ગૃહ મંત્રાલયે કર્યું ટ્વિટ, અગ્નિવીરોને આસામ રાઈફલ્સની ભરતીમાં મળશે 10 ટકા અનામત

author img

By

Published : Jun 18, 2022, 11:45 AM IST

ગૃહ મંત્રાલયે કર્યું ટ્વિટ, અગ્નિવીરોને આસામ રાઈફલ્સની ભરતીમાં મળશે 10 ટકા અનામત

અગ્નિપથ યોજનાને લઈને ચોથા દિવસે પણ વિરોધ (Agneepath yojana protest) ચાલુ છે. અહીં, ગૃહ મંત્રાલયે CAPF (Central Armed Police Forces) અને આસામ રાઇફલ્સમાં ભરતી માટે અગ્નિવીર માટે 10% ખાલી જગ્યાઓ અનામત રાખવાનો નિર્ણય કર્યો છે.ગૃહ મંત્રાલયે ટ્વિટ કર્યું કે, અગ્નિવીરોને બંને દળોમાં ભરતી માટે ઉપલી વય મર્યાદામાંથી 3 વર્ષની છૂટ આપવામાં આવી છે.

નવી દિલ્હી: અગ્નિપથ યોજનાને લઈને ચોથા દિવસે પણ વિરોધ (Agneepath yojana protest) પ્રદર્શન ચાલુ છે. અહીં, ગૃહ મંત્રાલયે અગ્નિવીરો માટે CAPF (Central Armed Police Forces) અને આસામ રાઇફલ્સમાં ભરતી માટે 10% ખાલી જગ્યાઓ અનામત રાખવાનો નિર્ણય કર્યો છે. ગૃહ મંત્રાલયે ટ્વિટ કર્યું કે, અગ્નિવીરોને બંને દળોમાં ભરતી માટે ઉપલી વય મર્યાદામાંથી 3 વર્ષની છૂટ આપવામાં આવી છે. અગ્નિવીરની પ્રથમ બેચ માટે વયમાં છૂટછાટ ઉપલી વય મર્યાદામાંથી 5 વર્ષ હશે. હાલના નિયમો અનુસાર, CAPFમાં ભૂતપૂર્વ સૈનિકો માટે 10 ટકા ક્વોટા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 'અગ્નવીર' ટ્રેન્ડમાં હશે અને તેને ફરી એકવાર ટ્રેનિંગ લેવા માટે કહેવામાં આવશે. કારણ કે CAPF (Central Armed Police Forces) ની જરૂરિયાતો અલગ છે.

  • गृह मंत्रालय ने अग्निवीरों के लिए CAPFs और असम राइफल्स में भर्ती के लिए 10% रिक्तियों को आरक्षित करने का निर्णय लिया, दो बलों में भर्ती के लिए अग्निवीरों को ऊपरी आयु सीमा से 3 वर्ष की छूट दी गई। अग्निवीर के पहले बैच के लिए आयु में अधिकतम आयु सीमा से 5 वर्ष की छूट होगी: HMO pic.twitter.com/ua6Qy70feK

    — ANI_HindiNews (@AHindinews) June 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: આ ખેડૂતો આવ્યા અગ્નિપથ યોજના સામેની લડાઈના સમર્થનમાં, લેશે મોટો નિર્ણય

અગ્નિવીર યુવાનોને મળશે પ્રાથમિકતા:ITBP, BSF, SSB અને CISFમાં જવાનોની ફરજો અલગ-અલગ હોય છે. જેમ કે બોર્ડર પેટ્રોલિંગ, ડ્રગ્સ, પશુઓ અને હથિયારોની દાણચોરી પર નજર રાખવી, ચૂંટણી અને વિરોધ દરમિયાન કાયદો અને વ્યવસ્થાનું સંચાલન, VVIP સુરક્ષા, મહાનગરો અને એરપોર્ટ પર મુસાફરોની તપાસ વગેરે. આમાંથી કોઈ પણ સશસ્ત્ર દળોની પ્રોફાઇલનો ભાગ નથી. આ પહેલા શુક્રવારે વિરોધ પ્રદર્શનમાં તેલંગાણાના એક વિદ્યાર્થીનું મોત થયું હતું. બિહારમાં ઘણી જગ્યાએ ફરી ટ્રેનોને આગ ચાંપી દેવામાં આવી છે. UPમાં પણ ઘણી જગ્યાએ હંગામો થયો હતો. રાજસ્થાન અને હરિયાણામાં પણ વિદ્યાર્થીઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ગૃહ પ્રધાનએ આ યોજનાને સંવેદનશીલ નિર્ણય ગણાવ્યો હતો. ત્રણેય સેવાના વડાઓએ યુવાનોને આ યોજનામાં ભાગ લેવા અપીલ કરી છે. આ સાથે અગ્નિપથ યોજના (Agneepath yojana) હેઠળ સેનામાં ચાર વર્ષ વિતાવ્યા બાદ નોકરીની ગેરંટી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. આ યોજના પર બંધારણના નિષ્ણાતોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. તે કહે છે કે, સેનામાં ચાર વર્ષ ગાળ્યા પછી નોકરીની ગેરંટી નથી. SP સિંહે કહ્યું કે, અગ્નિવીર યુવાનોને ચોક્કસપણે પ્રાથમિકતા મળશે.

આ પણ વાંચો: બ્રિટિશ હાઈ કમિશનર પહોંચ્યા જલિયાવાલા બાગ, શહીદોને શ્રદ્ધાંજલિ આપી કહ્યું - ભારતના ઈતિહાસનો 'કાળો દિવસ'

તાલીમથી કોઈપણ ક્ષેત્રમાં ભરતી પ્રક્રિયામાં થશે મદદ: તેઓ ચાર વર્ષનો કોર્સ પૂરો કરશે ત્યાં સુધીમાં તેઓને યોગ્ય તાલીમ અને તમામ કૌશલ્યો મળી જશે. આ તાલીમ તેમને કોઈપણ ક્ષેત્રમાં ભરતી પ્રક્રિયામાં મદદ કરશે. SP સિંહ સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ છે. જો કે, તેમણે કહ્યું કે, સરકારે અગ્નિપથ યોજના અંગે યુવાનો માટેના લાભો અને ભવિષ્યની સંભાવનાઓ વિશે વાત કરતા લોકો સુધી પહોંચવું જોઈતું હતું. સિંહે દાવો કર્યો કે, આ મુદ્દાનું રાજનીતિકરણ કરવામાં આવ્યું છે. સિંહે કહ્યું, ઘણી સંસ્થાઓ અને પક્ષો આવી સ્થિતિનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે લગભગ NCC (National Cadet Crop)જેવા ટૂંકા ગાળાના કોર્સ જેવું છે જ્યાં યુવાનોને તેમના ભવિષ્ય માટે તાલીમ આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.