માળીયા: પિખોરથી માંગરોળ તરફ જતો કોઝવે ભારે વરસાદમાં તૂટ્યો, ગામ લોકો સંપર્ક વિહોણા
જૂનાગઢ સહિત રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢના માળીયા અને માંગરોળ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

Published : July 6, 2026 at 4:15 PM IST
જૂનાગઢ: જૂનાગઢ સહિત રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢના માળીયા અને માંગરોળ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે આ વિસ્તારમાં મોટું નુકસાન થયું છે. માળીયા તુલાકના પીખોર ગામથી માંગરોળ તાલુકાને જોડતો પુલ તૂટી જતા મોટાભાગના ગામનો સંપર્ક તૂટી ગયો છે.
પિખોરથી માંગરોળ તરફ જતો આ માર્ગ ભારે વરસાદમાં ધોવાઇ ગયો છે જેને કારણે આસપાસના પાંચ કરતા વધારે ગામ અને માંગરોળ તાલુકાનો સંપર્ક તૂટી ગયો છે. પીખોરના 70 કરતા વધારે ખેડૂત ખાતેદાર જેમની જમીન સામે કાંઠે આવેલી છે તે તમામ ખેડૂતો પણ પોતાના ખેતરમાં વાહન કે બળદગાડા સાથે જઇ શકતા નથી.
ખેડૂતો અને ગામ લોકોની વૈકલ્પિક વ્યવસ્થાની માંગ
માંગરોળ, ભાટગામ, સુલતાનપુર અને સીરોદર ગામના ખેતી ધરાવતા અને પીખોર ગામમાં રહેતા 70 કરતાં વધારે ખેડૂતો પોતાના ખેતરમાં પુલ તૂટવાને કારણે જઈ શકતા નથી. ચોમાસાની ઋતુમાં કૃષિ પાકોનું વાવેતર બાકી છે તેવી સ્થિતિમાં પુલ તૂટી જતા અહીંથી બળદગાડા કે સામાન્ય વાહન પણ જઇ શકે તેવી સ્થિતિમાં નથી. લોકો પણ જીવના જોખમે ચાલવા મજબૂર બન્યા છે. જિલ્લા વહીવટી તંત્ર તૂટેલા પુલને રીપેર કરે અને આવનારા દિવસોમાં નવો પુલ બનાવે તેવી માંગ કરી રહ્યા છે.

પિખોર ગામમાં રહેતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે, માળિયા અને માંગરોળ તાલુકામાં પડેલા અતિભારે વરસાદને કારણે ભપિખોર ગામ નજીકથી પસાર થતી નોળી નદી પર આજથી 30 વર્ષ પૂર્વે બનેલો પુલ ભારે વરસાદ અને નદીમાં પૂરને કારણે સંપૂર્ણપણે તૂટી ગયો છે. આ પુલ તૂટી જતા પિખોર ગામનો માંગરોળ તાલુકા અને આસપાસના ત્રણથી વધારે ગામ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. તંત્ર વહેલી તકે આ પુલને જલદી રિપેર કરે તેવી લોક માંગ ઉઠી છે.


આ પણ વાંચો:

