નવજોત સિંહ સિદ્ધુ ડેરા બાબા નાનક પહોંચ્યા

author img

By

Published : Nov 9, 2021, 11:37 AM IST

નવજોત સિંહ સિદ્ધુ ડેરા બાબ નાનક પહોંચ્યા

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ (Punjab Congress President Navjot Singh Sidhu ) ગુરદાસપુરના ડેરા બાબા નાનક પર ભારત-પાકિસ્તાનની સીમાએ (India-Pakistan Border) પહોંચ્યા છે.

  • પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ ડેરા બાબા નાનક પહોંચ્યા
  • ડેરા બાબા નાનક ભારત-પાકિસ્તાનની સીમા પર આવેલું છે
  • ગુરુ નાનકના નામ પર આનું નામ ડેરા બાબા નાનક રાખવામાં આવ્યું છે

ચંદીગઢઃ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ ગુરદાસપુરના ડેરા બાબા નાનક પર ભારત-પાકિસ્તાનની સીમાએ પહોંચ્યા છે. ડેરા બાબા નાનક કરતારપુર કોરિડોર (Dera Baba Nanak Kartarpur Corridor) માટે ખૂબ જ મહત્ત્વનું ગણાય છે. ડેરા બાબા નાનક બંને દેશોની સીમાથી 1 કિલોમીટરના અંતરે અને રાવી નદીના પૂર્વીય કિનારા પર આવેલું છે. કહેવામાં આવે છે કે, નાનકના ભક્તોએ આ શહેરને બનાવ્યું હતું અને ગુરુ નાનકના નામ પર આનું નામ ડેરા બાબા નાનક રાખવામાં આવ્યું છે.

કરતારપુર સાહિબ કોરિડોરની લંબાઈ 4.1 કિલોમીટર છે

પંજાબના ગુરદાસપુરમાં આવેલા ડેરા બાબા નાનકથી (Dera Baba Nanak) જ કરતારપુર સાહિબ ગુરુદ્વારા (Kartarpur Sahib Gurudwara) સુધી જવા માટે કોરિડોર બનેલો છે. કરતારપુર સાહિબ કોરિડોરની (Kartarpur Sahib Corridor) લંબાઈ 4.1 કિલોમીટર છે. કરતારપુર સાહિબ ગુરુદ્વારા (Kartarpur Sahib Gurudwara) શિખો માટે ખૂબ જ મહત્ત્વ રાખે છે. કારણ કે, અહીં શિખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવે (Guru Nanak Dev) પોતાના જીવનના અંતિમ 18 વર્ષ વિતાવ્યા હતા.

આ પણ વાંચો- Faridkot : બુર્જ જવાહરસિંહ વાલા ગામમાં અચાનક પહોંચ્યાં નવજોતસિંહ સિદ્ધુ, આરોપીઓને કડક સજા અપાવવા સંકલ્પ દોહરાવ્યો

આ પણ વાંચો- Navjot Singh Sidhu એ મારી પલટી,પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદનું રાજીનામું પાછું ખેંચ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.