અમરનાથ યાત્રામાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, 6 લોકો એરલિફ્ટ, 16ના મોત

author img

By

Published : Jul 9, 2022, 10:26 AM IST

Updated : Jul 9, 2022, 2:46 PM IST

અમરનાથ યાત્રામાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, 6 લોકોને એરલિફ્ટ, 16ના મોત

પવિત્ર અમરનાથ ગુફા (Amarnath Yatra 2022) વિસ્તારમાં વાદળ ફાટવાથી 15 લોકોના મોત થયા છે. અનેક યાત્રાળુઓ ફસાયા છે. લગભગ 40 યાત્રાળુઓ ગુમ છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે એલજી મનોજ સિન્હા પાસેથી સ્થિતિ વિશે માહિતી લીધી છે.

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પવિત્ર અમરનાથ ગુફા (Amarnath Yatra 2022) વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે. અનેક યાત્રાળુઓ ગુમ છે. સેનાએ શનિવારે સવારે બચાવ કામગીરી શરૂ કરી હતી. 6 લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. બીજી તરફ પર્વત બચાવ ટીમે ગુમ થયેલા લોકોની શોધખોળ શરૂ કરી દીધી છે. મીડિયા અહેવાલો અનુસાર, વાદળ ફાટવાના કારણે આવેલા પૂરમાં ઓછામાં ઓછા ત્રણ લંગર (સામુદાયિક રસોડા) અને 25 પેસેન્જર ટેન્ટ ધોવાઈ ગયા હતા. લગભગ 40 યાત્રાળુઓ ગુમ છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધી શકે છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગૃહપ્રધાન સહિત ઘણા લોકોએ જીવ ગુમાવનારા લોકો માટે શોક વ્યક્ત કર્યો છે. હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે.

અમરનાથ યાત્રામાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, 6 લોકો એરલિફ્ટ, 16ના મોત

આ પણ વાંચો: અમરનાથ યાત્રીનો સેના જવાનોએ બચાવ્યો જીવ, જાણો શું છે સમગ્ર ઘટના

NDRF અને SDRFની ટીમો રાહત કાર્યમાં લાગી : વહીવટીતંત્રની સાથે NDRF અને SDRFની ટીમો રાહત કાર્યમાં લાગેલી છે. વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે એલજી મનોજ સિન્હા પાસેથી સ્થિતિ વિશે માહિતી લીધી છે. હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે. હાલ પુરતી યાત્રા રોકી દેવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર હવામાન વિભાગના રિપોર્ટ અને અન્ય સ્થિતિઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. મોડી રાત સુધી બચાવ કાર્ય ચાલુ હતું. નિલાગર હેલિપેડ પર મેડિકલ ટીમો હાજર છે. માઉન્ટેન રેસ્ક્યુ ટીમ અને અન્ય ટીમો ગુમ થયેલા લોકોને શોધી રહી છે. બચાવ કાર્યમાં જોડાયેલા સુરક્ષાકર્મીઓએ દાવો કર્યો છે કે સ્થિતિ નિયંત્રણમાં છે અને ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સુરક્ષા દળોનું એમ પણ કહેવું છે કે, બચાવ કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. બચાવ કાર્યમાં સર્ચ અને રેસ્ક્યુ ડોગ્સ પણ તૈનાત કરવામાં આવ્યા છે. શરીફબાદથી બે સર્ચ અને રેસ્ક્યુ ડોગ્સને હેલિકોપ્ટર દ્વારા પવિત્ર ગુફામાં લઈ જવામાં આવ્યા છે.

  • J&K | About 10 patients were there, 2 received head injury, 5 have fracture and 2-3 cases of hypothermia...: Major Pankaj Kumar, Nodal Medical Officer, Northern Route on evacuation and rescue operation that continues in the cloudburst affected areas #AmarnathCloudburst pic.twitter.com/xqhJRS87kN

    — ANI (@ANI) July 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવી

હેલ્પલાઈન નંબર
હેલ્પલાઈન નંબર

ભારતીય સેના બચાવ અભિયાન ચલાવી રહી છે : ભારતીય સેના પણ ઘટનાસ્થળે બચાવ અભિયાન ચલાવી રહી છે. ઈજાગ્રસ્તોને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત સ્થાનો અને હોસ્પિટલોમાં મોકલવામાં આવી રહ્યા છે. સોનમાર્ગના બાલતાલ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરી દેવામાં આવી છે. એક ભક્તે કહ્યું કે અમને આજે અહીં તંબુમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. ત્યાંનું હવામાન (અમરનાથ ગુફા) સ્પષ્ટ નથી.

  • Rescue operation has been intensified, around 30-40 people are still missing. The weather is clear near #Amarnath cave. The injured people have been brought to base using helicopters. Yatra is still on hold & we're advising people not to move ahead: Vivek Kumar Pandey, PRO, ITBP pic.twitter.com/pUrCyFZHlr

    — ANI (@ANI) July 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આરોગ્ય વિભાગને પણ એલર્ટ મોડ પર : અમરનાથ યાત્રા દુર્ઘટનાને લઈને આરોગ્ય વિભાગને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. ડિરેક્ટોરેટ ઓફ હેલ્થ સર્વિસીઝ, કાશ્મીરએ કર્મચારીઓની તમામ રજાઓ રદ કરી છે અને તેમને તાત્કાલિક ફરજ પર હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. તમામ અધિકારીઓને તેમના મોબાઈલ સ્વીચ ઓન રાખવા સૂચના આપી હતી. સીએમઓ ગાંદરબલ ડૉ. અફરોઝા શાહે જણાવ્યું કે હાલ તમામ ઘાયલોની ત્રણેય બેઝ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અપર હોલી કેવ, લોઅર હોલી કેવ, પંજતરણી અને અન્ય નજીકની સુવિધાઓ લેવામાં આવી રહી છે. ઇજાગ્રસ્ત દર્દીઓની સારી સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો: Amarnath Yatra Registration : જામનગરમાં અમરનાથ યાત્રા રજિસ્ટ્રેશન આ કારણે નથી થતું...જાણો શું કારણ?

15,000 લોકોને સુરક્ષિત મોકલી દેવામાં આવ્યા : ITBP દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પૂરના કારણે પવિત્ર ગુફા વિસ્તારની નજીક ફસાયેલા મોટાભાગના તીર્થયાત્રીઓને પંજતરની મોકલવામાં આવ્યા છે. ITBP એ તેના માર્ગો ખોલ્યા છે અને તેને નીચલા પવિત્ર ગુફાથી પંજતરની સુધી લંબાવી દીધા છે. ટ્રેક પર કોઈ ભક્તો બાકી નથી. લગભગ 15,000 લોકોને સુરક્ષિત મોકલી દેવામાં આવ્યા છે.

Last Updated :Jul 9, 2022, 2:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.