મધ્યપ્રદેશના છિંદવાડામાં રોડ અકસ્માત, 6 લોકોના મોત, 2 ઇજાગ્રસ્ત

author img

By

Published : Sep 10, 2021, 7:37 AM IST

મધ્યપ્રદેશના છિંદવાડામાં રોડ અકસ્માત

છિંદવાડામાં એક ભયાનક માર્ગ (chhindwara road accident) અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે બે લોકોની સ્થિતિ ગંભીર છે.તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

  • છિંદવાડામાં એક ભયાનક માર્ગ અકસ્માત
  • માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત,2 લોકો ગંભીર ઇજાગ્રસ્ત
  • એકનું સાવરવાર દરમિયાન મોત

છિંદવાડા (મધ્યપ્રદેશ) : જિલ્લાના બેતુલ રીંગ રોડ પાસે એક દર્દનાક માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 2 લોકની હાલત ગંભીર છે. આ તમામ 8 લોકો કારમાં નાગપુરથી ઉમરેઠ (Nagpur To Umreth) જઈ રહ્યા હતા, ત્યારે ટ્રકે પાછળથી કારને ટક્કર મારી હતી, જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે લોકોની હાલત નાજુક છે. ડીએસપી સુદેશ સિંહે આ અંગે માહિતી આપી છે.

કારમાં 8 લોકો સવાર હતા, 5 લોકોના મોત

છિંદવાડા-બેતુલ રોડ (Chhindwara Road Accident) પર રીંગ રોડ પાસે પાછળથી એક આયશર ટ્રકે કારને ટક્કર મારી હતી, જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એકનું જિલ્લા હોસ્પિટલમાં (District Hospital) મોત થયું હતું, તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત 2 લોકોની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો : કેવી રીતે કરવું શ્રી ગણેશનું સ્થાપન ? કયું છે શુભ મુર્હત ?

તમામ લોકો નાગપુરથી ઉમરેઠ જઇ રહ્યા હતા

ટ્રાફિકના ડીએસપી સુદેશ સિંહે જણાવ્યું કે, આ તમામ લોકો નાગપુરથી ઉમરેઠ સ્વિફ્ટ કારમાં જઈ રહ્યા હતા, જેમાં 5 બાળકો અને એક મહિલા સહિત 8 લોકો સવાર હતા. આ ઘટના ગુરુવારે સાંજે 7:45 વાગ્યે બની હતી. 108 એમ્બ્યુલન્સની મદદથી તમામને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યા તબીબે 6 લોકોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે બે લોકોની સારવાર ચાલી રહી છે. ડીએસપીએ કહ્યું કે, અકસ્માત એટલો ભયાનક હતો કે વાહન પાછળથી સંપૂર્ણપણે દબાઇ ગયું હતું.

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ,આજે ઈંગ્લેન્ડ સાથે 5 મી ટેસ્ટ મેચ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.