હલ્દવાનીઃ ઉત્તરાખંડના કુમાઉના કમિશનર દીપક રાવતની કોર્ટમાં (Land issue in Uttrakhand) એક એવો મામલો સામે આવ્યો છે, જેને સાંભળીને ચોંકી જશો. અહીં એક ફરિયાદી એવું કહેવા આવ્યો કે સાહેબ હું જીવતો (Death Certificate of live person) છું. ખરેખર આ વ્યક્તિની કાગળ પર હત્યા કરવામાં આવી છે. આ સાંભળીને કુમાઉના કમિશનર દીપક રાવત પણ ચોંકી ગયા હતા. કમિશનરે હરિકિશન બુધલકોટીની વાત કાન ખુલ્લા રાખીને સાંભળી હતી.
આ પણ વાંચો: રન-વે પર કાર આવી જતા વિમાને મારી ખતરનાક બ્રેક, જુઓ વીડિયો
આ છે આખો મામલોઃ આ મામલો ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના (Nainitaal Uttrakhand) કુષ્યા કુતૌલી તાલુકાનો છે. અહીં રહેતા હરિકિશન બુધલકોટીને વર્ષ 1980માં તાલુકા અને ગ્રામ પંચાયતના કર્મચારીઓએ ખોટી રીતે મૃત જાહેર કર્યા હતા. વર્ષ 2010માં સર્ટિફિકેટ બનાવ્યા બાદ મૃત જાહેર કર્યા બાદ કેટલાક લેન્ડ માફિયાઓએ વર્ષ 2011માં નૈનીતાલના પંગોટમાં તેમની જમીન ખરીદી હતી.
જીવતાને મૃત જાહેર: બુધલકોટીની જમીન પર હક્ક મેળવવા માટે હવે હરિકિશન સરકારી કચેરીઓના ચક્કર લગાવી રહ્યા છે. સરકારી વિભાગોથી નારાજ બુધલકોટી કુમાઉના કમિશનર દીપક રાવતની કોર્ટમાં પહોંચ્યા. તેમણે પોતાનું દુ:ખ તેમને કહ્યું. રામનગરમાં તૈનાત વન વિભાગના એક મોટા અધિકારીએ જમીન માફિયાઓની મદદથી પોતાના વિસ્તારમાં આવેલી સારી એવી જમીન ખરીદી છે. તેમણે આરોપ લગાવ્યો કે આમાં કુષ્યા કુતૌલી તાલુકા કચેરીના કર્મચારીઓની પણ મિલીભગત છે.
આ પણ વાંચો: મદનીયું નાલામાં ફસાઈ જતા સ્થાનિકો દોડ્યા, માંડ માંડ બચ્યું
તલાટી પર આરોપ: હરિકિશન બુધલકોટીએ પણ આ મામલે તાલુકા કચેરીએ ફરિયાદ નોંધાવી છે. આ સાથે એવો આક્ષેપ છે કે તલાટી પણ કોઈ કાર્યવાહી કરી રહ્યા નથી. તેમનું કહેવું છે કે તેમનું મૃત્યુ પ્રમાણપત્ર પંચાયત અધિકારીઓ અને તાલુકાના કર્મચારીઓની મિલીભગતથી બનાવવામાં આવ્યું છે. હરિકિશન બુધલકોટીએ જણાવ્યું કે તેઓ સરકારી કચેરીઓના ચક્કર લગાવીને થાકી ગયા છે. હવે તેઓ કુમાઉના કમિશનર દીપક રાવત પાસેથી ન્યાયની અપેક્ષા રાખે છે.
કડક પગલાં લેવાશે: મૃત જાહેર કરાયેલા હરિકિશન બુધલકોટીની સમસ્યા પર કુમાઉના કમિશનર દીપક રાવતે તહસીલદાર કુષ્યા કુતૌલીને સમગ્ર મામલામાં નિષ્પક્ષ તપાસ કરવા સૂચના આપી છે. તેમણે કહ્યું છે કે આ ખૂબ જ ગંભીર મામલો છે. નિષ્પક્ષ તપાસ કરીને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.