ઇઝરાયલ-ઈરાન તણાવ વચ્ચે ઓમાન નજીક દરિયામાં ઓઇલ ટેન્કર પર હુમલો, 15 ભારતીય સહિત 20 ક્રૂ મેમ્બરનું રેસ્ક્યૂ
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ખાસાબ બંદરથી લગભગ પાંચ નોટિકલ માઇલ ઉત્તરમાં જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો.

Published : March 1, 2026 at 6:53 PM IST
મસ્કત: ઓમાનના મેરીટાઇમ સિક્યુરિટી સેન્ટરના સત્તાવાર નિવેદનને ટાંકીને ગલ્ફ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે મુસંદમ ગવર્નરેટ પાસેના દરિયામાં પલાઉના ધ્વજવાળા ઓઇલ ટેન્કર 'સ્કાયલાઇટ' ને નિશાન બનાવવામાં આવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ખાસાબ બંદરથી લગભગ પાંચ નોટિકલ માઇલ ઉત્તરમાં જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં સવાર લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
સેન્ટરે જણાવ્યું હતું કે "તમામ 20 ક્રૂ સભ્યોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં 15 ભારતીય નાગરિકો અને પાંચ ઈરાની નાગરિકોનો સમાવેશ થાય છે."
ક્રૂની સ્થિતિ વિશે જણાવતા, ગલ્ફ ન્યૂઝે વધુમાં અહેવાલ આપ્યો હતો કે અસરગ્રસ્તોને તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી.
પ્રારંભિક માહિતી સૂચવે છે કે ચાર ક્રૂ સભ્યોને વિવિધ ગંભીરતાની ઇજાઓ થઈ હતી અને તેમને જરૂરી તબીબી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા."
Statement | Qatar Strongly Condemns Iranian Attacks on Duqm Port in Oman and Oil Tanker Off Its Coast
— Ministry of Foreign Affairs - Qatar (@MofaQatar_EN) March 1, 2026
Doha | March 01, 2026
The State of Qatar strongly condemns the Iranian attacks that targeted the commercial port of Duqm in the sisterly Sultanate of Oman and an oil tanker… pic.twitter.com/clmKio3DmA
ઓમાની અધિકારીઓએ હજુ સુધી હુમલાના સ્ત્રોત અથવા ટેન્કરને થયેલા નુકસાનની હદ વિશે વધારાની વિગતો શેર કરી નથી. આ ઘટના તેહરાનમાં હાઇ-પ્રોફાઇલ હત્યાઓ પછી પ્રદેશના સુરક્ષા વાતાવરણમાં નોંધપાત્ર ફેરફારોના ક્રમમાં આ ઘટના બની છે.
ઈરાનના સરકારી મીડિયા IRNA ને ટાંકીને રવિવારે અલ જઝીરાએ અહેવાલ આપ્યો હતો કે ઈરાનમાં ઈઝરાયલ-અમેરિકન હુમલામાં ઈરાની આર્મી ચીફ ઓફ સ્ટાફ અબ્દુલ રહીમ મૌસાવી અને સંરક્ષણ પ્રધાન અઝીઝ નાસિરઝાદેહ માર્યા ગયા હતા.
આઈઆરએનએ અહેવાલમાં ઉમેર્યું હતું કે, વધુ સશસ્ત્ર દળોના કમાન્ડરો પણ માર્યા ગયા હતા અને તેમના નામ પછીથી જાહેર કરવામાં આવશે.
રવિવારે અગાઉ, ઇઝરાયલી વાયુસેનાએ પુષ્ટિ આપી હતી કે તેના ફાઇટર જેટ્સે ઈરાનમાં લશ્કરી લક્ષ્યો પર હુમલા કર્યા હતા, જેમાં અલી શામખાની અને મોહમ્મદ પાકપુર સહિત સાત વરિષ્ઠ ઈરાની સંરક્ષણ અધિકારીઓ માર્યા ગયા હતા.
X પર એક પોસ્ટમાં, ઇઝરાયલી વાયુસેનાએ જણાવ્યું હતું કે: "IAF ફાઇટર જેટ્સે ઈરાનમાં લશ્કરી લક્ષ્યો પર ચોક્કસ હુમલો કર્યો હતો, જેમાં ઈરાની સંરક્ષણ નેતૃત્વના 7 વરિષ્ઠ અધિકારીઓ: અલી શામખાની, મોહમ્મદ પાકપુર, સાલેહ અસાદી, મોહમ્મદ શિરાઝી, અઝીઝ નાસિરઝાદેહ, હુસૈન જબાલ અમેલિયન, રેઝા મોઝફ્ફરી-નિયા માર્યા ગયા હતા. તેમના વિના દુનિયા વધુ સારી જગ્યા છે."
શનિવારે ઈરાનમાં ઇઝરાયલી-અમેરિકન હુમલાના પરિણામે ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ ખામેનેઇનું મૃત્યુ થયું. ઇઝરાયલી સંરક્ષણ દળો દ્વારા "ઓપરેશન રોરિંગ લાયન" તરીકે ઓળખાતા આ ઓપરેશનને યુએસ સશસ્ત્ર દળો સાથે મહિનાઓ સુધી સંયુક્ત આયોજન બાદ હાથ ધરવામાં આવ્યું હતું, એમ IDF લેફ્ટનન્ટ કર્નલ નદાવ શોશાનીએ રવિવારે એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું.
સંઘર્ષ વધી રહ્યો છે ત્યારે, અલ જઝીરાએ અહેવાલ આપ્યો છે કે ઈરાને ઘણા ગલ્ફ આરબ રાજ્યોમાં યુએસ સાથે જોડાયેલા લક્ષ્યો પર સંકલિત હુમલાઓ શરૂ કર્યા છે.
તેહરાને આ હુમલાઓને યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ દ્વારા તેના પ્રદેશ પર મોટા પાયે સંયુક્ત હુમલાના પ્રતિભાવ તરીકે વર્ણવ્યા હતા, જેનાથી પ્રાદેશિક યુદ્ધની ચિંતા વધી છે.
ફાર્સ ન્યૂઝ એજન્સી અનુસાર, ઈરાની અધિકારીઓએ શનિવારે પુષ્ટિ કરી હતી કે અનેક સ્થળોએ હુમલાઓ કરવામાં આવ્યા છે. જેમાં બહેરીન, કુવૈત, કતાર અને સંયુક્ત આરબ અમીરાતના સ્થળોનો સમાવેશ થાય છે, જે યુએસ લશ્કરી સ્થાનો અને એરબેઝ ધરાવતા દેશો છે.
આ પણ વાંચો:

