અમિત શાહે જમ્મુ કાશ્મીરમાં અઝાન પર ભાષણ રોકી દીધુ

author img

By

Published : Oct 5, 2022, 6:49 PM IST

અમિત શાહે જમ્મુ કાશ્મીરમાં અઝાન પર ભાષણ બંધ કર્યું

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે ઉત્તર કાશ્મીરના બારામુલ્લા શહેરમાં તેમની જાહેર સભા દરમિયાન અઝાન પર ભાષણ બંધ કર્યું (Amit Shah halts hits speech for Azan) હતું.

જમ્મુ અને કાશ્મીર: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે ઉત્તર કાશ્મીરના બારામુલ્લા શહેરમાં તેમની જાહેર સભા દરમિયાન અઝાન માટે તેમના ભાષણમાં વિક્ષેપ પાડ્યો હતો. (Amit Shah halts hits speech for Azan) બારામુલ્લામાં નજીકની મસ્જિદમાંથી અઝાન સાંભળતા જ અમિત શાહે પોતાનું ભાષણ બંધ કરી દીધું હતું.

અમિત શાહે બારામુલ્લામાં અઝાન પર ભાષણ બંધ કર્યું

અઝાન સમાપ્ત થયા પછી, શાહે તેમનું ભાષણ ફરી શરૂ કર્યું. શાહે અહીં રેલીમાં ભાગ લેવા કાશ્મીરના વિવિધ ભાગોમાંથી આવેલા હજારો લોકોને સંબોધિત કર્યા હતા. ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને વરિષ્ઠ અધિકારીઓ સાથે સુરક્ષા સમીક્ષા બેઠકની (Amit Shah visits Jammu and kashmir) અધ્યક્ષતા કરી હતી.

  • Jammu and Kashmir | Union Home Minister Amit Shah along with Lt Governor Manoj Sinha chairs a security review meeting with senior officials in Srinagar pic.twitter.com/gTbNdubEot

    — ANI (@ANI) October 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.