Exclusive interview yogendra yadav: ખેડૂત આંદોલનને કારણે કૃષિ કાયદાઓના મોત, આજે મૃત્યુ પ્રમાણપત્ર પણ મળી ગયું

author img

By

Published : Nov 20, 2021, 9:30 PM IST

farmer leader yogendra yadav

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચી (return farm law) લીધા છે. આ અંગે Etv Bharatના દિલ્હી સ્ટેટ હેડ વિશાલ સૂર્યકાંતે ખેડૂતોના આંદોલન સાથે જોડાયેલા સ્વરાજ પાર્ટીના સંસ્થાપક યોગેન્દ્ર યાદવ સાથે ખાસ વાતચીત (exclusive interview with yogendra yadav) કરી હતી. આ દરમિયાન યોગેન્દ્ર યાદવે MSP પર કમિટીના આશ્વાસન પર વાત કરી છે. જે કામ પર માટી નાખવાની હોય છે તેના માટે જ કમિટીઓ બનાવવામાં આવે છે. કાયદા મરી ગયા છે, મૃત્યુ પ્રમાણપત્રની (Death certificate) રાહ જોવાઈ રહી હતી, તે આજે જારી કરવામાં આવ્યું છે. જો વિપક્ષ સક્રિય હોત તો ખેડૂતોને રસ્તા પર ઉતરવું ન પડત.

  • સ્વરાજ પાર્ટીના સ્થાપક યોગેન્દ્ર યાદવની Etv Bharat સાથે ખાસ વાતચીત
  • ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવા અંગે ખેડૂતોના આંદોલનમાં સામેલ હતા યોગેન્દ્ર યાદવ
  • જેના પર માટી નાંખવી છે તેના માટે જ સમિતી રચાય છે: યોગેન્દ્ર યાદવ

નવી દિલ્હી: Etv Bharatના દિલ્હી સ્ટેટ હેડ વિશાલ સૂર્યકાંતે સ્વરાજ પાર્ટીના સ્થાપક યોગેન્દ્ર યાદવ સાથે ખાસ વાતચીત (exclusive interview with yogendra yadav) કરી હતી. જેઓ મોદી સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવા (return farm law) અંગે ખેડૂતોના આંદોલનમાં સામેલ હતા. આ દરમિયાન યોગેન્દ્ર યાદવે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત પર ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, તેઓ પહેલેથી જ કહેતા હતા કે ખેડૂતોના આંદોલનની આગમાં ત્રણેય કૃષિ કાયદાઓ મરી ગયા છે. બસ અમે મૃત્યુ પ્રમાણપત્રની (Death certificate) રાહ જોઈ રહ્યા હતા. તે આજે મળી ગયા છે.

આ પણ વાંચો: AMARCHAND BANTHIYA: દેશની આઝાદીમાં આ ખજાનચીનું યોગદાન અમૂલ્ય, આ રીતે મોતને ભેટ્યા

જો વિપક્ષે પોતાનો ભાગ ભજવ્યો હોત તો કદાચ ખેડૂતોને રસ્તા પર ન આવવું પડત: યોગેન્દ્ર યાદવ

યોગેન્દ્ર યાદવે આ ઐતિહાસિક જીત ગણાવી અને કહ્યું કે, આ એક ઐતિહાસિક જીત હજુ અધૂરી છે. આ દેશમાં ખેડૂતોએ પોતાનું અસ્તિત્વ સ્થાપિત કર્યું છે અને દેખાડી દીધું છે કે ખેડૂતોને અવગણી શકાય નહીં. આ દેશમાં ખેડૂતોની વાત સાંભળ્યા વિના વડાપ્રધાનની ખુરશી પર કોઈ બેસી શકે નહીં. આંદોલનની રણનીતિની જીત કે ચૂંટણીની રાજનીતિની જીતના સવાલ પર યોગેન્દ્ર યાદવે (farmer leader yogendra yadav) કહ્યું કે, અમારી રણનીતિએ દબાણ બનાવ્યું તો સરકારને ચૂંટણીની ચિંતા હતી. આ આંદોલનમાં 700 લોકો શહીદ થયા, પછી સરકાર રાજી ન થઈ પરંતુ ચૂંટણીના દસ્તકમાં ખેડૂતોના આંદોલનને કારણે સિંહાસન ધ્રૂજવા લાગ્યું, પછી સરકાર જાગી. વિપક્ષી દળોની ભૂમિકા પર યોગેન્દ્ર યાદવે કહ્યું કે જો તેઓએ પોતાનો ભાગ ભજવ્યો હોત તો કદાચ ખેડૂતોને રસ્તા પર ન આવવું પડત. આંદોલનમાં એક મહત્વપૂર્ણ તબક્કો પાર કરવામાં આવ્યો છે. જેઓએ સહકાર આપ્યો છે તેમને તેઓ સલામ કરે છે.

ખેડૂત આંદોલનને કારણે કૃષિ કાયદાઓના મોત

આ પણ વાંચો: RAKESH TIKAIT EXCLUSIVE INTERVIEW: ખેડૂતોનું આંદોલન તરત પાછું નહીં ખેંચાય

સરકારે પહેલા નક્કી કરવું જોઈએ કે તેઓ MSPની ગેરંટી આપશે: યોગેન્દ્ર યાદવ

ખેડૂતોની ચૂંટણીલક્ષી મહત્વકાંક્ષા સાથે જોડાયેલા મુદ્દા પર યોગેન્દ્ર યાદવનું (farmer leader yogendra yadav) કહેવું છે કે, સ્વરાજ પાર્ટી પંજાબ, યુપીની ચૂંટણી લડી રહી નથી. MSP પર કમિટી બનાવવાના વડાપ્રધાન મોદીના આશ્વાસન પર યોગેન્દ્ર યાદવે કહ્યું કે, આ દેશમાં જે કામ પર માટી નાંખવી પડે છે તેના માટે સમિતિ બનાવવામાં આવે છે. સરકારે પહેલા નક્કી કરવું જોઈએ કે તેઓ MSPની ગેરંટી આપશે. તે કેવી રીતે મેળવવું તે માટે ફરીથી એક સમિતિની રચના કરી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.