થઈ જોવા જેવી, ભાજપના ચાર બળવાખોરો અપક્ષ ઉમેદવાર તરીકે ભાજપ સામે જ લડશે

author img

By

Published : Nov 17, 2022, 9:08 PM IST

Updated : Nov 18, 2022, 7:40 AM IST

થઈ જોવા જેવી, ભાજપના ચાર બળવાખોરો અપક્ષ ઉમેદવાર તરીકે ભાજપ સામે જ લડશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હવે ઉમેદવારી પત્ર ભરવાની મુદત પૂર્ણ થઈ છે. ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે, તેમ છતાં ભાજપના ચાર ધારાસભ્યોએ ભાજપ સામે બળવો કરીને ભાજપના સત્તાવાર જાહેર થયેલ ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. કઈ બેઠક પર બળવો થયો છે, તે જાણીએ ETV Bharatના આ રીપોર્ટમાં

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022નો (Gujarat Assembly Election 2022) જંગ જામ્યો છે ત્યારે બીજા તબક્કાના ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના બે બળવાખોર નેતાઓએ પ્રદેશ દ્વારા ભારે મથામણ બાદ પણ ડેમેજ કંટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડશે ભાજપા સામે અપક્ષ ઉમેદવારી કરતા ભાજપ માટે પડકાર રૂપ સાબિત થઈ શકે છે. ભાજપના વાઘોડિયાના છ ટર્મથી ચૂંટતા મધુ શ્રીવાસ્તવ અને પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુમામા) એ ભાજપમાંથી ટિકીટ ન મળતા ભાજપના જ ઉમેદવારો સામે અપક્ષ ઉમેદવારી નોંધાવતા હતી. આ બેઠકો પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાતા વડોદરા જિલ્લાની પાદરા (Padra seat of Vadodara district) અને વાઘોડિયા બેઠક (Waghodia seat of Vadodara district) પર ચતુષ્કોણીય જંગ યોજાશે તે નક્કી થઈ ગયું છે.

ભાજપના ઉમેદવાર સામે ભજપનાજ પૂર્વ નેતા ટક્કર આપશે

વાઘોડિયા બેઠક પર ખરા ખરીનો જંગ વાઘોડિયા વિધાનસભા બેઠક પર છેલ્લા છ ટર્મથી ચૂંટતા ભાજપના મધુ શ્રીવાસ્તવને ભાજપ પ્રદેશ મોવડી મંડળ (BJP Pradesh Movadi Mandal) દ્વારા ટિકિટ ન ફાળવવામાં આવતા સમર્થકો સાથે ભારે નારાજગી દાખવી હતી. તેઓ સમર્થકો સાથે ભાજપમાંથી તમામ સભ્યપદેથી રાજીનામુ આપી દીધું હતું. બાદમાં રાજ્ય ગૃહપ્રધાન અને પ્રદેશ અધ્યક્ષ દ્વારા ભારે સમજાવટ માટે અનેક પ્રયત્નો કરવા છતાં ભાજપ ડેમેજ કંટ્રોલ કરવામાં નિષ્ફળ નિવડી હતી. ત્યારે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના દબંગ ધારાસભ્ય કહેવાતા મધુ શ્રીવાસ્તવએ ભાજપના જ ઉમેદવાર સામે જંગ છેડી દીધો છે. ચોક્કસથી આ બેઠક પર ચતુષ્કોણીય જંગ યોજાશે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલ, કોંગ્રેસ ઉમેદવાર સત્યજીતસિંહ ગાયકવાડ, આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગૌતમ રાજપુત સાથે અપક્ષ ઉમેદવાર તરીકે બે દિગ્ગજ નેતાઓ જેમાં મધુ શ્રીવાસ્તવ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે આ બેઠક ખૂબ જ રસપ્રદ બનશે.

