શરદ પવાર પર અપમાનજનક પોસ્ટ કરવી પડી ભારે, અભિનેત્રી પોલીસ કસ્ટડીમાં

author img

By

Published : May 14, 2022, 10:15 PM IST

શરદ પવાર પર અપમાનજનક પોસ્ટ કરવી પડી ભારે, અભિનેત્રી પોલીસ કસ્ટડીમાં

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવાર પર વાંધાજનક ટિપ્પણી (Offensive post on Sharad Pawar) કરવા બદલ થાણે પોલીસે મરાઠી અભિનેત્રી કેતકી ચિતાલેની અટકાયત કરી છે.

થાણેઃ મરાઠી અભિનેત્રી કેતકી ચિતાલેની થાણે પોલીસે અટકાયત (Ketki Chitale in police custody ) કરી છે. NCP ચીફ શરદ પવાર પર વાંધાજનક પોસ્ટ (Offensive post on Sharad Pawar) લખવા બદલ પોલીસે અભિનેત્રીની અટકાયત કરી છે. અભિનેત્રીએ NCP ચીફ પર પોસ્ટ લખ્યા બાદ તેની સામે ત્રણ કેસ નોંધવામાં આવ્યા છે.

આ પણ વાંચો: BJP- શિવસેના ફરી એક થશે ? "અમે ક્યારેય દુશ્મન રહ્યા નથી": દેવેન્દ્ર ફડણવીસ

પવારે કહ્યું કે તેઓ કેતકી ચિતાલેને ઓળખતા નથી: થાણે પોલીસે આ આરોપોની તપાસ માટે કાર્યવાહી હાથ ધરી છે. કેતકી ચિતાલેને થાણેના કલંબોલી પોલીસ સ્ટેશન લાવવામાં આવી છે. જ્યારે શરદ પવારને તેમની પ્રેસ કોન્ફરન્સમાં આ કાર્યવાહી અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે શરદ પવારે કહ્યું કે તેઓ કેતકી ચિતાલેને ઓળખતા નથી. તેને શા માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો, તે પણ ખબર નથી. શરદ પવારે કહ્યું કે જેને તેઓ ઓળખતા નથી તેમની પોસ્ટ વાંચવાની વાત ક્યાંથી આવે છે.

કેતકી પર કેમ કાર્યવાહી: કેતકીએ NCPના વડા વિરુદ્ધ વાંધાજનક ફેસબુક પોસ્ટ લખી હતી. આ પછી તેની સામે થાણેના કલવા, મુંબઈના ગોરેગાંવ અને પુણેમાં કેસ નોંધવામાં આવ્યા હતા. તેની સામે રાજ્યના અનેક વિસ્તારોમાં પોલીસ ફરિયાદો પણ કરવામાં આવી હતી. કેતકી પર કડક કાર્યવાહીની માંગ NCP નેતાઓ તરફથી સતત થઈ રહી હતી. આ માંગણીઓને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દિલીપ વાલ્સે પાટીલે પણ પગલાં લેવાના સંકેત આપ્યા હતા. આ પછી હવે થાણે પોલીસે અભિનેત્રી કેતકી ચિતાલે વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો: અયોધ્યામાં રાજકારણ ગરમાયું, શિવસેના અને MNS વચ્ચે છેડાયો 'અસલી અને નકલી'નો વિવાદ

શું છે પોસ્ટમાંઃ કેતકીએ શરદ પવાર વિરુદ્ધ ફેસબુક પર લખ્યું. મરાઠીમાં લખાયેલી પોસ્ટની કવિતાને વાંધાજનક માનવામાં આવી રહી છે. એડવોકેટ નીતિન ભાવેની મરાઠીમાં આ કવિતા ખૂબ જ નીચા સ્તરે લખવામાં આવી છે. આ જ વાત અભિનેત્રી કેતકીએ તેના ફેસબુકમાં પોસ્ટ કરી છે. આ મુદ્દા પર પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે કેતકી ચિતાલેને માનસિક રીતે વિકૃત ગણાવી છે. NCP નેતા અને પ્રધાન જિતેન્દ્ર આવ્હાડે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ટીકા કરવાની કોઈ મનાઈ નથી. લોકોએ છત્રપતિ શિવાજી મહારાજની પણ ટીકા કરી છે. વાંધો એ છે કે નરકમાં જવા જેવું કહેવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.