ETV Bharat / politics

કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે 6 ઉમેદવારોના નામની જાહેરાત કરી, અભિષેક મનુ સંઘવી તેલંગાણાથી મેદાનમાં

કોંગ્રેસ પાર્ટીએ ગુરુવારે 16 માર્ચે 10 રાજ્યોમાં યોજાનારી આગામી દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણી માટે છ ઉમેદવારોની જાહેરાત કરી.

કોંગ્રેસનો તેલંગાણાની બે રાજ્યસભા બેઠકો માટે અભિષેક મનુ સિંઘવી અને વેમ નરેન્દ્ર રેડ્ડીને નોમિનેટ કરવાનો નિર્ણય
કોંગ્રેસનો તેલંગાણાની બે રાજ્યસભા બેઠકો માટે અભિષેક મનુ સિંઘવી અને વેમ નરેન્દ્ર રેડ્ડીને નોમિનેટ કરવાનો નિર્ણય (X)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 5, 2026 at 10:15 AM IST

1 Min Read
Choose ETV Bharat

હૈદરાબાદ: કોંગ્રેસ પાર્ટીએ ગુરુવારે 16 માર્ચે 10 રાજ્યોમાં યોજાનારી આગામી દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણી માટે છ ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં તેલંગાણાની બે રાજ્યસભા બેઠકો માટે અભિષેક મનુ સિંઘવી અને વેમ નરેન્દ્ર રેડ્ડીને નોમિનેટ કરવાનો નિર્ણય લીધો છે.

સિંઘવી તેલંગાણામાંથી વર્તમાન સભ્ય છે, જ્યારે રેડ્ડી હાલમાં મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના સલાહકાર છે. એપ્રિલમાં તેલંગાણામાં બે બેઠકો ખાલી થવાની છે. આ ઉપરાંત ફુલો દેવી નેતામ, કરમવીર બૌધ અને ક્રિસ્ટોફર તિલકને અનુક્રમે છત્તીસગઢ, હરિયાણા અને તમિલનાડુમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

AICCના મહાસચિવ કે સી વેણુગોપાલે એક સત્તાવાર જાહેરાતમાં નામોની જાહેરાત કરી. AICCની જાહેરાત બાદ, નરેન્દ્રર રેડ્ડીએ સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સહિતના કોંગ્રેસના નેતાઓનો આભાર માનવા માટે X પર પોસ્ટ કરી હતી.

જેમાં તેમણે લખ્યું કે, "કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભા ઉમેદવાર તરીકે મને જાહેર કરવા બદલ માનનીય સોનિયા ગાંધી, કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, AICC સચિવ કેસી વેણુગોપાલ, સાંસદ પ્રિયંકા ગાંધી, મુખ્યમંત્રી રેવંત રેડ્ડી, કોંગ્રેસ બાબતોના પ્રભારી મીનાક્ષી નટરાજન, નાયબ મુખ્યમંત્રી ભટ્ટી વિક્રમાર્ક, પીસીસી પ્રમુખ મહેશ કુમાર ગૌડ અને કોંગ્રેસ પાર્ટી હાઇકમાન્ડનો હૃદયપૂર્વક આભાર."

10 રાજ્યોમાં 37 બેઠકો ભરવા માટે રાજ્યસભાની આગામી દ્વિવાર્ષિક ચૂંટણીઓ માટે મતદાન 16 માર્ચે યોજાવાનું છે, અને તે જ દિવસે સાંજે 5 વાગ્યે મતગણતરી થશે.

મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આસામ, બિહાર, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને તેલંગાણામાંથી ચૂંટાયેલા 37 સભ્યોનો કાર્યકાળ એપ્રિલ મહિનામાં સમાપ્ત થવા જઈ રહ્યો છે, જેના કારણે નવા સભ્યો માટે બેઠકો ખાલી થશે.

નામાંકન કરવાની છેલ્લી તારીખ આજે (5 માર્ચ) છે, ત્યારબાદ શુક્રવાર (6 માર્ચ) ના રોજ ચકાસણી થશે. ઉમેદવારો 9 માર્ચ સુધી પોતાના નામાંકન પત્રો પાછા ખેંચી શકશે.

આ પણ વાંચો:

  1. મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસે NCP નેતા શરદ પવારને ટેકો આપ્યો ટેકો
  2. AAPના દિગ્ગજ નેતાઓ હોળીના રંગે રંગાયા, મનીષ સિસોદિયાના નિવાસસ્થાને "કટ્ટર પ્રામાણિક" હોળીનું આયોજન