ભાજપના ચાર બળવાખોર નેતાઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી
ભાજપના ચાર બળવાખોર નેતાઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી

નારાજગી સામે લડી લેવાના મૂડમાં વડોદરા જિલ્લાની પાદરા બેઠક પર હંમેશા કોંગ્રેસનો દબદબો રહ્યો છે. આ બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં વડોદરા ડેરીના ચેરમેન (Chairman of Vadodara Dairy) દિનેશ પટેલ (દિનુમામા) ને ભાજપ દ્વારા ટિકીટ ન અપાતા ભારે નારાજગી જોવા મળી હતી. તેઓને પણ ભાજપના કેટલાક પ્રતિનિધિઓ દ્વારા ભારે સમજાવટ બાદ પણ તેઓ અપક્ષ લડવાની જીદે અડગ રહ્યા હતા. આજે તેઓએ પાદરા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવતા આ બેઠક પર ખુબ જ રસપ્રદ પરિણામ આવશે. આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ચૈતન્ય ઝાલા, કોંગ્રેસના હાલના ધારાસભ્ય જશપાલસિંહ ઠાકોર (પઢિયાર) તો આમ આદમી પાર્ટીમાંથી સંદીપસિંહ રાજ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. બીજી તરફ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને વડોદરા ડેરીના ચેરમેન એવા દિનેશ પટેલે પણ ભાજપના જ ઉમેદવાર સામે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા ભારે રસપ્રદ જંગ યોજાઈ શકે છે.

લોકોની નાત-જાત ભેદભાવ વગર કામ કર્યું વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવતા મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, મેં છ ટર્મથી આ બેઠક પરથી ચૂંટાયા બાદ અનેક વિકાસના કામો કર્યા છે, પરંતુ કેટલાક કામો બાકી રહી ગયા છે. તેને પૂર્ણ કરવા માટે મેં ભાજપમાંથી ફરી એકવાર ટિકીટની માગણી કરી હતી. પરંતુ મને ટિકીટ ન આપતા હું અપક્ષ તરીકે ઉમેદવારી કરી અધૂરા કામોને હું પૂરા કરવા માટે મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. અગાઉ પણ મેં 1995માં 27 હજારની લીડથી અપક્ષ ઉમેદવાર તરીકે જીત મેળવી હતી. ફરી એકવાર વાઘોડિયા વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવારી કરી છે. ફરી એકવાર હું જીતીશ તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, આ વિસ્તારના લોકોએ મને નિસ્વાર્થ પણે કામગીરી કરી છે. ત્યારે કોઈપણ વ્યક્તિમાં નાત, જાત, ભેદભાવ વગર વિવિધ વિકાસના કામો કર્યા છે. ભાજપે મને 5 વાર ટિકીટ આપી અને અનેક વિકાસના કામો કર્યા છે. આજે ટિકિટ ન મળતા કાર્યકર્તાઓની માંગણી અને નારાજગીને કારણે મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

આશા હંમેશા અમર હોય છે પાદરા વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા પૂર્વ ધારાસભ્ય અને ગત 2017 વિધાનસભામાં હારેલા દિનેશ પટેલેને ટિકીટ ન આપતા નારાજગી જોવા મળી હતી. ત્યારે આજે તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા જણાવ્યું હતું કે, ભાજપ પક્ષમાંથી ચૂંટણી હાર્યા બાદ પણ તાલુકાની જનતા માટે કોઈપણ કામ કરવા માટે મેં કચાશ રાખી નથી. એકાએક ટિકીટ ન મળતા બધા જ તાલુકાના કાર્યકર્તાઓને નારાજગીને જોતા મેં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. આશા હંમેશા અમર હોય છે. ત્યારે મારી ઓળખ પાદરા તાલુકાના લોકોને આપવાની રહેતી નથી. તેઓના સુખ અને દુઃખ માટે હંમેશા હું ભાગીદાર રહ્યો છું. 1998થી વિધાનસભાની ચૂંટણી લડતો આવ્યો છું. અપક્ષ ચૂંટાયા બાદ ભાજપમાં આવી લોકોની સેવા કરી છે અને આજે પણ અપક્ષ લડી લોકોની સેવા કરીશ.

બાયડ બેઠક ઉપર ભાજપમાં ભડકો છેલ્લે છેલ્લે ઉમેદવારોના નામની જાહેરાત થતા અરવલ્લીની બાયડ બેઠક પર ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. જિલ્લાના 32 બાયડ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને ભાજપ દ્વારા ટિકીટ કાપવામાં આવતા તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ગુરૂવારે બપોરે મોટી સંખ્યામાં સર્મથકો સાથે ભવ્ય રોડ શો યોજ્યા પછી ઉમેદવારી પત્ર ભર્યું હતું.

