મણિશંકરના જેમ ખડગેએ કરી મોટી ભૂલ વડાપ્રધાન મોદીની સરખામણી કરી રાવણ સાથે

author img

By

Published : Nov 29, 2022, 4:12 PM IST

Updated : Nov 29, 2022, 5:50 PM IST

Etv Bharatમણિશંકરના જેમ ખડકેએ કરી મોટી ભૂલ વડાપ્રધાન મોદીની સરખામણી કરી રાવણ સાથે

ગુજરાત ચૂંટણીના પ્રથમ ચરણના મતદાનમાં આચાર સંહિતા લાગતા પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મણિશંકર ઐયરે એક સભામાં વડાપ્રધાન મોદીને લઇને કટાક્ષ (Congress president mallikarjun kharge statmant on pm modi)કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષે ખડગેએ કહ્યું કે, 'મોદી દરેક ચૂંટણીમાં દેખાય છે, શું તેમની પાસે રાવણ જેવા 100 માથા છે?'. ભાજપાએ તેમનો આ નિવેદન પર વિરોધ કર્યો હતો.

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં જેવી રીતે મણિશંકર ઐયરે વડાપ્રધાન મોદીને નિચ બોલીને કોંગ્રેસને મોટું નુકસાન કરાવ્યું હતું. તેવિજ રીતે કોંગ્રેસ અધ્યક્ષે પણ તેમની એક સભામાં વડાપ્રઘાન મોદીને તેમણે કહ્યું કે 'મોદી દરેક ચૂંટણીમાં દેખાય છે, શું તેમની પાસે રાવણ જેવા 100 માથા છે?'. જેને લઇને રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે તણાવ વધી ગયો છે.

  • मोदी जी प्रधानमंत्री हैं। वह काम छोड़कर नगर निगम का चुनाव, MLA का चुनाव, MP के चुनाव में प्रचार करते रहते हैं।

    हर वक्त अपनी ही बात करते हैं - 'आप किसी को मत देखो, मोदी को देखकर वोट दो।'

    आपकी सूरत कितनी बार देखें? आपके कितने रूप हैं? क्या रावण की तरह 100 मुख हैं?

    - @kharge जी pic.twitter.com/Iy6hYQfuhc

    — Congress (@INCIndia) November 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભાઈ તમારી પાસે રાવણ જેવા 100 માથા છે: ખડગેએ જનસભામાં કહ્યું, 'શું મોદી આવીને નગરપાલિકાનું કામ કરવાના છે? મુશ્કેલીમાં મદદરૂપ થવાના છે. તમે વડાપ્રધાન છો. જે કામ તમને આપવામાં આવ્યું છે તે કરો. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ, ધારાસભ્યોની ચૂંટણીઓને બાજુ પર મૂકીએ, તેઓ દરેક સમયે પોતાની વાત કરે છે. કોઈની તરફ ન જુઓ, મોદીને જોઈને મત આપો. કેટલી વાર તમારો ચહેરો જોયો છે. કોર્પોરેશનની ચૂંટણીમાં પણ તમારો ચહેરો જોવો, ધારાસભ્યની ચૂંટણીમાં પણ તમારો ચહેરો જોવો. એમપીની ચૂંટણીમાં પણ તમારો ચહેરો જોયો. દરેક જગ્યાએ તમારો ચહેરો જોવો કેટલા છે ભાઈ તમારી પાસે રાવણ જેવા 100 માથા છે.

અમે ગરીબોમાં સૌથી ગરીબ: આ પહેલા મલ્લિકાર્જુન ખડગેએ ઈમોશનલ કાર્ડને લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. એક રેલીમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, 'તમારા જેવો માણસ, જે હંમેશા દાવો કરે છે કે હું ગરીબ છું. અરે ભાઈ અમે પણ ગરીબ છીએ. અમે ગરીબોમાં સૌથી ગરીબ છીએ. અમે અસ્પૃશ્યોની વચ્ચેથી આવીએ છીએ. ઓછામાં ઓછું કોઈ તમારી ચા પીવે, મારી ચા પણ કોઈ પીતું નથી. અને પછી તમે કહો - હું ગરીબ છું. કોઈએ મારી સાથે દુર્વ્યવહાર કર્યો, મારી સ્થિતિ શું છે.

ભાજપે વળતો પ્રહાર કર્યો: ખડગેના નિવેદન પર ભાજપ આક્રમક બની ગયું છે. બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, 'પીએમ મોદીને રાવણ કહેવું ઘોર અપમાન છે. મલ્લિકાર્જુન ખડગેએ સમગ્ર ગુજરાતનું અપમાન કર્યું છે. આ નિવેદન માત્ર ખડગેનું નથી પરંતુ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું છે. સોનિયાના ઈશારે પીએમનું અપમાન કરવામાં આવ્યું છે. સોનિયાએ મોદીને મોતના સોદાગર ગણાવ્યા હતા. મિસ્ત્રીએ મોદીને તેમનું સ્ટેટસ બતાવવા કહ્યું હતું. પીએમ મોદીએ આતંકવાદની સ્થિતિ દર્શાવી છે.

ગુજરાતની જનતા આ અપમાનનો બદલો પોતાના વોટથી લેશે: સંબિત પાત્રાએ વધુમાં કહ્યું કે, 'ગાંધી પરિવાર પીએમ મોદીને નફરત કરે છે. પીએમ મોદીને ક્રૂર, વાનર અને રાક્ષસ પણ કહ્યા હતા. અલકા લાંબાએ નકામા હોવાની વાત કહી હતી. દુરુપયોગનો અર્થ એ છે કે કંઈક સારું થઈ રહ્યું છે. ટુકડે ટુકડે ગેંગ ગાળો આપે તો સ્પષ્ટ થાય છે કે દેશ એક થયો છે. દુર્વ્યવહારનો બદલો મત દ્વારા લેવો પડે છે. ગુજરાતની જનતા આ અપમાનનો બદલો પોતાના વોટથી લેશે.

  • जब भ्रष्टाचारी गाली देते हैं तो ये तय होता है कि हमारे प्रधानमंत्री जी कुछ अच्छा कर रहे हैं, जब टुकड़े-टुकड़े गैंग वाले गाली देते हैं तो ये तय होता है कि प्रधानमंत्री जी देश को जोड़ रहे हैं।

    - डॉ. @sambitswaraj pic.twitter.com/Z4mPeIdAfJ

    — BJP (@BJP4India) November 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ગુજરાતના પુત્રનું અપમાન કર્યું: ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ ગુજરાતના પુત્રનું અપમાન કરી રહી છે. માલવિયાએ ટ્વીટ કર્યું, 'કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પોતાના શબ્દો પરનો કાબૂ ગુમાવ્યો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'રાવણ' કહ્યા હતા. 'મૌત કા સૌદાગર'થી લઈને 'રાવણ' સુધી કોંગ્રેસ ગુજરાત અને તેના પુત્રનું અપમાન કરતી રહી છે.'

2017માં મણિશંકર ઐયરે પણ વડાપ્રધાને અપશબ્દો કહ્યા હતા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017મા કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યરે વડાપ્રધાન મોદી પર આવું નિવેદન આપ્યું હતું, જેને લઈને ભાજપને કોંગ્રેસ સામે બેઠું મોટું હથિયાર આપ્યું હતું. અય્યરે બાબા સાહેબ આંબેડકરને લઈને વડાપ્રધાન મોદીના નિવેદનને નીચ અને અસંસ્કારી માણસ ગણાવ્યા હતા. ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં પૂરેપૂરું જોર લગાવનાર ભાજપે આ મુદ્દાને ઉઠાવવામાં જરા પણ સમય લીધો નથી. વડા પ્રધાન મોદીએ પોતે પક્ષ વતી આગેવાની લીધી અને પક્ષના અન્ય પ્રવક્તા તરત જ મેદાનમાં ઉતર્યા હતા.

રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલે જણાવ્યું: કોઈ એક નેતા બીજા અન્ય નેતા માટે થઈને કોઈપણ જ પ્રકારનો શબ્દ ઉપયોગ કરે તે ખરેખર બરાબર નથી તે ખૂબ જ દુઃખની વાત છે બધા જ રાજકીય પાર્ટીઓના નેતાઓ આવા પ્રકારની ભાષાઓનો પ્રયોગ કરે છે. ગુજરાતના આ ચૂંટણીમાં આ વખતે આવા કોઈ પણ પ્રકારના મુદ્દા ચાલવાના નથી. છેલ્લા છ મહિનામાં 10 થી 12 વખત ભારતીય જનતા પાર્ટી એ આવા મુદ્દાઓને ઉઠાવવાની કોશિશ કરી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ એવો ભાવનાત્મક મુદો મળી જાય કે જેના ઉપર કોઈ એવું સ્ટેટમેન્ટ મળી જાય જેનાથી ઇલેક્શનને લઈને માહોલ બદલી દેશું પરંતુ આ વખતે આવું નથી.

મણિશંકરના જેમ ખડગેએ કરી મોટી ભૂલ વડાપ્રધાન મોદીની સરખામણી કરી રાવણ સાથે

રાજકીય પાર્ટીના નેતાઓના નિવેદન: આ વખતે ગુજરાતની જનતાને એવું લાગી રહ્યું છે કે જે એમના બેઝિક ઇશ્યૂ હોય એના ઉપર ચૂંટણી થાય. શિક્ષણ સ્વાસ્થ્ય અને મૂળ મુદ્દાઓ પર વાત કેમ નથી થઈ. ગુજરાતની ચૂંટણીમાં આ વખતે માત્રને માત્ર લોકોના જીવન જરૂરિયાત ઉપર જે મુદ્દા મૂકવામાં આવ્યા છે તે જ ચાલશે અને કોઈપણ રાજકીય પાર્ટીના નેતાઓ આ પ્રકારના નિવેદન આપશે તો એનાથી ચૂંટણી જીતી શકાશે નહીં.

મણિશંકરના જેમ ખડગેએ કરી મોટી ભૂલ વડાપ્રધાન મોદીની સરખામણી કરી રાવણ સાથે

રાજકિય વિશ્લેષક પ્રશાંત ગઢવીએ જણાવ્યું: ચૂંટણી ગુજરાતની હોય કે પછી દેશની ચૂંટણી જેમ નજીક આવી રહી છે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક પોતાનો સેલ્ફ ગોલ એટલે કે કોંગ્રેસ દ્વારા એવું થઈ રહ્યું છે કે પોતાની જ કુહાડી પોતાના પગ ઉપર મારવામાં આવી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલિકાર્જુન ખડકે એ મોદીને જે રાવણની ઉપમા આપી છે અને એમને 10 માથા વાળા કહ્યા છે. એક રીતે જોવા જઈએ તો કોંગ્રેસ પોતાનામાં ખૂબ જ મજબૂત છે કોંગ્રેસનું એક પોતાનું કમિટેડ વોટબેંક પણ છે અને જનતા પણ કોંગ્રેસને પસંદ કરી રહી છે. જનતા નું જોઈએ તો કોઈકનું બીજેપી પ્રત્યે સમર્થન હોય છે તો કોઈકનું કોંગ્રેસ સમર્થન હોય છે. ગુજરાતમાં વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદીનું સમર્થન અહીં વધુ જોવા મળે છે 2017માં પણ મનીશંકર ઐયર દ્વારા નરેન્દ્ર મોદીને ખરાબ વાક્ય પ્રયોગ કર્યો હતો. અહીંના અધ્યક્ષ પણ કંઈક ને કંઈક કહેતા જ રહેતા હોય છે કોંગ્રેસનો જે બથ બોલીને જ સ્વભાવ છે એનાથી કોંગ્રેસને જ નુકસાન થઈ રહ્યું છે.

Last Updated :Nov 29, 2022, 5:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.