India Corona Update: છેલ્લા 24 કલાકમાં 9,283 નવા કેસ નોંધાયા, 437નાં થયાં મોત

author img

By

Published : Nov 24, 2021, 4:01 PM IST

Corona Update: છેલ્લા 24 કલાકમાં 9,283 નવા કેસ, 437 મૃત્યુ નોંધાયા

ભારતમાં સક્રિય કોરાના કેસની સંખ્યા 1,11,481 નોંધાઈ છે, જે પછી પાછળના 537 દિવસથી નીચી સપાટીએ છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ(Corona virus)ના 9,283 નવા કેસ નોંધાયા છે. કોરોનાના કારણે એક જ દિવસમાં 437 લોકોના મોત થયા છે. આ માહિતી સ્વાસ્થ્ય મંત્રાલય (Ministry of Health) દ્વારા આપવામાં આવી છે.

  • ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9,283 નવા કેસ નોંધાયા
  • માહિતી સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી
  • એક જ દિવસમાં 437 લોકોના મોત

નવી દિલ્હી: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 9,283 નવા કેસ નોંધાયા છે. કોરોનાના(Corona virus) કારણે એક જ દિવસમાં 437 લોકોના મોત થયા છે. માહિતી અનુસાર, દેશમાં સક્રિય કેસની સંખ્યા(Number of active cases in the country) 1,11,481 નોંધાઈ છે, જે પછી પાછળના 537 દિવસથી નીચી સપાટીએ છે. તે જ સમયે, કોરોના માંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 10,949 થઈ ગઈ છે. કોરોનાના કારણે એક જ દિવસમાં 437 લોકોના મોત થયા છે. આ માહિતી સ્વાસ્થ્ય મંત્રાલય (Ministry of Health) દ્વારા આપવામાં આવી છે.

આ પણ વાંચો: કોરોના વેક્સિનના બન્ને ડોઝ લેનારા લોકોને સરકાર આપશે ઈનામ!

ગુજરાતમાં 319 જેટલા કોરોનાના એક્ટિવ કેસ

ગુજરાતમાં કોરોના (coronavirus in gujarat) પોઝિટિવ દર્દીઓના કેસો (corona positive cases) 23 નવેમ્બરના રોજ 36 નોંધાયા હતા. 36માંથી 17 કેસો અમદાવાદ કોર્પોરેશન (ahmedabad corporation) વિસ્તારમાં નોંધાયા હતા, જેથી અમદાવાદમાં કોરોનાને(coronavirus in ahmedabad) લઈને ફરી ફફડાટ પેઠો છે. જો કે 40ની નીચે કોરોના પોઝિટિવ કેસો (positive cases of corona) રાજ્યમાં હોવાથી કોરોના પર કંટ્રોલ જોવા મળ્યો છે.

ગુજરાતમાં 23 નવેમ્બરના કોરોનાના (corona cases in gujarat) 36 પોઝિટિવ કેસો નોંધાયા

કોરોનાની બીજી લહેર (corona second wave) બાદ રાજ્યમાં સતત પોઝિટિવ કેસમાં (corona positive cases) ઘટાડો નોંધાતો જોવા મળી રહ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસો (corona cases) ફરી એકવાર વધી રહ્યા છે. ગુજરાતમાં 23 નવેમ્બરના કોરોના (corona cases in gujarat)ના 36 પોઝિટિવ કેસો નોંધાયા છે, જ્યારે એક દર્દીનું દુ:ખદ મૃત્યુ થયું છે. એક તરફ કોરોનાના કેસો વધી રહ્યા છે, તો બીજી તરફ લોકો માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સિંગ (social distancing) જાળવવું વગેરે બાબતમાં પણ બેદરકારી દાખવી રહ્યા છે.

આ પણ વાંચો: કોરોના રસીકરણમાં અનેક રાજ્યોની મંદ ગતિ, સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ આપી મહત્વની સલાહ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.