હોળી-ધૂળેટીના તહેવારમાં રંગોના કારણે નહીં ખરાબ થાય તમારી સ્કિન, આ રીતે રાખો તમારી ત્વચાનું ધ્યાન
હોળી-ધૂળેટીના તહેવારમાં રંગોથી બચવા માટે આ સરળ ઉપાય અજમાવો, આ પોઇન્ટ્સથી સમજો કેવી રીતે રાખશો તમારી ત્વચાનો ખ્યાલ

Published : March 1, 2026 at 6:26 PM IST
નવી દિલ્હી/ગાઝિયાબાદ: હોળી-ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ધૂળેટી પર લોકો જોરશોરથી એક બીજાને રંગ લગાવે છે અને ઉત્સાહથી તહેવાર ઉજવે છે. ધૂળેટી પર રંગે રમતી વખતે સાવધાની પણ ખૂબ જરૂરી છે કારણ કે નાની અમથી ભૂલ ત્વચા અને વાળ માટે ગંભીર સમસ્યા બની શકે છે. બજારમાં મળતા ઘણા સસ્તા અને ચમકદાર રંગોમાં ખતરનાક કેમિકલ અને સિન્થેટિક દ્રવ્યો હોય છે, જેના ઉપયોગથી શરીર પર એલર્જી, ખંજવાળ, બળતરા અને ફંગલ ઇન્ફેક્શન થવાની સંભાવના રહે છે. આવા સંજોગોમાં, રંગથી હોળી રમતા પહેલા, રમતી વખતે અને પછી સાવધાની રાખવી જરૂરી છે જેથી હોળીના તહેવારને ધૂમધામથી મનાવી શકાય.
વરિષ્ઠ ચિકિત્સક ડૉક્ટર બૃજપાલ સિંહ ત્યાગીના મત મુજબ, હોળી-ધૂળેટી ખુશીઓ અને રંગોનો તહેવાર છે. હોળી પર લોકો જોરશોરથી રંગે રમે છે, તેથી થોડી સાવધાની પણ જરૂરી છે કારણ કે આજકાલ બજારમાં ઘણા પ્રકારના ખતરનાક રંગો આવી રહ્યા છે. રંગે રમતી વખતે પ્રાકૃતિક અને હર્બલ રંગોનો ઉપયોગ કરો જેથી ત્વચા પર ખંજવાળ, બળતરા અને એલર્જી ન થાય. બાળકો અને વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખો કારણ કે તેમની ત્વચા વધુ સંવેદનશીલ હોય છે. જો ત્વચા પર કોઈ પણ પ્રકારની ફોલ્લી અથવા બળતરા જેવા અસામાન્ય લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.
કન્સલટન્ટ ડર્મેટોલોજિસ્ટ ડૉક્ટર હર્ષ ત્યાગીના મત મુજબ, "હોળી પછી અમારી પાસે કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ, સ્કિન એલર્જી અને ફંગલ ઇન્ફેક્શન સંબંધિત ઘણા કેસો આવે છે. જો સાચી તૈયારી અને જાગૃકતા સાથે હોળી રમવામાં આવે તો આ સમસ્યાઓથી ઘણી હદ સુધી બચી શકાય છે."
રંગથી હોળી-ધૂળેટી રમતા પહેલા શું કરવું?
- ત્વચા પર મોઇશ્ચરાઇઝર અથવા તેલ લાગો: હોળી-ધૂળેટી પર રંગ રમતા પહેલા ઓછામાં ઓછા એક કલાક પહેલા ખુલ્લી ત્વચા પર નારિયેળનું તેલ અથવા મોઇશ્ચરાઇઝર લગાવો. આમ કરવાથી ત્વચા પર એક સુરક્ષા સ્તર બને છે જે રંગને સીધા ત્વચામાં પ્રવેશતા અટકાવે છે.
- વાળની સુરક્ષા જરૂરી: ઘણી વાર હોળી રમતી વખતે કલર માથાના વાળમાં લાગી જાય છે આનાથી બચવા માટે માથામાં વાળમાં તેલ લગાવો અથવા તો હેર લાઇન પર વેસલીન લગાવો જેથી કલર કલર ન લાગે.
- શેવિંગ-ફેશિયલથી દૂર રહો: હોળી-ધૂળેટીના તહેવાર પર રંગ રમતા પહેલા ઓછામાં ઓછા 48 કલાક પહેલા કોઈ પણ પ્રકારનું સ્કિન ટ્રીટમેન્ટ ન કરાવો. શેવિંગ, ફેશિયલ અને વેક્સિંગ પણ ન કરવી જોઈએ.
- પેચ ટેસ્ટ જરૂર કરો: નવો રંગ અથવા હર્બલ રંગ ઉપયોગ કરતા પહેલા 24 કલાક પહેલા પેચ ટેસ્ટ કરો. હાથમાં અથવા કાન પાછળ થોડો રંગ લગાવો અને અડધો કલાક જુઓ. જો કોઈ પણ પ્રકારની બળતરા અને ખંજવાળ આવે તો તે રંગનો ઉપયોગ ન કરો.
કલરનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો?
સસ્તા અને ખૂબ જ ચમકદાર રંગોનો ઉપયોગ ન કરો. આવા કલર ત્વચા પર એલર્જી, બળતરા અને પિગમેન્ટેશનનું કારણ બની શકે છે. કલર હાથમાં લેતા પહેલા જો તે દાણાદાર લાગે તો તેનો ઉપયોગ ન કરો. હર્બલ અને ઓર્ગેનિક કલરને પ્રાથમિકતા આપો. સૂકા રંગોનો ઉપયોગ ભીના રંગો કરતા વધુ સારો છે. સૂકા રંગો ત્વચા પર ઓછા ચોંટે છે અને તેને સાફ કરવું પણ સરળ હોય છે.
કલર દૂર કરતી વખતે શું કરવું?
કલર દૂર કરવા માટે શરીર પર અતિશય સાબુ અથવા ડિટરજન્ટ લગાવવાનું ટોળો, હળવા ગરમ પાણી અને માઇલ્ડ ક્લીન્ઝરથી ધીરે ધીરે કલરને સાફ કરો. ત્વચાને જોર જોરથી ઘસવાથી બચો. ગળા અને રંગ લાગેલા કપડાં તરત બદલો જેથી ફંગલ ઇન્ફેક્શનથી બચી શકાય.
આ પણ વાંચો:

