Amit Shah Visits Rajasthan :જેસલમેર ખાતે શાહે BSFના 57માં રાઈઝિંગ ડે કાર્યક્રમમાં હાજરી આપી

author img

By

Published : Dec 5, 2021, 9:08 AM IST

Updated : Dec 5, 2021, 1:07 PM IST

શાહ ભાજપ કોર કમિટીની બેઠકમાં આપશે હાજરી

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જેસલમેરમાં (Amit Shah Visits Rajasthan) શહીદ પૂનમ સિંહ સ્ટેડિયમમાં આયોજિત થનારા BSF રાઇઝિંગ ડેમાં હાજરી આપી હતી. આ પછી તેઓ એરફોર્સના વિશેષ વિમાન દ્વારા જયપુર જવા રવાના થશે. આ દરમિયાન શાહ રાજસ્થાન ભાજપ કોર કમિટીની મહત્વની બેઠકમાં ભાગ (Rajasthan BJP Core Committee meeting) લેશે.

  • કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ રવિવારે જયપુર પ્રવાસે
  • રાજસ્થાન ભાજપ કોર કમિટીની બેઠકમાં લેશે ભાગ
  • 2023ની વિધાનસભા ચૂંટણી અંગે પણ કરવામાં આવશે ચર્ચા

જયપુર, રાજસ્થાન: બોર્ડર સિક્યુરિટી ફોર્સના ઈતિહાસમાં પ્રથમ વખત, BSFનો 57માં (57th Foundation Day Program Of BSF) સ્થાપના દિવસ કાર્યક્રમ દિલ્હી બહાર ઉજવવામાં આવી રહ્યો છે. તેનો ભાગ બનવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સરહદેથી જેસલમેર એરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા. અહીંથી શેડ્યૂલ મુજબ તેણે BSFની 154મી બટાલિયનમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત,જયપુરમાં રાજસ્થાન ભાજપ કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠકમાં (Rajasthan BJP Core Committee meeting) ભાગ લેશે. આ બેઠક JECCમાં યોજાનારી જનપ્રતિનિધિઓની પરિષદ બાદ યોજાશે, જેમાં અમિત શાહ રાજ્યના અગ્રણી નેતાઓ સાથે પણ વાતચીત (amit shah talks to senior leaders) કરશે.

આ પણ વાંચો: અમિત શાહ ગુરુવારના સહારનપુરની મુલાકાતે, જાહેરસભાને કરશે સંબોધન

ટોચના નેતાઓ રહેશે હાજર

રાજસ્થાનમાં યોજાનારી આ બેઠક સાંજે છ વાગ્યે થઈ શકે છે, જેમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાની સાથે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને પ્રદેશ પ્રભારી અરુણ સિંહ પણ હાજર રહેશે. આ ઉપરાંત કોર કમિટીમાં પૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજે, કેન્દ્રીય પ્રધાન કૈલાશ ચૌધરી, ગજેન્દ્ર સિંહ શેખાવત, અર્જુન રામ મેઘવાલ, સાંસદ ઓમ પ્રકાશ માથુર, કનક મલ કટારા, વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયા, ઉપનેતા રાજેન્દ્ર રાઠોડ અને સંગઠન મહાસચિવનો સમાવેશ છે. ચંદ્રશેખર અને અન્ય કેટલાક અગ્રણીઓ પણ આ બેઠકમાં હાજર રહેશે.

આ પણ વાંચો: મોદી સરકાર મૃત ખેડૂતોના પરિવારજનોને વળતર આપવા નથી માંગતી

રાજ્યની વર્તમાન સ્થિતિ પર ચર્ચા

રાજ્ય કોર કમિટીની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેમાં રાજસ્થાન ભાજપનું ટોચનું નેતૃત્વ (Rajasthan BJP Leadership) હાજર રહેશે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન એવો સંદેશ પણ આપશે કે 2023ની વિધાનસભા ચૂંટણી (Rajasthan Assembly Election 2023) પહેલા પાર્ટી સંપૂર્ણપણે એક થઈ જાય. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન ભાજપમાં જૂથવાદની ફરિયાદો પાર્ટી હાઈકમાન્ડ સુધી પહોંચી રહી હતી. તેથી માનવામાં આવે છે કે, અમિત શાહની આ શાખામાં રાજ્યના નેતાઓને એકતાનો કડક સંદેશ આપવામાં આવશે.

Last Updated :Dec 5, 2021, 1:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.