ભાજપ સામે બળાપો કાઢ્યો આ વખતે બાયડ વિધાનસભાની ચૂંટણી રસાકસીભરી રહે તેવું સ્પષ્ટપણે લાગે છે. જેમાં ભાજપના નેતા ધવલસિંહ ઝાલાને ટિકીટના મળતા પાર્ટી સાથે છેડો ફાડી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. મોટી સંખ્યામાં સમર્થકોના હુકુમ સાથે તેમણે રોડ શો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ ભરવા જતા પહેલા તેમણે 27 વર્ષના શાશન સામે પ્રશ્રો ઉઠાવી આડકતરી રીતે ભાજપ સામે બળાપો કાઢ્યો હતો. ધવલસિંહ ઝાલા અપક્ષ ઉમેદવારે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું 25 વર્ષથી અહીં જે રીતે રાજકારણ થઈ રહ્યું છે તે બતાવી રહ્યો છું. પ્રજાને જ અન્યાય થઈ રહ્યો છે.

આ બેઠક પર ચતુષ્કોણીય જંગ યોજાશે.
આ બેઠક પર ચતુષ્કોણીય જંગ યોજાશે.

મોટી સંખ્યામાં ટેકેદારો હોવાનો દાવો કર્યો નોંધનીય છે કે ધવલસિંહ ઝાલાએ 2017માં કોંગ્રેસ પક્ષ તરફથી બાયડ વિધાનસભા માટે ચૂંટણી લડી હતી. તેઓ 5000 ઉપરાંત મતે વિજય થયા હતા. જોકે બે વર્ષ પછી તેમણે અલ્પેશ ઠાકોર સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. પેટા ચૂંટણી ભાજપ પક્ષ તરફથી તેઓ ચૂંટણી લડ્યા હતા. કોંગ્રેસના જશુભાઇ સામે માત્ર 700 જેટલા વોટથી હાર્યા હતા. જેથી તેમનો દાવો હતો કે ભાજપ અને કોંગ્રેસના 1000 જેટલા કાર્યકરો તેમના સમર્થનમાં છે.

જનતાએ વિચારવું જોઈએ કે તેમની વચ્ચે કોણ કામ કરે છે ધવલસિંહ ઝાલા અપક્ષ ઉમેદવારે વધુમાં જણાવ્યું હતું કે, “આજ બાયડ અને માલપુરના લોકો તરફથી મને જે પ્રેમ મળ્યો છે તેને લઈને હું મારું ફોર્મ ભરવા આવેલા હજારો લોકોને નમન કરું છું. મતદારોએ વિચારવું જોઈએ કે, જે રીતે વરસાદી દેડકાં ઉમેદવારી નોંધાવવા આવ્યા છે, ત્યારે જનતાએ વિચારવું જોઈએ કે તેમની વચ્ચે કોણ કામ કરે છે.

ધવલસિંહની હાલત કફોડી કોંગ્રેસમાં સારી સ્થિતિ હોવા છતાં માત્ર અલ્પેશ ઠાકોરને ટેકો આપવા માટે ભાજપમાં જોડાયા ધવલસિંહની હાલત ત્યારે કફોડી થઈ હતી. જ્યારે અલ્પેશને મોડા મોડે ભાજપે ટિકીટ આપી હતી. પરંતુ તેમને ફકત આશ્વાસન જ આપ્યું હતું. ધવલસિંહની હાલત 'આજે બડે બે આબરૂ હોકે તેરે કુચે સે હમ નિકલે' જેવી થઈ છે.

ધાનેરા વિધાનસભા બેઠક પર જ્ઞાતિ ગણિત ધાનેરા વિધાનસભા બેઠક (Dhanera Assembly seat) પર સૌથી વધુ ચૌધરી પટેલ અને ઠાકોર સમાજના મત (Thakor community votes) છે. ચૌધરી પટેલ સમાજના અંદાજે 60 હજારથી વધુ મતદારો હોવાથી ધાનેરા બેઠકમાં ચૌધરી પટેલ અને ઠાકોર સમાજના મત નિર્ણાયક ભૂમિકામાં રહે છે. આ સિવાય 42 હજાર જેટલા ઠાકોર સમાજના મત, 32 હજાર રબારી અને દલિત સમાજના પણ 33 હજાર જેટલા મત, બ્રાહ્મણ અને ભીલ આદિવાસી સમાજના પણ 20 - 20 હાજર જેટલા મત આવેલા છે. જ્યારે 50 ટકા મત ઈતર સમાજના પણ છે. જેમાં મુસ્લિમ, સુથાર, પટેલ, ઠક્કર, વાલ્મિકી, મહેશ્વરી સહિતની જ્ઞાતિઓ મત ધરાવે છે. અત્યારે સુધી આ બેઠક પર ચૌધરી પટેલ, બ્રાહ્મણ અને રબારી સમાજમાંથી સૌથી વધુ વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. જોકે ગત વિધાનસભામાં કોંગ્રેસે ચૌધરી પટેલ સમાજમાંથી નાથાભાઇ પટેલને મેદાનમાં ઉતર્યા હતા. જેની સામે ભાજપે રબારી સમાજમાંથી ડીસા માર્કેટ યાર્ડ ચેરમેન માવજીભાઈ દેસાઈને ટિકીટ આપતા ભાજપે હારનો સામનો કરવો પડ્યો હતો.

વિધાનસભામાં પહેલા અને હાલના ધારાસભ્યની વિગતો 2012માં ભાજપ વસંત પુરોહિત સામે કોંગ્રેસ જોઈતાભાઈ પટેલ ઉર્ફે જે કેની જીત થઈ હતી. ત્યારબાદ 2017ની ચૂંટણીમાં ભાજપે માવજીભાઈ દેસાઈની સામે કોંગ્રેસે નાથાભાઇ પટેલ ને મેદાનમાં ઉતારી સીટ જાળવી રાખી હતી.

ડીસા વિધાનસભા મત વિસ્તારમાં સ્ત્રી પુરુષ મતદારોની સંખ્યા ધાનેરા વિધાનસભા મત વિસ્તારમાં (Dhanera Assembly Constituency) છેલ્લા 5 વર્ષમાં કુલ 40 હજાર જેટલા મતદારોનો વધારો થયો છે. 2007માં કુલ 228255 મતદારો હતા. હવે 5 વર્ષ બાદ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 268653 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 140199 છે. જ્યારે સ્ત્રી મતદારોની સંખ્યા કુલ 128453 છે. થર્ડ જેન્ડરની સંખ્યા 2 જેટલી છે. કુલ પુલિંગ સ્ટેશનની સંખ્યા 280 થઈ છે.

ડીસા મતવિસ્તારની સમસ્યાઓ GIDC કે બસ ડેપો જેવી સુવિધા પણ નથી. સરકારી મોટી હોસ્પિટલ ન હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આરોગ્યની પૂરતી સેવાઓ મળતી નથી. શહેરમાં ટ્રાફિક અને રસ્તાની મુખ્ય સમસ્યાઓ, ફરવા લાયક કોઈ સ્થળ નથી. રાજકારણમાં આંતરિક વિખવાદમાં શહેરનો વિકાસ થતો નથી. ગ્રામીણ વિસ્તારોમાં સિંચાઈ માટે પાણીની સમસ્યા, રિસર્વેની કામગીરીમાં છબરડો થતા જમીન માલિક હેરાન થાય છે.

વિધાનસભા બેઠકના ઉમેદવારો ધાનેરા વિધાનસભા બેઠક પર આ વખતે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. જેમાં ભાજપમાંથી માવજીભાઈ દેસાઈની ટિકીટ કાપીને ભગવાનદાસ પટેલને ટિકીટ આપી છે. જ્યારે કોંગ્રેસમાંથી રિપીટ નથાભાઈ પટેલને ટિકીટ આપવામાં આવી છે. જ્યારે આમ આદમી પાર્ટીમાંથી સુરેશ દેવડા અને અપક્ષ ઉમેદવાર તરીકે માવજીભાઈ દેસાઈને આજે મોટી સંખ્યમાં સમર્થકો સાથે ફોર્મ ભરતા ચૂંટણી જંગ જામ્યો છે. ધાનેરા બેઠકની વાત કરવામાં આવે તો આ વખતે દરેક પક્ષમાં પોતાના ઉમેદવારોને લઈ નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આ વખતે ધાનેરા બેઠકમાં ખરેખરીનો જંગ જામશે તેવું દેખાઈ રહ્યું છે.

Last Updated :Nov 18, 2022, 7:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.