PM મોદીનું જામનગરમાં આગમન, લાલ બંગલા ખાતે વડાપ્રધાનનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો - PM MODI IN JAMNAGAR
🎬 Watch Now: Feature Video

Published : May 10, 2026 at 10:00 PM IST
|Updated : May 10, 2026 at 10:36 PM IST
જામનગર: PM નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, તેઓ આજે મોડી રાત્રે જામનગર ખાતે પહોંચ્યા છે. PMને આવકારવા માટે જામનગરવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જામનગરમાં વડાપ્રધાનના આગમનને લઇને દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જામનગર એરપોર્ટ પર ઉતરણ બાદ PM મોદી લાલ બંગલો ખાતે વિશાળ જનમેદનીને સંબોધન કરવા પહોંચ્યા હતા. અહીં તેમણે બંગાળમાં ભાજપની જીત બદલ ભાજપના કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન આ બાદ જામનગર સર્કિટ હાઉસમાં જ રાત્રિ રોકાણ કરશે અને બીજા દિવસે સવારે સોમનાથ જવા રવાના થવાના છે. સોમનાથમાં તેઓ 'સોમનાથ અમૃત મહોત્સવ' કાર્યક્રમમાં હાજરી આપશે અને પ્રથમ જ્યોતિર્લિંગ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી વિશેષ પૂજા-અર્ચના કરશે. ત્યાં પણ વડાપ્રધાનના હસ્તે કરોડોના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે. આ બાદ તેઓ વડોદરાની પણ મુલાકાત લેશે.
જામનગર: PM નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, તેઓ આજે મોડી રાત્રે જામનગર ખાતે પહોંચ્યા છે. PMને આવકારવા માટે જામનગરવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જામનગરમાં વડાપ્રધાનના આગમનને લઇને દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જામનગર એરપોર્ટ પર ઉતરણ બાદ PM મોદી લાલ બંગલો ખાતે વિશાળ જનમેદનીને સંબોધન કરવા પહોંચ્યા હતા. અહીં તેમણે બંગાળમાં ભાજપની જીત બદલ ભાજપના કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન આ બાદ જામનગર સર્કિટ હાઉસમાં જ રાત્રિ રોકાણ કરશે અને બીજા દિવસે સવારે સોમનાથ જવા રવાના થવાના છે. સોમનાથમાં તેઓ 'સોમનાથ અમૃત મહોત્સવ' કાર્યક્રમમાં હાજરી આપશે અને પ્રથમ જ્યોતિર્લિંગ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી વિશેષ પૂજા-અર્ચના કરશે. ત્યાં પણ વડાપ્રધાનના હસ્તે કરોડોના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે. આ બાદ તેઓ વડોદરાની પણ મુલાકાત લેશે.

