પંજાબ સરકારને NGT એ 2000 કરોડનો દંડ ફટકાર્યો, કહ્યું ઉકરડાનો નિકાલ કરો

author img

By

Published : Sep 23, 2022, 2:04 PM IST

પંજાબ સરકારને NGT એ 2000 કરોડનો દંડ ફટકાર્યો, કહ્યું ઉકરડાનો નિકાલ કરો

પર્યાવરણને નુકસાન પહોંચાડવાના (The National Green Tribunal New Delhi) મામલે પંજાબ સરકારને NGT એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) તરફથી મોટો આર્થિક ફટકો લાગ્યો છે. જેમાં ફરી એકવખત NGTનો મુદ્દ ચગ્યો છે. જોકે, પર્યાવરણને સાચવતી સંસ્થાનું આ કોઈ પહેલું પગલું નથી.નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પર્યાવરણને (Punjab Government) નુકસાન કરતા ઘન અને પ્રવાહી કચરાનું યોગ્ય રીતે સંચાલન ન કરવા બદલ પંજાબ સરકાર પર રૂ. 2,000 કરોડનો દંડ ફટકાર્યો છે.

નવી દિલ્હી: NGTએ (The National Green Tribunal New Delhi) પંજાબ રાજ્યને ઘન અને પ્રવાહી કચરાના અયોગ્ય સંચાલન માટે પર્યાવરણીય વળતર તરીકે રૂ. 2,000 કરોડ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. NGTના અધ્યક્ષ જસ્ટિસ આદર્શ કુમાર ગોયલની અધ્યક્ષતાવાળી બેન્ચે આ આદેશ આપ્યો છે. જેને લઈને પંજાબ (Punjab Government) સરકાર (Central Pollution Control Board punjab) સામે ફરી એકવખત પર્યવરણના મુદ્દે પ્રશ્નો ઊભા થયા છે. ગયા અઠવાડિયે, NGTએ રાજસ્થાન સરકારને ઘન અને પ્રવાહી કચરાના અયોગ્ય સંચાલન માટે પર્યાવરણીય વળતર તરીકે રૂ. 3,000 કરોડ ચૂકવવાનો આદેશ કર્યો હતો.

પંજાબ સરકારને NGT એ 2000 કરોડનો દંડ ફટકાર્યો, કહ્યું ઉકરડાનો નિકાલ કરો
પંજાબ સરકારને NGT એ 2000 કરોડનો દંડ ફટકાર્યો, કહ્યું ઉકરડાનો નિકાલ કરો

રાજસ્થાન બાદ પંજાબનો વારો: આ પહેલા રાજસ્થાનને દંડ ફટકારવામાં આવ્યો હતો. NGTના અધ્યક્ષ જસ્ટિસ આદર્શ કુમાર ગોયલની અધ્યક્ષતાવાળી બેન્ચે રાજ્યના અધિકારીઓને પ્રદૂષણમાં યોગદાન અને તેમની બંધારણીય ફરજો નિભાવવામાં નિષ્ફળતા માટે જવાબદાર ગણાવ્યા હતા. બેંચમાં જસ્ટિસ સુધીર અગ્રવાલ અને નિષ્ણાત સભ્ય એ સેંથિલ વેલી પણ સામેલ હતા. જોકે, આ મામલે કાયદેસરના પગલાં લેવાના પંજાબ સરકાર ફરી કાયદાકીય ભીંસમાં મૂકાઈ ગઈ છે. પંજાબમાં સોલિડ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમનો અમલ ન કરવાનો મામલો NGT સુધી પહોંચી ગયો છે.

શું કહ્યું NGTએ: NGTએ કહ્યું કે આ મામલે વારંવારના આદેશો આપવા છતાં પંજાબ સરકારે પંજાબમાં ઘન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપનને લઈને કોઈ મોટા પગલા લીધા નથી. તેથી આર્થિક દંડ સુધીના પગલાં લેવા પડ્યા છે. અગાઉ NGT એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ઉત્તર પ્રદેશ સરકારને પ્રતાપગઢ, રાયબરેલી અને જૌનપુર જિલ્લામાં પ્રવાહી કચરાના અપૂરતા વ્યવસ્થાપન માટે 100 કરોડ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. NGT ચેરપર્સન જસ્ટિસ આદર્શ કુમાર ગોયલની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના રીપોર્ટ મુજબ, બાયો-રિમેડિયેશનથી પ્રદૂષણનું સ્તર ઘટ્યું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.