વડાપ્રધાન મોદી આજે કરશે આયુષ્માન ભારત ડિજિટલ મિશનની શરૂઆત

author img

By

Published : Sep 26, 2021, 10:51 PM IST

Updated : Sep 27, 2021, 6:07 AM IST

વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશન(એનડીએચએમ)ની શરૂઆત કરશે. આ જાણકારી રવિવારે વડાપ્રધાન કાર્યાલયે આપી હતી.

  • કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહેશે
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનની શરૂઆત કરશે
  • વડાપ્રધાન આ પ્રસંગે પોતાનું સંબોધન પણ આપશે

નવી દિલ્હી: પીએમઓએ કહ્યું કે, એક ઐતિહાસિક પહેલ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરે સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન(રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય અભિયાન)ની શરૂઆત કરશે. આ ઉપરાંત વડાપ્રધાન આ પ્રસંગે પોતાનું સંબોધન પણ આપશે.

યોજનાને 6 કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રારંભિક તબક્કામાં લાગૂ કરાશે

વડાપ્રધાને ગઇ 15 ઓગસ્ટે લાલ કિલ્લાના પટમાંથી રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય અભિયાન (Ayushman Bharat Digital Mission)ની પાયલટ પરિયોજનાની ઘોષણા કરી હતી. વર્તમાનમાં આ યોજનાને 6 કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રારંભિક તબક્કામાં લાગૂ કરવામાં આવી રહી છે. એનડીએચએમની રાષ્ટ્રવ્યાપી શરૂઆત આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની ત્રીજી વર્ષગાંઠ સાથે જ કરવામાં આવશે. આ અવસરે કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહેશે.

ઓનલાઇન પ્લેટફોર્મ તૈયાર કરાશે

NDHM જન ધન, આધાર અને મોબાઇલ (JAM) ટ્રિનિટી અને સરકારની અન્ય ડિજિટલ પહેલોના રૂપમાં તૈયાર કરેલા માળખા પર આધારિત છે, જે ડેટાની વિશાળ શ્રેણીની જોગવાઈ દ્વારા આરોગ્ય સંબંધિત વ્યક્તિગત માહિતીની સુરક્ષા, ગુપ્તતા અને ગોપનીયતા સુનિશ્ચિત કરતા એક વિસ્તૃત શ્રૃખંલાના પ્રાવધાનના માધ્યમથી ડેટા, સૂચના અને જાણકારીનું એક સહજ ઓનલાઇન પ્લેટફોર્મ તૈયાર કરાશે.

વ્યક્તિગત સ્વાસ્થ્ય રેકોર્ડને મોબાઇલ એપ્લીકેશનની મદદથી જોડવામાં આવશે

આનાથી સુસંગત માળખુ સેવાઓ સાથે-સાથે અંતર-પ્રચાલનીય અને માનક-આધારિત ડિજિટલ પ્રણાલીનો વિધિવત લાભ ઉઠાવી શકાશે. આ અભિયાન અંતર્ગત નાગરિકોની સહમતિથી સ્વાસ્થ્ય રેકોર્ડ સુધી પહોંચ અને આદાન-પ્રદાનને સક્ષમ બનાવી શકાશે. એનડીએચએમના પ્રમુખ ઘટકોમાં પ્રત્યેક નાગરિક માટે એક સ્વાસ્થ્ય આઇડી સામેલ છે જે તેમના સ્વાસ્થ્ય ખાતાના રૂપમાં પણ કાર્ય કરશે, જેને વ્યક્તિગત સ્વાસ્થ્ય રેકોર્ડને મોબાઇલ એપ્લીકેશનની મદદથી જોડવામાં આવશે.

સ્વાસ્થ્ય સેવા પ્રદાતાઓ માટે એક સંગ્રહના રૂપમાં કાર્ય કરશે

આ અંતર્ગત હેલ્થકેર પ્રોફેશનલ્સ રજિસ્ટ્રી(એચપીઆર) અને હેલ્થકેર ફેસિલિટીઝ રજિસ્ટ્રી (એચએફઆર), આધુનિક અને પારંપરિક ચિકિત્સા પ્રણાલીઓ બન્ને મામલે બધા સ્વાસ્થ્ય સેવા પ્રદાતાઓ માટે એક સંગ્રહના રૂપમાં કાર્ય કરશે. તે ડોક્ટરો સાથે જ હોસ્પિટલ અને સ્વાસ્થ્ય સેવા પ્રદાતાઓ માટે વ્યવસાયમાં પણ સરળતાથી સુનિશ્ચિત કરશે.

આ પણ વાંચો- Mann Ki Baat : " વિશ્વ નદી દિવસ" એટલે પરંપરાઓને જોડનારો દિવસ, આપણે ત્યાં નદીને માતા કહેવાય છે તો આટલી પ્રદૂષિત કેમ!

આ પણ વાંચો- વડાપ્રધાન મોદી 27 સપ્ટેમ્બરે 'પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન' શરૂ કરશે, થશે મોટો ફાયદો

Last Updated :Sep 27, 2021, 6:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.