નેપાળ આર્મી ચીફને ભારતીય સેનાના માનદ જનરલ રેન્કથી નવાજવામાં આવ્યા

author img

By

Published : Nov 11, 2021, 8:59 AM IST

નેપાળ આર્મી ચીફને ભારતીય સેનાના માનદ જનરલ રેન્કથી નવાજવામાં આવ્યા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે(President Ramnath Kovind) બુધવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક વિશેષ સમારોહમાં નેપાળના આર્મી ચીફ જનરલ પ્રભુ રામ શર્માને ભારતીય સેનાના જનરલનો(General of the Indian Army) માનદ રેન્ક એનાયત કર્યો હતો.

  • ભારતીય સેનાના માનદ જનરલ રેન્કથી નેપાળ આર્મી ચીફને સન્માનિત કરાયા
  • જનરલ પ્રભુ રામ શર્માની ભારત મુલાકાત તેમની સૈન્ય કૂટનીતિનો આધાર
  • જનરલ શર્માએ ગતિશીલ અને ઉત્કૃષ્ટ નેતૃત્વ પ્રદર્શિત કર્યું

દિલ્હી: 1950માં શરૂ થયેલી પરંપરાને ચાલુ રાખતા, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે(President Ram Nath Kovind) બુધવારે નેપાળના આર્મી ચીફ જનરલ પ્રભુ રામ શર્માને 'ભારતીય સેનાના જનરલ' નો(General of the Indian Army) માનદ રેન્ક એનાયત કર્યો. જનરલ શર્મા દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને વિસ્તૃત કરવાના માર્ગો શોધવા માટે ભારતની ચાર દિવસીય મુલાકાતે છે.

રાષ્ટ્રપતિ ભવને ટ્વિટ કર્યું કે, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે બુધવારે નેપાળના આર્મી ચીફ(Army Chief of Nepal) જનરલ પ્રભુ રામ શર્માને રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક વિશેષ સમારોહમાં ભારતીય સેનાના જનરલનો માનદ રેન્ક એનાયત કર્યો. પ્રશસ્તિ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, તેમની અનુકરણીય કારકિર્દી દરમિયાન, જનરલ શર્માએ ગતિશીલ અને ઉત્કૃષ્ટ નેતૃત્વ પ્રદર્શિત કર્યું છે. તેઓ નેપાળની સેનાના આધુનિકીકરણની પ્રક્રિયા ચાલુ રાખવાના હિમાયતી પણ રહ્યા છે. જનરલ શર્માએ માત્ર ભારતીય સેના અને નેપાળની સેના વચ્ચે જ નહીં, પરંતુ વિશ્વની અન્ય સેનાઓ વચ્ચે પણ સદ્ભાવના અને પરસ્પર સમજણ પર આધારિત મિત્રતાના હાલના બંધનોને પ્રોત્સાહન આપવામાં ઘણું યોગદાન આપ્યું છે.

નેપાળના આર્મી ચીફ સેના તેમજ વિદેશી નિમણૂંકો સંભાળી

આ વર્ષે 9 સપ્ટેમ્બરે નેપાળના આર્મી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળનાર શર્માએ નેપાળની સેનામાં મહત્વના હોદ્દા અને કેટલીક પ્રતિષ્ઠિત વિદેશી નિમણૂંકો પણ સંભાળી છે. ઉલ્લેખનીય છે કે નેપાળે ગયા વર્ષે નવેમ્બરમાં કાઠમંડુની મુલાકાત દરમિયાન ભારતીય સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેને 'નેપાળ આર્મીના જનરલ'ના માનદ પદથી સન્માનિત કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, જનરલ શર્મા બુધવારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતને પણ મળ્યા હતા અને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી.

જનરલ રામ શર્માની ભારત મુલાકાત સકારાત્મક ક્રિયાપ્રતિક્રિયા તરીકે જોવી

નેપાળ આર્મીના પ્રવક્તાએ કહ્યું હતું કે, જનરલ પ્રભુ રામ શર્માની ભારત મુલાકાત તેમની સૈન્ય કૂટનીતિનો આધાર છે. આ મુલાકાતને માત્ર પરંપરાની પરિપૂર્ણતા તરીકે ન જોવી જોઈએ, પરંતુ તેને સકારાત્મક ક્રિયાપ્રતિક્રિયા તરીકે જોવી જોઈએ જેથી કરીને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને ઉકેલવા માટે સૌહાર્દપૂર્ણ વાતાવરણનું નિર્માણ થઈ શકે તેમજ બંને દેશો વચ્ચે ઘણા વણઉકેલાયેલા મુદ્દાઓ છે અને તે ચિંતાનો વિષય છે. તણાવ વધતો અટકાવવા અને રાજદ્વારી કાર્ય કરવા માટે નિયમિત સંવાદ અને સહકાર જરૂરી છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાને પાકિસ્તાની તાલિબાન સાથે એક મહિનાના યુદ્ધવિરામની જાહેરાત કરી

આ પણ વાંચોઃ Chhath puja 2021: સુરતમાં રહેતા બિહાર અને ઝારખંડના લોકોએ લાખોની સંખ્યામાં કરી છઠપૂજા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.