ETV Bharat / state

અમદાવાદના વાડજમાં આવેલી 'સતી અહિલ્યાબાઈ વાવ', 250 વર્ષ જૂનો ઐતિહાસિક વારસો આજે પણ જીવંત

આશરે અઢી સદી જૂની આ વાવનું નિર્માણ માલવાના પ્રખ્યાત શાસક અને લોકકલ્યાણકારી અહિલ્યાબાઇ હોલકર દ્વારા કરાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

સતી અહલ્યા વાવ, અમદાવાદ
સતી અહલ્યા વાવ, અમદાવાદ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 5, 2026 at 9:08 AM IST

1 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલી ઐતિહાસિક સતી અહિલ્યાબાઈ વાવ આજે પણ શહેરના સમૃદ્ધ વારસાની સાક્ષી બની ઉભી છે. આશરે અઢી સદી જૂની આ વાવનું નિર્માણ માલવાના પ્રખ્યાત શાસક અને લોકકલ્યાણકારી અહિલ્યાબાઇ હોલકર દ્વારા કરાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલી ઐતિહાસિક સતી અહિલ્યાબાઈ વાવ આજે પણ શહેરના સમૃદ્ધ વારસાની સાક્ષી બની ઉભી છે. આશરે અઢી સદી જૂની આ વાવનું નિર્માણ માલવાના પ્રખ્યાત શાસક અને લોકકલ્યાણકારી અહિલ્યાબાઇ હોલકર દ્વારા કરાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

250 વર્ષ જૂનો ઐતિહાસિક વારસો એટલે અમદાવાદના વાડજમાં આવેલી 'સતી અહિલ્યાબાઈ વાવ' (Etv Bharat Gujarat)

અહિલ્યાબાઈ હોલકર તેમના શાસનકાળ દરમિયાન સમગ્ર ભારતભરમાં મંદિરો, ઘાટો, કૂવા અને વાવો જેવા લોકોપયોગી બાંધકામો માટે જાણીતા હતા. તેમના દ્વારા કાશી વિશ્વનાથ મંદિરના પુનઃનિર્માણ સહિત અનેક ઐતિહાસિક કાર્યો કરવામાં આવ્યા હતા.

અમદાવાદના વાડજમાં આવેલી 'સતી અહિલ્યાબાઈ વાવ'
અમદાવાદના વાડજમાં આવેલી 'સતી અહિલ્યાબાઈ વાવ' (Etv Bharat Gujarat)

અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલી આ વાવ પણ તેમની જ લોકકલ્યાણકારી દ્રષ્ટિનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે. આ વાવનું નિર્માણ તે સમયના લોકોની પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે કરવામાં આવ્યું હતું.

આ વાવનું નિર્માણ તે સમયના લોકોની પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે કરવામાં આવ્યું હતું
આ વાવનું નિર્માણ તે સમયના લોકોની પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે કરવામાં આવ્યું હતું (Etv Bharat Gujarat)

સાબરમતી નદીના કિનારા નજીક આવેલી આ વાવમાં વર્ષભર પાણી ઉપલબ્ધ રહેતું હતું, જેના કારણે આસપાસના ગામો અને મુસાફરો માટે તે મહત્વનું જળસ્ત્રોત બની હતી.

અહિલ્યાબાઇ હોલકર દ્વારા આ વાવનું કરાયું હતું નિર્માણ
અહિલ્યાબાઇ હોલકર દ્વારા આ વાવનું કરાયું હતું નિર્માણ (Etv Bharat Gujarat)

વાસ્તુકળાની દૃષ્ટિએ પણ આ વાવ વિશેષ મહત્વ ધરાવે છે. પથ્થરમાં કોતરાયેલા થાંભલા, કલાત્મક કમાનો અને પરંપરાગત સ્થાપત્ય તેની વિશેષતા છે. વાવની અંદર ઉતરતા પગથિયાં અને વિવિધ સ્તરો તે સમયની અદભૂત ઇજનેરી કુશળતાનો પરિચય કરાવે છે.

ઈતિહાસકાર ફાલ્ગુનીબેન પુરોહિત
ઈતિહાસકાર ફાલ્ગુનીબેન પુરોહિત (Etv Bharat Gujarat)

સ્થાનિક લોકોમાં આ વાવ "સતી અહિલ્યાબાઈ વાવ" તરીકે પ્રસિદ્ધ છે. વર્ષો સુધી અવગણના બાદ હવે આ ઐતિહાસિક સ્મારકના સંરક્ષણ અને જાળવણી તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વારસા પ્રેમીઓ અને ઇતિહાસકારો માટે આ વાવ અમદાવાદના સાંસ્કૃતિક વારસાનો મહત્વનો ભાગ છે.

સાબરમતી નદીના કિનારા નજીક આવેલી આ વાવમાં વર્ષભર પાણી ઉપલબ્ધ રહેતું હતું
સાબરમતી નદીના કિનારા નજીક આવેલી આ વાવમાં વર્ષભર પાણી ઉપલબ્ધ રહેતું હતું (Etv Bharat Gujarat)

આજે પણ સતી અહિલ્યાબાઈ વાવ માત્ર એક જળસંચયનું માધ્યમ નથી, પરંતુ ગુજરાત અને ભારતના સમૃદ્ધ ઇતિહાસ, લોકકલ્યાણ અને અદભૂત સ્થાપત્યકલાની જીવંત ઓળખ બની રહી છે.

  1. પથ્થરોમાં કંડારાયેલો 'પાણીદાર' ઈતિહાસ, 500 વર્ષ જૂની દાદા હરિની વાવની અદભૂત કહાની