પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની ગોળી મારી હત્યા, 2 મિત્રો પણ ઈજાગ્રસ્ત

author img

By

Published : May 29, 2022, 7:20 PM IST

પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની ગોળી મારી હત્યા, 2 મિત્રો પણ ઈજાગ્રસ્ત

પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાને ધોળે દિવસે ગોળી મારવામાં આવી (Sidhu Musewale killed in firing) હતી, જેના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે સમાચાર આવી રહ્યા છે કે, સિદ્ધુનું નિધન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, માણસાના જવાહરકે ગામમાં તેના પર ગોળીબાર થયો હતો.

મનસા: પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાને ધોળે દિવસે ગોળી (Sidhu Musewale killed in firing) મારવામાં આવી હતી, જેના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે સમાચાર આવી રહ્યા છે કે, સિદ્ધુનું નિધન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, માણસાના જવાહરકે ગામમાં તેના પર ગોળીબાર થયો હતો.

ગોળી મારી પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા, 2 મિત્રો પણ ઈજાગ્રસ્ત
ગોળી મારી પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા, 2 મિત્રો પણ ઈજાગ્રસ્ત

આ પણ વાંચો: ફરી વધી રાણા દંપત્તિની મૂશ્કેલી: 2 પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ હુમલામાં સિદ્ધુ (Famous Punjabi singer Sidhu Musewale)ના 2 સાથી પણ ઈજાગ્રસ્ત થયા છે. જણાવી દઈએ કે, પંજાબ સરકારે શનિવારે જ સિદ્ધુ મુસેવાલાની સુરક્ષામાં ઘટાડો કર્યો હતો. એક રિપોર્ટ અનુસાર સિદ્ધુને 8થી 10 ગનમેન આપવામાં આવ્યા હતા, પરંતુ સુરક્ષા ઘટાડીને પંજાબ સરકારે તેમને માત્ર 2 ગનમેન આપ્યા હતા.

  • Punjab | Congress leader and Punjabi singer Sidhu Moose Wala was shot by unknown people in Mansa district, three people including Sidhu injured in the firing incident. Further details awaited.

    — ANI (@ANI) May 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: Amarnath Yatra 2022: અમરનાથ યાત્રા જવા પહેલા જાણી લો, આ ટેગ છે ફરજિયાત

પ્રાથમિક જાણકારી અનુસાર સિદ્ધુ મૂસેવાલા તેના સાથી સાથે કારમાં જઈ રહ્યા હતા. કાળા રંગની કારમાં સવાર 2 હુમલાખોરોએ તેમના પર ગોળીબાર (Punjab firing) કર્યો હતો. આ દુઃખદ ઘટના સામે આવ્યા બાદ સિદ્ધુના પરિવારજનોએ પંજાબ સરકાર સામે રોષ ઠાલવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.