અમરનાથ ગુફા પાસે વાદળ ફાટતા 15 શ્રદ્ધાળુઓના મોત, 40 ગુમ, મોદી-શાહે સ્થિતિ વિશે પૂછપરછ કરી

author img

By

Published : Jul 8, 2022, 7:22 PM IST

Updated : Jul 8, 2022, 10:59 PM IST

અમરનાથ ગુફા પાસે વાદળ ફાટતા 2ના મોત, NDRF, ITBP બચાવ કાર્યમાં વ્યસ્ત

પવિત્ર અમરનાથ ગુફા વિસ્તારમાં વાદળ ફાટવાથી (Amarnath cloud brust) 15 લોકોના મોત થયા છે. અનેક યાત્રાળુઓ ફસાયા છે. લગભગ 40 યાત્રાળુઓ ગુમ છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે એલજી મનોજ સિન્હા પાસેથી સ્થિતિ વિશે માહિતી લીધી છે. રાષ્ટ્રપતિ, પીએમ, ગૃહપ્રધાન સહિત ઘણા લોકોએ જીવ ગુમાવનારા લોકો માટે શોક વ્યક્ત કર્યો છે.

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પવિત્ર અમરનાથ ગુફા વિસ્તારમાં વાદળ ફાટવાના (Amarnath cloud brust) કારણે ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે. અનેક યાત્રાળુઓ (Amarnath yatra) ફસાયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વાદળ ફાટવાના કારણે આવેલા પૂરમાં ઓછામાં ઓછા ત્રણ લંગર (સામુદાયિક રસોડા) અને 25 પેસેન્જર ટેન્ટ ધોવાઈ ગયા હતા. લગભગ 40 યાત્રાળુઓ ગુમ છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધી શકે છે.

  • #WATCH | J&K: Massive amount of water flowing turbulently after a cloud burst occurred in the lower reaches of Amarnath cave. Rescue operation is underway at the site pic.twitter.com/w97pPU0c6k

    — ANI (@ANI) July 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વહીવટીતંત્રની સાથે NDRF અને SDRFની ટીમો રાહત કાર્યમાં (Amarnath cloud brust Rescue operation ) લાગેલી છે. પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે એલજી મનોજ સિન્હા પાસેથી સ્થિતિ વિશે માહિતી લીધી છે. હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે. હાલ પુરતી યાત્રા રોકી દેવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર હવામાન વિભાગના રિપોર્ટ અને અન્ય સ્થિતિઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. મોડી રાત સુધી બચાવ કાર્ય ચાલુ હતું.

  • Anguished by the cloud burst near Shree Amarnath cave. Condolences to the bereaved families. Spoke to @manojsinha_ Ji and took stock of the situation. Rescue and relief operations are underway. All possible assistance is being provided to the affected.

    — Narendra Modi (@narendramodi) July 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: અચાનક પણી વધી જતા સ્કૂલબસ પૂરમાં ફસાઈ ગઈ, 25 વિદ્યાર્થીઓ હતા સવાર

પહેલગામના જોઈન્ટ પોલીસ કંટ્રોલ રૂમે જણાવ્યું હતું કે, અમરનાથ ગુફાના નીચાણવાળા વિસ્તારોમાં સાંજે લગભગ 5.30 વાગ્યે વાદળ ફાટવાની જાણ (Amarnath cloud brust) થઈ હતી. એસડીઆરએફ અને અન્ય સહયોગી એજન્સીઓ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે. ITBPએ જણાવ્યું કે ઉપરના વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ગુફાની ઉપરથી પાણી આવ્યું. હાલ વરસાદ બંધ થઈ ગયો છે.

  • बाबा अमरनाथ जी की गुफा के पास बादल फटने से आयी फ्लैश फ्लड के संबंध में मैंने LG श्री @manojsinha_ जी से बात कर स्थिति की जानकारी ली है। NDRF, CRPF, BSF और स्थानीय प्रशासन बचाव कार्य में लगे हैं। लोगों की जान बचाना हमारी प्राथमिकता है। सभी श्रद्धालुओं की कुशलता की कामना करता हूँ।

    — Amit Shah (@AmitShah) July 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: નાળામાં પાણીનું સ્તર અચાનક વધી ગયું, 2 શખ્સ ગાડી સાથે ડુબ્યા

વાદળ ફાટ્યા બાદ તંબુઓમાંથી પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો હતો, ત્યારબાદ ભક્તોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ઘણા લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા. આગામી સમયમાં શ્રાઈન બોર્ડ દ્વારા હેલ્પ લાઈન પણ જારી કરવામાં આવશે. જેમના સંબંધીઓ ત્યાં ગયા છે, તેઓ તે નંબર પરથી માહિતી મેળવી શકે છે.

  • #WATCH | J&K: Visuals from lower reaches of Amarnath cave where a cloud burst was reported at around 5.30 pm. Rescue operation underway by NDRF, SDRF & other associated agencies. Further details awaited: Joint Police Control Room, Pahalgam

    (Source: ITBP) pic.twitter.com/AEBgkWgsNp

    — ANI (@ANI) July 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"વાદળ ફાટવાની માહિતી મળી છે. એક ટીમ પવિત્ર ગુફા પાસે છે. અમે અમારી વધુ ટીમો ત્યાં મોકલી છે. તેમણે કહ્યું કે અત્યારે અમે પુષ્ટિ કરી શકતા નથી કે કેટલા લોકોના મોત થયા છે. કુલ કેટલા લોકો હાજર હતા તે પણ નક્કી નથી." NDRFના ડીજી અતુલ ગઢવાલ

" class="align-text-top noRightClick twitterSection" data=" ">

રેસ્ક્યુ ઓપરેશનમાં શું પડકાર હશે તે અંગે તેમણે જણાવ્યું કે, રેસ્ક્યુ માટેનો પડકાર હવામાન છે. બીજી તરફ, ડીજી ગઢવાલે કહ્યું કે, એનડીઆરએફ હેલ્પલાઇન નંબર જારી કરશે કે નહીં, હેલ્પલાઇન નંબર રાજ્ય સરકારનો છે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ નંબર (Amarnath shrine board helpline) જારી કરશે. અમે તેમની સાથે કામ કરીશું.

Last Updated :Jul 8, 2022, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.