તેને માત આપી 26 વર્ષની વયે લોકસભા પહોંચ્યા અને રાજકારણમાં પાછળ વળી જોયું નહીં. માત્ર આટલું જ નહી અહેમદે ગાંધી પરિવારની ત્રણ પેઢી સાથે કામ કર્યુ છે અને તેમના નજીકના વ્યક્તિ અને વિશ્વાસપાત્ર રહ્યાં હતાં.

કોંગ્રેસના સંકટ મોચક નેતા

અહેમદ પટેલ દેશની સૌથી જુના પાર્ટી કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના (Sonia Gandhi) રાજનીતિક સલાહકાર હતા. ગાંધી પરિવાર સાથે સાથે તેમને કોંગ્રેસના સંકટ મોચક નેતા કહેવાતાં હતાં. એવું કહેવામાં આવે છે કે અહેમદ પટેલને કારણે સોનિયા ગાંધી પોતાને ભારતીય રાજકારણમાં સ્થાપિત કરી શક્યા છે.

26 વર્ષની ઉંમરે બન્યા હતા સાંસદ

કટોકટીને કારણે 1977 ની લોકસભાની ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસ સામ-સામે પડી ગઈ હતી અને ગુજરાતે તેની કેટલીક વિશ્વસનીયતા બચાવી હતી ત્યારે સંસદમાં પહોંચેલા કેટલાક નેતામાંના એક અહેમદ પટેલ પણ હતા. અહેમદ પટેલ 26 વર્ષની ઉંમરે ભરૂચથી લોકસભાની ચૂંટણી જીતીને 1977 માં સૌથી યુવા સંસદસભ્ય બન્યા. તેમની જીતથી ઇન્દિરા ગાંધી સહિતના તમામ રાજકીય પંડિતોને આશ્ચર્ય થયું હતું. આ પછી 1980 અને 1984 માં ભરૂચ બેઠક જીતીને સાંસદ પહોંચ્યા હતા.

આ પણ વાંચો:

Last Updated :Nov 25, 2021, 9:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.